SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ભૂમિદત્ત અનેક ચીજોની માનવીય ખિલવટનાં – અનેક ક્ષેત્રોનું અનુભવ-સમૃદ્ધિથી ભરપૂર એવું નિરૂપણ આ અધિકરણમાં આકાર પામ્યું છે. આજે જેમ રાષ્ટ્રપોષક પાયાની પ્રવૃત્તિનાં નિગમો, સંસ્થાનો (કમિશન, કૉર્પોરેશન) રચાય છે અને તેના અલગ-અલગ નિયામક નિમાય છે, તેમ તે વખતે પણ વિવિધકાર્યક્ષેત્રીય અધ્યક્ષો નિમાતા. અધ્યક્ષપ્રવાર શીર્ષકનો અર્થ છે આવા વિવિધ અધ્યક્ષોનાં કાર્યક્ષેત્ર(પ્રવાર)નું નિરૂપણ. આગળ કહ્યા મુજબ કૌટિલ્યે આ શાસ્ત્રને આપેલા ‘અર્થશાસ્ત્ર' નામનો કેવો અખૂટ મહિમા છે તે આ અધિકરણથી સારી પેઠે સમજાય છે. કાલિદાસે રાજા માટે રઘુવંશમાં એક સ્થાને અર્થપતિ: પર્યાય વાપર્યો છે એમાં પણ આ જ વસ્તુસ્થિતિનું પ્રતિબિંબ પડે છે. આમાં અર્થપ્રવૃત્તિનો સુદૃઢ અને છિદ્રરહિત પાયો રચવા માટે કેટલીક અગત્યની આર્થિકસંગઠનલક્ષી કામગીરીઓ રાજ્યતંત્ર દ્વારા સીધા નિયુક્ત કરાયેલા રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીઓ અને તેમની વિશિષ્ટ કાર્યક્ષેત્ર દ્વારા નિપુણ રીતે સિદ્ધ કરાય છે. સન્નિધાતા, સમાહર્તા, અક્ષપટલ નામે રાષ્ટ્રીય હિસાબ તેમ જ હિસાબ-તપાસ (audit) માટેના કાર્યાલયના નિયામક, પણ્યાધ્યક્ષ (પુરવઠામુખ્યાધિકા૨ી), માપતોલ-મુખ્યાધિકારી, મુદ્રા એટલે કે ઓળખપત્રો (સ્થાનિક ‘પાસપોર્ટ') આપનાર ઉપરી (‘મુદ્રાધ્યક્ષ’), શુલ્કાધ્યક્ષ (વેપારી માર્ગે માલ-પરિવહનનો કર ઉઘરાવનાર નિયામક) જેવા અનેક અધિકારીઓ રાષ્ટ્રની મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિનું ન્યાયી વ્યવસ્થાપન કરે છે. રાજ્યની કોશની સમૃદ્ધિ અર્થે સુવર્ણાધ્યક્ષ અને પરીક્ષણપૂર્વક રત્નસંગ્રહ કરનાર ઉપરી, ઉપયોગી અને કીમતી ખનીજદ્રવ્યોની ખાણોનાં સ્થાપન-નિયમન કરનાર આકરાધ્યક્ષ, જંગલ-પેદાશોનું વ્યવસ્થાપન કરનાર ‘કુપ્પાધ્યક્ષ', ખેતી-પશુપાલન-વસ્ત્રનિર્માણ-ગોચરક્ષેત્ર(વીવીત)ના અલગ-અલગ અધ્યક્ષો, જળમાર્ગે આવન-જાવન માટે નાવધ્યક્ષ, ઉપરાંત પ્રજા-વર્ગોની માંગના સંદર્ભે સુરાનિર્માણ, માંસનિર્માણ તેમ જ ગણિકાસંસ્થાના અધ્યક્ષો, સેનાનાં ગજાદિ ચારે અંગોના અલગ અધ્યક્ષો, સેનાપતિ, રાજધાનીના નાગરિક-જીવનના નિયમન માટે ‘નાગિરક' નામનો મુખ્યાધિકારી – આવા અનેક સુપરીક્ષિત, કસાયેલ અધ્યક્ષો રાષ્ટ્રના અર્થતંત્રના તે-તે ક્ષેત્રને સંગીન રીતે ધમધમતું રાખી રાષ્ટ્રને સમૃદ્ધ કરે છે. આ બીજા અધિકરણના આરંભે સાત રાજ્યાંગો પૈકીના સૌથી વધુ વિસ્તાર ધરાવતા ‘જનપદ’ (રાષ્ટ્ર કે તળ વસ્તીપ્રદેશ) નામના અંગના નવેસર સ્થાપન અંગેની તેમ જ આર્થિક-સામાજિક નિયમન અંગેની માર્મિક માર્ગદર્શક વાતો છે. એ જ રીતે ‘દુર્ગ’ નામના અન્ય રાજ્યાંગના અન્વયે બે અધ્યાયોમાં ઘણી માર્ગદર્શક અનુભવાશ્રિત સામગ્રી અપાઈ છે – જે પૈકીના આગલા અધ્યાયમાં મનુષ્યકૃત દુર્ગ(કિલ્લા)ના નિર્માણ અંગેની વિસ્તૃત દોરવણી અને પાછલા અધ્યાયમાં કિલ્લાની અંદર આવેલી રાજધાનીના નગર-આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા છે. પછીના બે અધ્યાયોમાં થઈ રાજ્ય-કર્મચારીઓની કામચોરી અને દામચોરીની રીતોનું અનુભવાશ્રિત વિસ્તૃત દિગ્દર્શન છે અને તેને અટકાવવાના અનુભવસિદ્ધ ઉપાયોનું બોધક વર્ણન છે. રાજા માટે કૌટિલ્યે ખાસ પ્રયત્નથી તૈયાર કરેલું, રાજનૈતિક પત્રના આદર્શની સર્વાંગી ચર્ચા કરતું અનોખું પ્રકરણ પણ દસમા અધ્યાયમાં છે, જેની છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું. = ૨૭ જેમ અર્થોત્પાદન-પ્રવૃત્તિ પોતે પણ ઘણી ઘનિષ્ઠ શિસ્ત માગે છે, તેમ તેની ખૂબ જરૂરી પૂર્વભૂમિકારૂપે બહુમુખી સામાજિક સંવાદિતા, તે સામાજિકતાને જ ખૂબ સારી રીતે મૂર્ત કરનારા કૌટુંબિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy