SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલુંઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૧૯ કૌટિલ્ય ખેલેલા, અને તેમનું રાજનૈતિક અને જીવનલક્ષી વિચારજગતું કેવું લચીલું, પ્રગતિશીલ અને ઉદાર હતું, તેનું વિસ્તૃત નિરૂપણ વિશાખદત્તે પ્રયોગવીરો માટે કર્યું છે. “અર્થશાસ્ત્રમાં રાજનીતિના વક્તા તરીકે ઊપસતા કૌટિલ્ય તેની અગાઉ રચનાત્મક રાજનૈતિક ખેલ ખેલીને રાજનીતિના પ્રયોક્તા તરીકે પ્રસિદ્ધ થયેલા. “અર્થશાસ્ત્ર'માં ગણાવાયેલી રાજાએ જાણવી જરૂરી ચાર વિદ્યાઓ પૈકીની “વાર્તા'-વિદ્યા અને દંડનીતિવિદ્યા, રાજાએ તે બંને વિદ્યાનો પ્રયોગ કરી ચૂકેલા સુનિપુણ વક્તા પાસેથી (વસ્તૃપ્રયોજ્જુ પાસેથી) શીખવી – તેવી પોતે જ કહેલી વાત, કૌટિલ્ય “અર્થશાસ્ત્રના વક્તા અને પ્રયોક્તા એમ બંને બની રહીને બરોબર પાળી બતાવી છે ! કૌટિલ્યની અંતરંગ નમ્રતા અને હૃદયની સહજ કોમળતા નાટકના પ્રથમાંકમાં જ શિષ્ય પ્રત્યેની તેમની નાનકડી પણ નાજુક ઉક્તિ પરથી પ્રગટ થાય છે. તેઓ જ્યારે કાર્ય-વ્યગ્રતાના માર્યા શિષ્યને બેસવાના આસન વિષે આકળા થઈ પૂછે છે, ત્યારે શિષ્ય એ ખંડમાં વેત્રાસન ગોઠવેલું જ છે તે બતાવે છે. તે વખતે કૌટિલ્ય પોતાની અધીરાઈથી નાનકડો શિષ્ય પણ ઓછું આણે નહિ, તે માટે કહે છે : “કાર્યવ્યગ્રતા જ અમને આકુળ બનાવે છે, નહિ કે સામાન્યતઃ ઉપાધ્યાયમાત્રમાં હાજર હોય એવી તોછડાઈ.૧૩” અન્ય પ્રસંગે જ્યારે રાજનૈતિક મજબૂરીને કારણે કોઈ નિર્દોષ સેવકનો (વૈરોચકનો) ય જાન લેવાનું બન્યું, ત્યારે તે મરનાર માટે “તપસ્વી' ('બિચારો') શબ્દ વાપરવામાં પણ એમના ચિત્તની અંતરંગ કોમળતા અને વ્યર્થ હિંસા બાબતની નાપસંદગી વ્યક્ત થાય છે. નાટકના ત્રીજા અંકમાં ચંદ્રગુપ્તનો કૌટિલ્ય માટેનો ભર્યો-ભર્યો આદર ખૂબ ઘૂંટવામાં આવ્યો છે. તેમના પ્રતાપથી જ પોતાને અકલ્પિત રીતે આવું ઊંચું રાજાધિરાજનું પદ મળ્યું હોવા છતાં, તેઓ મંત્રી તરીકે અને ગુરુ તરીકે પોતાનું (= ચંદ્રગુપ્તનું) પૂરેપૂરું ગૌરવ જાળવવા ઉપરાંત પોતાનામાં રાજપદને યોગ્ય આત્મવિશ્વાસ ઉત્તમ રીતે પોષાય તે માટે પોતાને નિર્ણયસ્વાતંત્ર્ય અને કર્મસ્વાતંત્ર્ય પણ આપે છે; માત્ર ભૂલ થતી હોય ત્યાં જ રોકે છે – એમ ચંદ્રગુપ્ત કહે છે. પોતાને સંબોધતાં કૌટિલ્ય પોતાને પોતાની હીન-જાતિના વાચક અડવા (નર્મા) વૃષલ' શબ્દથી જ બોલાવે તેમાં પણ, પોતાની કોમ પ્રત્યે આત્મીયભાવ અનુભવતા (!) ચંદ્રગુપ્તને સહેજ પણ અપમાન નથી લાગતું. પોતાના આ વત્સલ, ઉદ્ધારક વડીલ સાથે, એમની જ આજ્ઞાથી, જ્યારે રાજાને કલહનું માત્ર નાટક કરવાનું હોય છે, ત્યારે પણ તેને જે ખેદનો તીવ્ર અનુભવ થાય છે, તે ગુરુની ભરી-ભરી મહાનુભાવતાનો જ પડઘો છે. આવા મહાનુભાવે પોતાની પ્રતાપી પ્રકૃતિ મુજબ વ્યવહારમાં સાચે જ પ્રયોજેલી અને પોતાના ગ્રંથ દ્વારા પ્રબોધેલી, ઉપલક દૃષ્ટિએ કપટજાળ પ્રધાન લાગતી રાજનીતિને કારણે તેઓ કુટિલમતિવાળા હોવાની વાયકા વ્યાપક હતી. પણ કૌટિલ્યનું અંતરંગ જાણનાર તેવું માને નહિ જ. આથી વિશાખદત્તે નાટકના આરંભે (‘પ્રસ્તાવના'-દશ્યમાં) કૌટિલ્યના પ્રવેશ વખતે જ આ લૌકિક છાપ, સૂત્રધારના મુખમાં તેમને માટે કુટિનમતિઃ વિશેષણ વાપરીને વ્યક્ત કરી છે. વળી ત્યાં “કોટિલ્ય' નામના ઉચ્ચાર સાથે જ નટી ભયનો અભિનય કરે છે એવી રંગસૂચના પણ આપી છે. આ બધું નાટ્યકારે માત્ર પૂર્વપક્ષરૂપે જ બતાવ્યું છે. પણ આખા નાટક દરમિયાન કૌટિલ્યની ઋજુમતિ જ ક્રમશ: છતી કરવામાં આવી છે; અને એ જ સાચી સમજ છે, તે તેમણે રચેલા આ ગ્રંથના સમતોલ અધ્યયનમાંથી તારવી શકાય છે. કૌટિલ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy