SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપાયજાળ દ્વારા, તે શાસનને કાળનો સંકેત દર્શાવીને પ્રજાભિમુખ સુશાસન સ્થાપવાનો ‘લોકસંગ્રહ’ કૌટિલ્યે સાધ્યો. શસ્રબળ પ્રયોજતી વખતે તેથી ય ચઢિયાતું પ્રજ્ઞાબળ વાપરવું પણ જરૂરી હતું. આટલું પર્યાપ્ત ન લાગતાં, માનવજાત માટે કોઈ ચિરસ્થાયી પ્રદાન તેજસ્વી વિચારનું કે સર્વહિતકર બુદ્ધિયોગનું પ્રદાન – મૂકી જવા, ઉદ્ધારક રાજનીતિ બાબતનું પ્રબોધન એક શકવર્તી ‘અર્થશાસ્ત્ર' ગ્રંથ દ્વારા કર્યું. ઇતિહાસના દૂર-સુદૂરના ગાળાઓથી સંચિત થતી આવેલી નિસ્તેજતા અને અકર્મણ્યતાને કારણે પરંપરાગત દંડનીતિવિદ્યાની અતિ દુર્દશા પારખીને, પૂરી અપ્રમત્તતાથી કઠણ પરિશ્રમ અંગીકારીને, કહેવાની વાતમાં કશું ગોળગોળ ન હોય તેવી નિખાલસતાવાળું તેજસ્વી ‘અર્થશાસ્ત્ર’ રચ્યું – જેવા હોય તેવા પૂર્વેના તદ્વિષયક ગ્રંથોને અવગણ્યા વિના, તેમને પૂરા આત્મસાત્ કરીને. ૧૬ અહીં બીજો એક ધ્વનિ પણ ધ્યાન-બહાર ન જવો જોઈએ : ‘જેણે પોતાનાં પગલાંથી જ અગાઉ શાસ્ત્રનો પણ ઉદ્ઘાર કરી દીધો છે, તેણે તે શાસ્ત્રને માત્ર ગ્રંથદેહ જ અત્યારે આપ્યો' એવો ધ્વનિ. ‘શાસ્ત્રનો ઉદ્ધાર કર્યો” એ વિધાનનો મૂળ અર્થ એ કે જે-તે પ્રયોગરૂપી, એટલે કે આચરણરૂપી વિદ્યાને અર્થાત્ એના ભાગરૂપ પ્રવૃત્તિના કે ક્રિયાજાળના સ્વરૂપને અવનતિમાંથી બહાર આવ્યું – તે પ્રયોગાત્મક વિદ્યા શોભે તેવી ઊજળી રીતે તેનો સાચા નૂતન આકારે અમલ કરી બતાવ્યો. કોઈ પણ શાસ્ત્ર મૂળ તો બોધાત્મક અને ક્રિયાત્મક હોય છે. જે-તે શાસ્ત્રનો બુદ્ધિપૂત નૂતન બોધ કેળવીને તેનો અમલ સમુચિત ક્રિયા કે પગલાં દ્વારા કરતાં જરૂરી પરિવર્તનો પણ મૂળ શાસ્ત્ર માટે સૂચવવાં તે જ ખરો શાસ્રોદ્વાર. આગલા ગ્રંથો કરતાં સર્વાંગે વધુ તેજસ્વી વિચારસમૃદ્ધિવાળો ગ્રંથ રચવાનું કામ તો એ ક્રિયાત્મક શાસ્ત્રોદ્વાર બાદનું પૂરક કાર્ય છે. આને બુદ્ધિયોગ, ક્રિયાયોગ અને વાગ્યોગ એ ત્રણેયનો એ ક્રમે કરાયેલો સર્વસમાવેશક પ્રવૃત્તિયોગ કહેવો ઘટે. વળી આની ચાલના મળી છે અમર્ત્ત(પુણ્યપ્રકોપ)માંથી. - કૌટિલ્ય વિષે પરંપરાગત મુખ્ય વિગત આટલી મળે છે. મગધમાંના નંદવંશના ધનનંદ રાજાના દરબારમાં વિદ્વાન્ શ્રોત્રિય (વેદાનુસારી) બ્રાહ્મણ તરીકે તેમને સ્થાન મળેલું. કોઈક વિશિષ્ટ સંજોગોમાં તે રાજા કૌટિલ્ય પર ક્રોધે ભરાયા અને તેમણે અત્યંત ઉદ્ધતાઈથી તેમની ચોટલી પકડીને આસન પરથી ખેંચી કાઢી તેમનું ઘોર અપમાન કર્યું. કૌટિલ્યે સમગ્ર વસ્તુસ્થિતિને પારખીને કોઈ ઘાસના એક ગુચ્છને ધરતીમાંથી ખેંચી કાઢે તેમ નંદવંશને મૂળ સાથે પૂર્ણપણે ઉચ્છેદવાની તત્કાલ ઉગ્ર પ્રતિજ્ઞા લીધી. તેઓ દંડનીતિ ઉપરાંત તેના વિકસિત અવતારરૂપ અર્થશાસ્ત્રના પણ મર્મજ્ઞ હતા, અભિચારવિદ્યા અને અથર્વવેદના જ્ઞાતા અને પ્રયોગવિદ્ પણ હતા અને વખત આવ્યે તેને અજમાવવા જરૂરી આત્મબળ પણ ધરાવતા હતા. આમ તો તેઓ વિશેષે સામવેદજ્ઞ હતા અને યજ્ઞાદિ શ્રૌત (વૈદિક) આચારમાં જ રત (‘શ્રોત્રિય' ) વેદમર્મજ્ઞ પણ હતા. પોતાની ઉચ્ચ શીલસંપત્તિને કારણે માન-અપમાનને સમ કરી જાણનાર અને કામાદિ છ શત્રુઓને જીતનાર પણ હતા. ‘શમપ્રધાન તપોધનોમાં ગૂઢ દાહાત્મક તેજ હોય છે' એ પ્રસિદ્ધ ન્યાય મુજબ જ એમનો નંદવંશી રાજાના પોતાની પ્રત્યેના ઉદંડ વ્યવહાર તરફ બિન-અંગત રૂપે પુણ્યપ્રકોપ જાગેલો. એમણે એ અન્વયે કરેલી પ્રતિજ્ઞા અંગત વેર વાળવાની ક્રિયા ન હોતાં, પોતાની સક્રિય સત્યનિષ્ઠામાંથી જન્મેલી કર્તવ્ય પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાના જ ઉદ્ગારરૂપ હતી. લોભના વાજબી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy