SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કે વ્યાવસાયિક શુદ્ધ આર્થિક વ્યવહારો અને આખા રાષ્ટ્રની પ્રજાઓમાં નિત્યની સહયોગિતા અને એકરસતા પેદા કરે તેવા દ્રષમુક્ત સર્વ સામુદાયિક વ્યવહારો પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દષ્ટિએ ગ્રંથનું ત્રીજું અધિકરણ – થર્મસ્થીયમ્ (ન્યાયાધીશના કર્તવ્યો) – આવી સામાજિક સંવાદિતાનું સ્થાપન થાય તેવાં વિવિધ સામાજિક ક્ષેત્રો અને પાસાંઓને લગતા સુચિતિત કાયદાઓનું ઘણી ઝીણવટથી અને સમગ્રતાથી નિરૂપણ કરે છે. કાયદા માટે પ્રાચીન-ભારતીય સુપ્રતિષ્ઠિત “ધર્મ' શબ્દ હતો. ભારતીય ધર્મસૂત્ર-સાહિત્ય અને તે પરથી રચાયેલા ધર્મશાસ્ત્ર-ગ્રંથો મુખ્યત્વે આવા વાસ્તવમાં અમલી કાયદાઓનું નિરૂપણ કરે છે. તે જ સામગ્રી પાછળથી દેશ-કાળ મુજબના ફેરફારો ઝીલતા રહીને મનુસ્મૃતિ, યશવર્ચસ્કૃતિ જેવા પદ્ય, લોકભોગ્ય ગ્રંથરૂપે વ્યક્ત થઈ. મુખ્યત્વે તેને જ આધારે વીસ અધ્યાયનું ત્રીજું અધિકરણ રચાયું છે. ન્યાયાધીશ માટેનો એક પરંપરાગત શબ્દ હતો પ્રાદ્ધિવ (પ્રદ્ + વિવી અર્થાત્ પ્રશ્નો પૂછનાર + વિવિધ ઊલટતપાસ કરનાર). તેને સ્થાને કૌટિલ્ય વધુ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત ધર્મથ શબ્દ ન્યાયાધીશ માટે કદાચ નવેસર પ્રયોજીને ન્યાયકાર્યની ધર્માશ્રિતતા ઉત્તમ રીતે પ્રગટ કરી છે. ધર્મ એટલે કે ન્યાયી કાયદાના પ્રવર્તન માટે જે ન્યાયાધીશના Dિરાસને બેસે તે ધર્મસ્થ. કદાચ “જે પોતે ધર્મમાં સ્થિત હોય' એ અર્થ પણ સાથે અભિપ્રેત હોય. ન્યાયાધીશનું નિર્મળ, ધર્મપાલક જીવન જ એને ન્યાય તોળવાનો સાચો, ઠરેલ અધિકારી બનાવી શકે. આજે પણ ન્યાયાધીશની તટસ્થતા, વિદ્વત્તા, ઉચ્ચ સંસ્કારિતા ઠીક-ઠીક જળવાઈ રહી છે. આ ત્રીજા અધિકરણના પ્રથમ અધ્યાયમાં સમગ્ર ન્યાયવિધિનું ખૂબ સુસંગત, સ્પષ્ટ અને વિગતવિસ્તારવાળું વર્ણન છે. બાકીના ૧૮ અધ્યાયો પૈકી ત્રણ અધ્યાયોમાં દાંપત્યનાં વિવિધ પાસાંઓનાં નિયમનોનું ક્રમિક વર્ણન, પછી વારસાહક્કનાં નિયમનો અંગેના ત્રણ અધ્યાય, સ્થાવર મિલ્કતોના ભોગવટા માટેના નિયમનો સંબંધી ત્રણ અધ્યાય, દેવા અને થાપણના પરસ્પર-સંબંધિત વ્યવહારોના નિયમન માટેનો એક-એક અધ્યાય, માલિકના દાસ અને સેવક સાથેના વહેવારો અંગેનો દોઢ અધ્યાય, વ્યાવસાયિક ભાગીદારીના ન્યાયી વહેવારો અંગે અર્થો અધ્યાય, ખરીદ-વેચાણની શિસ્ત સંબંધી એક અધ્યાય, દાન-વેચાણ-માલિકી અંગેની અનિયમિતતાઓનાં નિયમનો વિષેનો એક અધ્યાય, તીવ્ર ઠેષ પર આધારિત ત્રણ દોષક્ષેત્રો – વાચિક દ્વેષ, કાયિક દ્વેષ અને ઉઘાડી લૂંટ – ને લગતા એક-એક અધ્યાયો ને છેવટે જુગાર, હોડ અને અન્ય પ્રકીર્ણ વ્યવહારો અંગેના અપરાધોને લગતો એક અધ્યાય - એમ કુલ વીસ અધ્યાયો સમકાલીન સમાજના જીવનનું વાસ્તવિક ચિત્ર પણ આડકતરી રીતે રજૂ કરે છે. ત્રીજા અધિકરણની જેમ ચોથું વટવલશોધન અધિકરણ પણ રાષ્ટ્રના સભ્ય સમાજને છાજે તેવાં કડપદાર દઢ નિયમનોને લગતું છે. પણ બંને અધિકરણના વિષયવસ્તુમાં ભેદ એ છે કે ત્રીજું અધિકરણ સામાન્ય મનુષ્યોના બનેલા સમાજમાં સંભવતા અપરાધો નિરૂપે છે, ત્યારે ચોથું અધિકરણ ઉઘાડી કે ગુપ્ત રીતે સમાજ-વિઘાતક આચરણ કરની વ્યક્તિઓ દ્વારા આચરાતા વધુ ગંભીર અને ગૂંચવણભર્યા અપરાધોનું નિયમન કરે છે. તે મુજબ ચોથા અધિકરણના ઉક્ત શીર્ષકનો અર્થ છે: કાંટાઓનું નિવારણ. આમાં કષ્ટ શબ્દ રૂપકાત્મક છે. શરીરમાં પેઠેલા કાંટાની જેમ સમાજને તીવ્ર પીડા કરનારાં અસામાજિક સમાજઘટકોને અહીં “કાંટા' કહ્યાં છે. આગલા અધિકરણમાં એવા કાયદાઓનું નિરૂપણ છે, જેમાં અપરાધ-સંબંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy