SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ માદરેલું રાક્ષસ-વશીકરણ-કર્મ અને ગાંધીએ સ્વરાજયની ઘડીએ અંગીકારેલો નોઆખલી-શાંતિસ્થાપનરુષાર્થ – બંને સમાન રીતે સત્તામાંનરપેક્ષ, સ્વાર્થરહિત અને કર્તવ્યનાં સ્થૂળ-સૂક્ષ્મ સર્વ અંગો બાબત જ જાગૃત અને ઉઘત જણાય છે. પોતાના ‘ભવ્ય સાફલ્ય’ને ટાણે અભિનંદનોની ‘ભવ્ય’ કહેવાતી ઝડીઓ ઝીલવાની સ્ટેજ પણ રુચિ બેમાંથી એકેયને નથી ! બંન્નેમાં જે બાહ્ય ફેર છે તે તે-તે કાળની ભિન્ન પરિસ્થિતિ, ભિન્ન વૈચારિક ઉત્ક્રાંતિને કારણે છે. પણ બંનેનું સત્ત્વ સમાન રીતે પારમાર્થિક, નિરહંકાર, શોલાલસા વિનાનું, નિર્મોહપણે લોકસંગ્રહપરાયણ જણાય છે. ગાંધીજીએ આખી સ્વાતંત્ર્ય-વીર કૉંગ્રેસને માટે સત્તાથી અળગા રહેવાની પાકી સમજણ કેળવીને સંકલ્પદઢતા સાથે લોકસેવકસંઘરૂપે પરિવર્તિત થવાની સોનેરી ભલામણ, પોતાની હત્યાના દિવસે જ, અસંદિગ્ધપણે લિખિત સ્વરૂપે તૈયાર કરી હતી. શ્રીકૃષ્ણ પણ આ જ પંથના પ્રવાસી રાજા ન બનતાં રાજસ્થાપક (Kingmaker), રાજનિયામક અને સ૨વાળે લોકસંગ્રહરત જ બની રહેવામાં ખરી કર્તવ્યપૂર્તિ અને ધન્યતા સમજનાર ! - કૌટિલ્ય વિષે આટલી પાયાની જાણકારી અને સમજણ સાથે તેમના ગ્રંથનો પ્રાથમિક પરિચય મેળવવાથી તેનું આપણે નિર્ધારેલું દ્વમુખી પ૨ીક્ષણ સ૨ળ, અર્થપૂર્ણ અને આત્મવિકાસસાધક બની રહેશે. ૨૧ કૌટિલીય અર્થશાસ્ત્ર’ : પરિચય ગમે તે કારણોથી વચગાળામાં અદશ્ય થયેલો આ ગ્રંથ આધુનિક સમયમાં ઈ.સ.૧૯૦૯માં શ્રી ખાર. શામશાસ્ત્રી દ્વારા શોધાઈને પ્રકાશિત કરાયો, ત્યારથી ભારતમાં અને પરદેશમાં એની આસપાસ અનેક અભ્યાસો થઈ રહ્યા છે અને પ્રકાશિત પણ થઈ રહ્યા છે. શીર્ષક : આ ગ્રંથનું ‘અર્થશાસ્ત્ર’ એવું નામાંકન, તે શબ્દના, જીવન-સંદર્ભ ગુમાવી ચૂકેલા આજના પ્રચલિત ખર્થથી સ્વરૂપતઃ ભિન્ન, તેનાથી વધુ વ્યાપક ક્ષેત્ર અને અનેક અનુબંધો ધરાવનારું અને મનુષ્યકેન્દ્રી છે. બેમાંનો અર્થ શબ્દ, મૂળમાં તો ‘ત્રિ-વર્ગ’ (ત્રણનું જૂથ) કહેવાતા ત્રણ લૌકિક પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ પૈકીના ‘અર્થ’-પુરુષાર્થના અર્થમાં છે; તે પુરુષાર્થની સિદ્ધિ માટેનું શાસ્ત્ર તે ‘અર્થશાસ્ત્ર’. પરંતુ શબ્દોને નૂતન રચનાત્મક રીતે પ્રયોજી જાણનાર કૌટિલ્યે આ શાસ્રનામને વિશિષ્ટ રીતે સમજાવીને એ દ્વારા અર્થ-પુરુષાર્થ સાથે ગાઢ સંબંધ ધરાવતું એનું ચોક્કસ અને કાર્યસાધક એવું લૌકિક કાર્યક્ષેત્ર પણ તારવી આપ્યું છે. (કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો તેમણે અહીં ‘અર્થ’ શબ્દને કારણમાં કાર્ય જોતી ‘લક્ષણા’ નામની શબ્દશક્તિથી ઘટાવ્યો છે.) Jain Education International અર્થ શબ્દનો પ્રાથમિક અર્થ (-ૠતિ - એ ‘જવું’ અર્થના ધાતુને આધારે) ‘ઇન્દ્રિયો જેની પાસે પહોંચે છે તે' એટલે કે ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુઓ – એવો થાય. પરંતુ અર્થ (અર્થયતે ઇચ્છવું, માગવું) ધાતુ પરથી બનેલો અન્ય ગર્થ શબ્દ, જેનાથી નિર્વાહ થઈ શકે તેવી વસ્તુઓ માટે વપરાય છે; અહીં એ પ્રસ્તુત છે. તે દૃષ્ટિએ કૌટિલ્યે વધુ ચોક્કસ અર્થ આપવા માટે અર્થ શબ્દનો અર્થ ‘ગુજરાન ચલાવતી વસ્તુઓ’ને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy