SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અર્થશાસ્ત્રમાં પોતાના ક્ષેત્રના પૂર્વાચાર્યોના અત્યંત ઘોર કે કુટિલ મતો, રાજનીતિનાં અનેક મુદ્દા કે પાસાંની ચર્ચા કરતાં ડગલે-પગલે આપેલા છે, અને તેની સામે પોતાના ઠરેલ, માનવતાપોષક મત તેતે સ્થળે નમ્રભાવે રજૂ કર્યા છે. કૌટિલ્ય, સરવાળે, બુદ્ધિનું શરણ લેવાની ગીતાની વાતને નિરંતર અનુસરતા હતા – એ વાત બીજા વ્યાખ્યાન વખતે વિગતે જોઈશું. પણ વિશાખદત્તે ય આ આંતરપ્રવાહની નોંધ, જયારે શિષ્ય ચંદ્રગુપ્તના પક્ષના અનેક સેવકો શત્રુપક્ષમાં ચાલ્યા ગયા હોવાના સમાચાર લાવી-લાવીને પોતાની આકુળતા બતાવે છે, ત્યારે કૌટિલ્યના મુખમાં મુકાયેલી આ ધન્ય ઉક્તિ દ્વારા બરોબર લીધી છે: “કાર્યની સિદ્ધિની પ્રક્રિયામાં સેંકડો સૈન્યોથી ય અધિક અને નંદોને ઉખેડી ફેંકવામાં જેના સામર્થ્યનો મહિમા પ્રત્યક્ષ થયો છે એવી એક મારી બુદ્ધિ જશો મા.”૧૪ કૌટિલ્ય, એકંદરે વ્યવહારુ આદર્શજીવી હતા. પોતાની અતિ ગહન વાસ્તવદર્શિતાને કારણે, તેઓ માનવમનની, ઝટ પકડવી કઠિન એવી જટિલતા અને તજન્ય પ્રાસંગિક ઘોર કુટિલતા પણ જોઈ લેતા, અને જરૂરિયાતના માપમાં નિઃશંકપણે આત્મસંરક્ષક કુટિલ યુક્તિ-પ્રયુક્તિઓને ન્યાપ્ય અને અનિવાર્ય માનીને પ્રયોગમાં મૂકતા. પણ પ્રસંગે ઉપેક્ષાને પણ ઉપાયરૂપે અંગીકારવામાં માનતા. એકંદરે પોતાના સમય સુધીમાં વારસારૂપે મળેલી રાજનીતિને તેઓએ આદરથી સ્વીકારેલી જરૂર; પણ એમનામાં ઊંડે-ઊંડે ધર્મ અને અધ્યાત્મ બંને પ્રત્યેની દઢ નિષ્ઠા પડેલી હતી. એથી તેમણે સત્યશોધક વ્યક્તિ માટે કાયમી વ્યવસાય તરીકે (ગાંધીકુળની જેમ) રાજનીતિકાર્ય અયોગ્ય માનેલું. રાજનીતિ ખેલી જાણીને પણ, રાજનીતિને દૂર રહ્યાં-રહ્યાં અસાધારણ ચારિત્રબળથી અંકુશમાં રાખવાનું અને વ્યવહારુ સ્વપ્નદ્રષ્ટા તરીકે સમગ્ર રાજનીતિનું કે માનવપ્રકૃતિનું ઊર્ધીકરણ કરવાનું પણ તાકતા હોવા જોઈએ – એ વાત આપણે આગળ ઉપર “અર્થશાસ્ત્રના પરીક્ષણ-પ્રસંગે જોઈશું. આ રીતે જોતાં તો કૌટિલ્યને કાળભેદે ગાંધી-વલ્લભકુળના રાજપુરુષ કે મહામાનવ માનવાનું ન્યાપ્ય લાગે છે.સાચા રાજપુરુષની સંકુલ લોકકલ્યાણકારી પ્રતિભાનો એક ખૂબ અગત્યનો અંશ છે આત્મગૌરવસ્થાપક, સત્યસ્થાપક છતાં વૈષમુક્ત એવો પ્રતાપ કે “મન્યુ' (પુણ્યપ્રકોપ) – જે સરવાળે શત્રુને પણ પાવન કરી સહુને સત્યમાં પ્રતિષ્ઠિત કરે છે. ગાંધીજીમાં પણ એ પ્રતાપ જ દેશકાળાનુરૂપ અભિનવ સ્વરૂપે – શાંત પણ વિજયી સ્વરૂપે – નિરવધિ ક્ષમા અને પ્રેમથી મિશ્રિત રૂપે જોવા મળે છે. પશ્ચિમના ઍરિસ્ટોટલ, મૅકિયાવેલી આદિ રાજપુરુષો સાથે તુલના કરતાં પણ કૌટિલ્યમાં પરમાર્થચિજન્ય સમતુલા અને ગરિમા (મોટાઈ) ચઢિયાતી જ જણાઈ આવે. કૌટિલ્યની વિશિષ્ટ કુટિર, વળી જરૂરી રાજનૈતિક પરિવર્તન પોતાના જમાનામાં શક્ય અને સરવાળે વાજબી ઠરે તેવા ઉપાયથી સફળ રીતે પાર પાડીને છેવટે રાજકાજ અને સત્તાથી પર થઈને રચનાત્મક રીતે ધાર્મિક-આધ્યાત્મિક જીવન ખિલવવાની ઉત્કટ તમન્ના, ને તેમ છતાં પોતે આણેલા પરિવર્તનને ચિરસ્થાયી બનાવવા માટે અને રાજવંશીય ક્રાંતિને લોકમાન્ય અને લોકહિતકર માનવીય સ્વરૂપની બનાવવા માટે જરૂરી પૂરક મહાપુરુષાર્થ પણ કરવા બાબત દિલચોરી વિનાનો સફળ ઉદ્યમ – આવા પાયાના મુદ્દે કૌટિલ્યનું ગાંધી સાથેનું સામ્ય ખૂબ જ સૂચક અને બોધક છે. કૌટિલ્ય એ હેતુસર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy