SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડકારો છે. તે વિજિગીષની ત્રિવિધ શક્તિ પૈકીની ઉત્સાહશક્તિને ઉત્તમ કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. વિજિગીષએ પોતાના રાજયની મંત્રી વગેરે પાંચ પ્રકૃતિઓ વડે અને છઠ્ઠી, પ્રાય: રાજયની સરહદની બહારની, મિત્રરૂપ પ્રકૃતિના સહયોગથી શત્રુ, મધ્યમ અને ઉદાસીન – એ પ્રકારોમાંના દરેક રાજા અને તે દરેકની પોતપોતાની પાંચ પ્રકૃતિની કક્ષા વિષે, પોતાના રાજ્યના ગુપ્તચર-વિભાગના સંકુલ વ્યાપારો દ્વારા જાણી-સમજીને, પોતાનું પ્રબુદ્ધ ઉચ્ચ રાજનૈતિક કર્તવ્ય આગવી પ્રતિભા વડે ઓળખીને, તે બજાવવા અને તે રીતે જગતમાં અનોખી રાજનૈતિક ચેતના જગવવા, સમગ્ર રાજકીય બૃહ તે-તે સમયે રચતા રહેવાનું અને પાર પાડતા રહેવાનું જરૂરી બને છે. આ બધું, અન્ય રાજાઓ કે તેમનાં રાજયોને વ્યર્થ, અણછાજતી હાનિ ન પહોંચે અને શક્ય હોય તો કાળબળે તેમની સાથેની અવનવી મૈત્રીથી અને તેમના સહકારથી મહત્તમ લોકહિત કે સર્વહિત સધાય તેવી રચનાત્મક દૃષ્ટિએ આદરવાનું છે. કૌટિલ્ય પોતાના અનુભવબળે, પ્રાચીન પરંપરામાં ‘નરેન્દ્ર (નરોમાં શ્રેષ્ઠ) એવો સૂચક પર્યાય જેના માટે વપરાયો છે તેવા રાજાની, રાષ્ટ્ર અને તેમાંના નિવાસીઓના આવશ્યક હિત માટેની ‘અનિવાર્ય’ કહી શકાય તેવી કાર્યપ્રણાલી આ સમગ્ર અધિકરણમાં લાઘવથી ઉત્તમ રીતે ચીંધી છે. માત્ર પોતાની પ્રજાનાં આંતરિક રક્ષણ અને પાલનથી રાજાની કામગીરી પૂરી નથી થતી; મુલ્કના અન્ય રાજાઓના ગતિવિધિ બાબતે મહત્તમ સતર્કતા અને પ્રતિકાર-સજ્જતા દાખવવી એ પણ વધુ અગત્યનું રાજકર્તવ્ય છે. એથી રાજા માટે, પરદેશનીતિ – જેને માટે પાછલા ગ્રંથોમાં, અગાઉ કહ્યા મુજબ, સૂચક ‘બાવાપ' (વાવણી – સતર્કતાની અને ગુપ્તચરોની ચોપાસ વાવણી) શબ્દ યોજાયો છે, તે પ્રજાપાલનનું જ અંગભૂત કર્તવ્ય છે. આ આખું રાજકીય સંબંધ-જાળ માનવમનના પ્રવાહોની ઊંડી પરખને આધારે ઊભું થાય છે એ પણ ધ્યાનમાં રહે. આ દ્વારા માનવીનો સૌથી વધુ જાગૃત રાજકીય કાર્યવ્યાપાર કેટલા ક્ષેત્રમાં અને કેવો હોઈ શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ આ અધિકરણમાંની સાત પ્રકૃતિઓની અને રાજમંડલની ઓળખાણ હવે પછીના પરદેશનીતિને લગતા ઉત્તરાર્ધ માટે સબળ ભૂમિકા બની રહે છે. | વિજિગીષ રાજાએ આ સમગ્ર રાજમંડલ અને દ્રવ્યપ્રકૃતિઓનો (સાધનરૂપ પ્રકૃતિઓનો) ખ્યાલ કરીને સરવાળે રાષ્ટ્રની ક્ષયદશા ટાળીને સ્થાનમાં અર્થાત્ સમધારણદશા કે સામાન્ય કાર્યક્ષમતા ટકી રહે તેવી દશામાં આવવાનું છે, અને જાગૃતિ અને ઉદ્યમ વિસ્તારીને ક્રમશઃ, તેનાથી આગળની વૃદ્ધિ’દશામાં આગળ વધવાનું છે. આ બધા માટે મંત્ર/પ્રભુ ઉત્સાહ-શક્તિરૂપ ત્રિવિધ શક્તિના વ્યાપાર થકી ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરવાની આવશ્યકતા રહે છે. એકંદરે વિજિગીષએ અન્ય કે સર્વ રાજાઓથી ચઢિયાતા બનવાનું ધ્યેય, સ્થિર પુરુષાર્થ થકી, એક નર્યા કર્તવ્યરૂપે નિભાવવાનું છે; વિકૃત રીતે અહંકારને ફુલાવવા કે નર્યા જુલ્મી બની રહેવા નહિ. સમજવાનું એ છે કે અહીં શ્રેષ્ઠતાની ગાંડી હોડની કે ગળાકાપ હરીફાઈની વાત અભિપ્રેત નથી, પણ આખી માનવજાતિના છૂપા સત્ત્વને જાગૃત કરવા માટે “નરેન્દ્ર ગણાતા રાજાએ શ્રેષ્ઠ અને સમર્પિત એવા માનવ-પ્રતિનિધિ તરીકે નિરહંકારિતા અને અદ્વેષ જાળવીને રાજકીય – બકે પ્રજાકીય – અપ્રમાદની ઉપાસના કરવાની જ વાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy