SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ કૌટિલ્ય : ઉપલબ્ધ તથ્યો અને પ્રતિભા-પરિચય ‘અર્થશાસ્ત્ર’માં તેના કર્તાનું નામ ‘કૌટિલ્ય’ o. o. o૦.માં આપેલું છે. ગ્રંથના છેડે, વિદ્વાનો દ્વારા પ્રાયઃ પ્રક્ષિપ્ત મનાતા શ્લોકમાં ‘વિષ્ણુગુપ્ત' નામ અપાયું છે. ‘અર્થશાસ્ત્ર'ની કેટલીક દક્ષિણ ભારતની હસ્તપ્રતોમાં ગ્રંથકર્તાનું નામ ‘ૌટલ્ય’ એવા આકારે મળે છે. પરંતુ મોટા ભાગની પરંપરામાં ‘કૌટિલ્ય’ નામ જ જોવા મળે છે. એથી એને સ્વીકારી શકાય. કદાચ ‘કૌટિલ્ય’ શબ્દનો માઠો અર્થ ટાળવા ‘કૌટલ્ય’ એવી મનમાની સુધારણા પણ થઈ હોય. કદાચ ભિન્ન આકારનું ગોત્રનામ પણ હોય. કૌટિલ્ય માટે જ અન્ય ગ્રંથોમાં ‘ચાણક્ય’ અને ‘વિષ્ણુગુપ્ત’ નામો પણ મળે છે. ‘અર્થશાસ્ત્ર’ના અધ્યયન-સંશોધન-અનુવાદમાં પંદર વર્ષ ગાળનાર સુવિદ્વાન્ પ્રા. આર.પી. કંગલે એમ તારવે છે કે ‘વિષ્ણુગુપ્ત’ એમનું વિશેષનામ છે. જામન્વય-નીતિસારમાં ‘અર્થશાસ્રરૂપી મહાસાગરમાંથી નીતિશાસ્ત્રરૂપી અમૃત તારવી લેનાર' તરીકે વિષ્ણુગુપ્ત ઉલ્લેખાયા છે૧૦. ‘ચાણક્ય’ એ ચળ કે ભિન્ એવા પિતૃનામ ઉપરથી પ્રયોજાતું નામ હોવાનું પ્રા. કંગલે તારવે છે. જ્યારે ‘કૌટિલ્ય’ એ ‘કુટિલ’ ગોત્ર સૂચવતું વિશેષણ હોવાનું તેમનું તારણ છે. આમ ‘કુટિલગોત્રના ચણક કે ચણન્ના પુત્ર વિષ્ણુગુપ્ત’ એવી એમની વ્યક્તિગત ઓળખાણ ઠરે. મૈસૂરની ‘અર્થશાસ્ત્ર'ની આવૃત્તિમાં વાળયનીતિસૂત્ર' નામે આઠ અધ્યાયમાં કુલ ૫૬૨ સૂત્ર સમાવતો સૂત્રાત્મક ગ્રંથ છાપવામાં આવ્યો છે. એ ઉપરાંત ‘વાળયનીતિ’ નામે પણ અનેક શ્લોકોનો સંગ્રહ મળે છે. ‘કૌટિલ્ય’ શબ્દ વિષ્ણુગુપ્તની કપટપરાયણતા (કુટિલતા) સૂચવવા વપરાતું હુલામણું નામ કે વિશેષણ હોવાની વાત તો અધિકૃત વર્તુળોમાં નકારાઈ જ છે. એ માત્ર લોકસ્તરે હળવાશથી બંધ બેસાડાયેલું અર્થઘટન હોવા સંભવ છે. બાકી અનેક વિચિત્ર લાગતી અટકોની જેમ ‘કૌટિલ્ય’ શબ્દ સ્વીકારાય તે ઇષ્ટ જણાય છે. ૧૫ ‘અર્થશાસ્ત્ર’ની પૂર્ણાહુતિમાં – ખરેખર, અત્યંત સુયોગ્ય તબક્કે ઘણું માર્મિક, અર્થસભર વિધાન પદ્યરૂપે કરાયું છે, જેનાથી સુંદર શ્લેષ દ્વારા ગ્રંથકારની સમગ્ર પ્રતિભાનો – તેમના લૌકિક જીવનકાર્યનો – પૂરો સાર સહૃદયોને હૈયે સ્થપાય છે. એ શ્લોક૧૧નો અર્થ આમ છે : “જેના થકી શસ્ત્ર, શાસ્ત્ર અને નંદ રાજાના તાબામાં ગયેલી ભૂમિ [એ ત્રણે ય], [વધારે] સહન ન થતાં, ઝડપથી ‘ઉઠાવાયાં’ (ઉદ્ભૂતાનિ) તેણે આ શાસ્ત્ર રચ્યું છે.” Jain Education International - મૂળમાંના ઉદ્ધૃત્તિ પદમાં રહેલો શ્લેષ શસ્ત્ર, શાસ્ત્ર અને ભૂમિ – એ દરેકને અન્વયે જુદી અર્થછાયા ધરાવતો હોવા છતાં એ ત્રણેનો ઉદ્ધાર કેવો પરસ્પર ઓતપ્રોત છે તે સુંદર રીતે સૂચવે છે. એ પ્રતાપી સમયમાં બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો પણ પ્રસંગવિશેષે ન્યાયસ્થાપના અર્થે શસ્ત્ર સુધ્ધાં વાપરી જાણતા તે વાત આમાં કૌટિલ્યના સંદર્ભે કહેવાઈ છે જેમ મહાકવિ ભાસની પ્રતિજ્ઞાૌધરાયળ નાટ્યકૃતિમાં અમાત્ય યૌગન્ધરાયણના સંદર્ભે. અહીં સૂચવાતી શરીર, મન અને બુદ્ધિની સમાન ઉચ્ચતા, સમાન સજ્જતા અને સમાન સાફલ્યશક્તિ દ્વારા પરિપૂર્ણ મનુષ્યનો જ્વલંત આદર્શ રજૂ કરાયો છે. ભૂમિનો ઉદ્ધાર એટલે ભૂમિ પર વસતી રાજપીડિત પ્રજાની મુક્તિ. નંદનું લોભપ્રધાન અતિદૂષિત શાસન કૌટિલ્યથી સહી શકાયું નહિ; એથી જ દેખીતી રીતે તો કુટિલ એવા રાજનૈતિક અને અભિચારવિદ્યારૂપ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy