SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ઉપરની દૃઢ પકડ કે સર્વાંગી સમજણને કારણે સરસ અને સરળ સંક્ષેપ (brevity) દ્વારા રાજાની પ્રતિભાનું અભ્યાસપૂર્ણ વિશ્લેષણ કરીને તેના સમગ્ર ગૌરવયુક્ત, ઠરેલ રાજકાજનું સ્પષ્ટીકરણ કરે છે. તેમાં રાજકાજની કુદરતી મર્યાદાઓ પણ બરોબર ચીંધી બતાવી છે. મતયોનિ: એવા વિશિષ્ટ શીર્ષકનો ટૂંકો અર્થ થાય ‘મંડલરૂપ યોનિ (આધાર કે પાયો)'. ‘યોનિ’નો મૂળ અર્થ તો થાય સ્ત્રીનું પ્રજનન-અંગ. તે પરથી ઉત્પત્તિસ્થાન, આધાર કે પાયો – એવા અર્થો વિકસ્યા છે. અહીં પરદેશનીતિની ચર્ચાના આરંભે ગ્રંથકાર સમગ્ર રાજનીતિ એટલે કે સ્વદેશનીતિ અને પરદેશનીતિ એ બંનેના વિશાળ કે વ્યાપક પાયાની, વ્યાપક કાર્યક્ષેત્રની વાત કરવા માગે છે. અહીં મઽત્તને સમગ્ર રાજનીતિના પાયા તરીકે બતાવ્યું છે. મળ્યુત્ત એટલે રાજમંડલ, રાજાઓનો સમુદાય, કે જેમાં વિવિધ રાજનૈતિક સંબંધો આપોઆપ ફાલે તેવા એક ઘટક(unit)રૂપ વિશાળ મુલ્કના પાસેપાસેના અનેક રાજાઓ અને તેમનાં સહાયભૂત રાજ્યાંગોનો સમાવેશ થાય છે. રાજ્યાંગો સહિતના અનેક રાજાઓના આવા સંકુલ(complex)માં જુદાં-જુદાં રાજ્યો વચ્ચે સારા, માઠા, તટસ્થ એવા જે ભાતભાતના સંબંધો હોય છે, તેને જ અહીં રાજનીતિના આધારરૂપ કે પ્રવૃત્તિક્ષેત્રરૂપ કહ્યા છે. આમાં કહેવાની મૂળ વાત એ છે કે કોઈ પણ રાષ્ટ્રની રાજનીતિનો આધાર માત્ર પોતાના મુલ્કના લોકો અને રાજ્યતંત્ર ૫૨ જ નથી, પણ આ સમગ્ર રાજસમૂહ કે રાજ્યોના સમૂહ પર પણ આડકતરી રીતે હોય છે. કોઈ પણ રાષ્ટ્રે પોતાની સમગ્ર રાજૂનીતિ ઘડવામાં આજુબાજુનાં રાષ્ટ્રોની કે રાજાઓની એકબીજા પ્રત્યેની પ્રગટ કે ગુપ્ત હીલચાલોને બરોબર ગણતરીમાં લેવી જ પડે; એ જ છે સફળ રાજનીતિનો પાયો. ૩૧ આમાંના પ્રથમ અધ્યાયમાં કોઈ એક રાજ્યના ભાવિનિર્માણ માટે જવાબદાર કે આવશ્યક ગણાય એવાં, રાષ્ટ્રનાં સાત અંગો – જેમને ‘સપ્ત પ્રકૃતિ’ કહી છે – તે બધાંનાં મુખ્ય લક્ષણોનું કથન છે. અહીં ‘પ્રકૃતિ’ એટલે ઉપાદાન-સામગ્રી કે એક સંકુલ વસ્તુને કે શરીરને કાર્યક્ષમ બનાવનારાં તેનાં અંગો કે પેટા ઘટકો. રાજ્યની તે સાત પ્રકૃતિઓ આ છે ઃ રાજા, મંત્રી, જનપદ (ગ્રામ-કસ્બાઓવાળો તળ મુલ્ક; તળરાષ્ટ્ર), દુર્ગ (કિલ્લેબંદ રાજધાની), કોશ (ખજાનો), દંડ (સૈન્ય), મિત્ર (મિત્ર-રાજા). પ્રથમ અધ્યાયમાં આ સાતે ય પ્રકૃતિની ઇષ્ટ લાક્ષણિકતાઓ (ગુણસંપત્તિ) ટૂંકમાં કહી છે. આમાંની મિત્ર-પ્રકૃતિ મિત્ર-રાજા તરીકે રાજ્યની બહાર વસે છે. છેલ્લે સ્પષ્ટ કરાયું છે કે રાજા માટે પોતાના સિવાયની બાકી છ પ્રકૃતિઓ પોતાનાં અંગરૂપ છે, અને એકમાત્ર રાજાની પ્રતિભા જ એ છયેને પ્રાણવાન્ બનાવીને કે પ્રાણવાન્ રાખીને ઉત્તમ સિદ્ધિ તરફ લઈ જઈ શકે છે. બીજા અધ્યાયમાં રાજકીય સંબંધોના એકમરૂપ કોઈ વિશાળ મુલ્કના રાજાઓનું, પરસ્પરના રાજકીય સંબંધોના સ્વરૂપ પર આધારિત પ્રકાર-ભેદવાળું રાજમંડલ નિરૂપાયું છે. આ રાજમંડલ કોઈ પણ એક રાજાના દૃષ્ટિકોણથી, તેના પ્રતિભાયુક્ત સફળ રાજકર્મ માટેના એક મહત્તમ (વિશાળતમ) કાર્યક્ષેત્ર તરીકે નિરૂપાયું છે. ધિંગી, નરવી, સર્વાંગી ક્ષાત્ર-પ્રતિભા ધરાવતા કોઈ પણ રાજાને વિનિશીપુ (વિજયાકાંક્ષી) એવું સૂચક બિરુદ અપાયું છે. તેવા રાજાના દૃષ્ટિકોણથી શત્રુ, મિત્ર, મધ્યમ અને ઉદાસીન – એવાં વિશેષણોથી ઓળખાતા અન્ય પડોશી રાજાઓ રાજકીય પુરુષાર્થને મહત્તમ ચાલના આપનારાં કેન્દ્રો છે; બીજી રીતે કહીએ તો મહત્તમ જાગૃતિવાળો દષ્ટિવ્યાપાર અને ઉપાયવ્યાપાર પ્રેરનારા રાજકીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy