SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સુંદર છે, પણ કેળવણીની ગતિ એ ઉચ્ચતર દિશામાં કરાઈ રહી છે કે ભયાનક અધોગતિની દિશામાં ?) જેમ “ધાર્મિકો વિના ધર્મ નહિ” (ન ધર્મો ધાર્મિવૈવિના ) તેમ ભૂમિ-સમૃદ્ધિના સાથમાં ધિંગી બની રહેતી પ્રજા વિના રાષ્ટ્ર અધોગામી જ બને એમાં શક નથી. વ્યાકરણ દ્વારા મનુષ્યવતી શબ્દ-પ્રયોગ તપાસતાં પણ આ જ વાત ફલિત થશે. વત્ (સ્ત્રીલિંગમાં વતી) પ્રત્યય ‘પ્રાશસ્ત્ય’ (ઉત્તમતા) સૂચવવા પણ વપરાતો હોય છે જે શબ્દને તે પ્રત્યય લગાડો તે શબ્દથી સૂચવાતી વસ્તુની ઉત્તમતા; દા.ત. ધનવત્ એટલે પુષ્કળ કે ઉત્તમ ધન ધરાવનાર. તે જ રીતે મનુષ્યવતી એટલે ‘જેમાં પુષ્ટ અને ધિંગા એવા ઉત્તમ મનુષ્યો છે તેવી’ – એવો અર્થ થાય. - આ પ્રયોગમાંથી બીજો બોધક અર્થ એ પણ નીકળે છે કે મનુષ્યના નિત્યના જાગૃત અને દક્ષતાપૂર્ણ પુરુષાર્થ વિના ધરતીમાં છુપાયેલી, એવી લક્ષ્મી કે સમૃદ્ધિ કે જે માનવ અને અન્ય જીવોના નિત્યના જીવનને પ્રતિષ્ઠિત કરનારી હોય, તે પ્રગટ થતી નથી. વિપુલ સૃષ્ટિ-અવલોકન, સૃષ્ટિ-નિયમો સમજવાની વેધક કોઠાસૂઝ, જ્ઞાત સૃષ્ટિની વિવેકી ખિલવટ, ખિલવેલી સૃષ્ટિનું માપસરનું – સૃષ્ટિ ખમે અને ક્ષીણ ન થાય તેટલું – દોહન, પ્રાપ્ત પ્રાકૃતિક દ્રવ્યોનું, શક્ય હોય તેટલા પ્રમાણમાં તેમનું મૂળ સ્વરૂપ જાળવીને સેવન, અન્ય પ્રાકૃતિક દ્રવ્યો ૫૨ જરૂર પ્રમાણેની લઘુતમ પ્રક્રિયા કરીને જીવનોપયોગી સ્વરૂપે રૂપાંતર અને એવી ઉપયોગી ચીજોનું સર્વલોકવ્યાપી વિતરણ – આવાં અસંખ્ય કામો નિપુણ મનુષ્યવ્યાપારની રાહ જુએ છે. એમાં એકેએક પરિવારની ઉચ્ચાવચ દક્ષતાવાળી વ્યક્તિને અનુરૂપ કાર્યવિધિમાં પરિવારનિર્વાહક્ષમ રોજગારી મળવી ઘટે; એટલે કે ધરતીનાં કુલ ક્ષમતાયુક્ત નરનારીઓની (અને કાર્યક્ષમ પશુઓની) સામૂહિક શ્રમશક્તિથી ઉપયોગી ચીજોનું નિર્માણ (production by masses) થવું જોઈએ – એ પણ અત્યંત મહત્ત્વની પાયાની વાત ધ્વનિત થાય છે. આમ મનુષ્યવતી પ્રયોગ દ્વારા ‘સર્વકોઈ મનુષ્ય ભૂમિ પરની આરાધ્ય વિભૂતિ છે' એ મૂલ્યવાન્ વાત પણ કહેવાઈ છે. કોઈને આમાં થયેલી અન્ય જીવો – પશુ, પંખી, જળચરો આદિ – ની બાદબાકી કદાચ ખૂંચે તો એનું વાજબી સમાધાન એ છે કે અહીં મનુષ્યનો ઉલ્લેખ વસ્તુઓના મુખ્ય નિર્માતા રૂપે સમજવો ઘટે, એકમાત્ર નિર્માતા અને ઉપભોક્તા તરીકે નહિ. ઉપભોગ તો સ્વસ્થ મનુષ્ય યથાશક્તિ પોતાની પ્રિય શેષ જીવસૃષ્ટિમાં વહેંચીને જ ક૨શે એ વાત ગૃહીત સમજવી. વળી આ શબ્દપ્રયોગથી સુશિક્ષણ દ્વારા મનુષ્યના કૌશલોની વ્યાપક ખિલવટની આવશ્યકતાની વાત પણ સૂચવાય છે. ૨૩ આમ કૌટિલ્યે આપેલો ઞર્થ શબ્દના ખરેખરા હાર્દને ખુલ્લું પાડતો વિશિષ્ટ અર્થ જાણ્યા પછી ‘ઊર્થશાસ્ત્ર' શીર્ષકનો તેમણે આપેલો અર્થ જોઈએ. : ઞર્થ એટલે મનુષ્યવસ્તીવાળી ભૂમિ; તેના લાભ એટલે કે ભોગવટા કે અધિકારના અને તેના પાલન અર્થાત્ રક્ષણ અને પોષણના ઉપાયરૂપ શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર. આ અર્થઘટન પણ આ સુવિદ્વાન્ની ઠરેલ સમજણનું પ્રતિબિંબ પાડે છે. આમાં ‘અર્થશાસ્ત્ર’ ભૂમિ સાથે સંબંધિત બે પુરુષાર્થોના ઉપાયોનું ચિંતન કરે છે – એમ કહેવાયું છે. ભૂમિનો ામ એટલે તે પરનો માલિકી-હક કે તે પર શાસન કરવાનો હક. એ કાંઈ અન્યની જમીન માત્ર હડપ કરી લેવાથી સ્થાયી રૂપે મળતો નથી, પરંતુ રાજ્યકર્તાના ગુણસમૂહ પર આધારિત પ્રતાપ અને આજ્ઞા-સ્થાપન-શક્તિ દ્વારા સાંપડે છે. આમ અહીં તામ શબ્દ સામર્થ્યજનિત અધિકાર કે વિશુદ્ધ કર્તવ્યપૂર્તિના સાધનરૂપ અધિકાર – એવો ગૌરવપૂર્ણ અર્થ ધરાવે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy