SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સીમાડાઓ સારી પેઠે વટાવી ચૂકેલા પૂરા પ્રજાભક્ષક રાજવંશને ઉચ્છેદવાનો વિધિદત્ત સંકેત પારખનાર રૂઢિમુક્ત ક્રાંતદ્રષ્ટારૂપે તેઓ આ પ્રસંગે ઊપસી આવ્યા. તેથી તેઓ વર્ણવ્યવસ્થાનો આદર ગીતાનિર્દિષ્ટ સ્વરૂપે કરતા હોઈ સમયધર્મ નિઃશંક રીતે જોઈ શક્યા. રાજ્ય થોડા સમય માટે પણ રાજા વિનાનું હોય તો મહાન્ અનર્થો સંભવી શકે તે તેઓ બરોબર સમજતા હતા. એમ લાગે છે કે આ ઘટનાથી ઘણા સમય અગાઉ તેમણે રાજભવનની ‘મુરા’ નામની દાસીના એક પુત્રની અસાધારણ તેજસ્વિતા, પ્રસંગે પારખી લીધી હશે અને ગીતોક્ત લોકસંગ્રહની ઊંડી રુચિથી એ બાળકને કેળવ્યું પણ હશે. એનામાં વિનય અને પ્રતાપ બંનેની અસાધારણતા પણ પોતાની જબરી કોઠાસૂઝથી પારખી લીધી હશે. આ પૂર્વભૂમિકા સાથે રાજદરબારમાંથી ઉપર્યુક્ત ઘટના બનતાં એમને નંદવંશના ઉચ્છેદ બાદ મગધનો નવો નાથ આપી તેને અરાજકતાથી મુક્ત રાખવાનો માર્ગ પણ સાફ-સાફ દેખાયો હશે. આમ પૂર્ણ પ્રશાશક્તિને અને પૂર્ણ પ્રાણશક્તિને કામે લગાડીને પોતાની સર્વાંગી પ્રતિભા વડે, જગત્ના ઇતિહાસમાં પણ વિરલ ગણી શકાય તેવો પ્રયોગ કૌટિલ્યે સફળ રીતે કર્યો. અગાઉ સૂચવ્યા મુજબ જીવનવ્યાપી સ્થિર વેદનિષ્ઠાને કારણે કૌટિલ્ય માટે રાજનીતિ કે અમાત્યકર્મ પસંદ કરેલો કાયમી વ્યવસાય નહોતો; માત્ર લોકસંગ્રહ અર્થે સાવ જ પ્રાસંગિક રૂપે અંગીકારાયેલું નૈમિત્તિક કર્મ જ હતું. નિષ્ઠાએ તો તેઓ નિત્ય યજ્ઞરત ધર્મદર્શી યાજ્ઞિક હતા. ‘મુદ્રારાક્ષસ’માં આપેલા કૌટિલ્યની કુટિરના વર્ણનમાં, છાપરે સુકાવા મૂકેલાં લાકડાંનો ઉલ્લેખ પણ આ વાતની પુષ્ટિ કરે છે. “જે પુરુષ ક્રિયાવાનૢ છે, તે જ વિદ્વાન્ છે” એ ન્યાયે તેમનો પરંપરાગત યજ્ઞધર્મ પણ, ગીતાએ ચીંધેલા સ્વરૂપના અર્થાત્ લોકનિષ્ઠ એવા ‘યજ્ઞાર્થ કર્મ’માં પરિણત થઈ શકે તેવો ગતિશીલ, અને વળી ગીતાએ જ કહ્યા પ્રમાણે કર્મજન્મ બંધનથી આત્માને બાંધે નહિ તેવો અર્થાત્ ચિત્તલેશરહિત હતો. ૧૭ મુદ્રારાક્ષસમ્ નાટક તેના કર્તા વિશાખદત્તની કૌટિલ્ય વિષેની જાણકારી, કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’ના તેમના ઊંડા અભ્યાસ અને કૌટિલીય પ્રતિભાની તેમની સહૃદય સર્વાંગી પિછાણના આધારે યોજાયેલું જણાય છે; તેથી કૌટિલ્યને સમજવામાં વિશ્વસનીય આધાર બની રહે તેમ છે. વિશાખાદત્ત સામે કૌટિલ્ય વિષેનાં અર્ધ-ઐતિહાસિક, પૌરાણિક શૈલીના કે અનુશ્રુતિરૂપ ચરિતો હોવાનો પૂરો સંભવ છે. બાકી આ નાટકમાં નિરૂપાયેલા કૌટિલ્યના સમગ્ર રાજનૈતિક ઉપાયજાળને જોતાં, તેમ જ તેમાં આવતા અનેક રાજનૈતિક પારિભાષિક શબ્દોને જોતાં, વિશાખદત્તે કરેલું ‘અર્થશાસ્ત્ર'નું તલસ્પર્શી અધ્યયન અભ્યાસીઓને સતત પ્રતીત થતું રહે છે. એટલે કૌટિલ્યની પ્રતિભાને બરોબર આકારવા એ નાટકના ઉપયોગી અંશો જોઈએ. નાટકમાં નિરૂપાયેલા કૌટિલ્યના સમગ્ર કાર્યકલાપ બાબત એક તો એ તથ્ય સ્પષ્ટ થાય છે કે રાજકાજ તે તેમનો પસંદગીનો વ્યવસાય નથી, પણ કેવળ નિર્વ્યાજ કર્તવ્યપૂર્તિ અર્થેનું નૈમિત્તિક કર્મ જ છે. તેમની કુટિરનું નાટકમાં આપેલું આ વર્ણન પણ એ જ વાતને ટેકો આપે છે અને અગાઉ કહ્યા મુજબ શ્રોત્રિય બ્રાહ્મણ તરીકેની જ તેમની જીવનચર્યા સૂચવે છે : “આ છે છાણાં ભાંગવા માટેનો નાનો પથ્થર. આ છે છાત્રોએ આણેલાં દર્ભોની ઝૂડી. સુકાતાં ઇંધણોથી છાપરાના નમી ગયેલા છેડાવાળું શરણ (આશ્રયસ્થાન, ધર) પણ જર્જરિત દીવાલોવાળું છે.૧૨” આ ઘરના દીદાર જોતો કંચુકી (વૃદ્ધ સેવક) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy