SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૯ કરવા કહ્યું છે. અત્યંત રીઢા ગુન્હેગાર પૂરતી આવી અને અન્ય પદ્ધતિઓ થોડા આકરા સ્વરૂપમાં અજમાવવા સૂચવ્યું છે. એ સાચું કે સામાન્ય લાગણીશીલ કોઈ પણ વ્યક્તિને તો આ મર્યાદામાં પણ ત્રાસ આપવાનું અસહ્ય લાગે એમ છે. પણ દેશ-કાળ પ્રમાણે થતાં અતિ-વસમા, સમાજને પીંખી નાખતા અપરાધો પ્રમાણે, કંઈક પગલાં તો લેવાં પડે તે સ્થિતિમાં “પારકી મા કાન વીંધે' એ ન્યાયે પ્રજાહિત જોઈને ય કોઈકે ક્યારે અળખામણી થઈને નિરુપાયે આવું કરવું તો પડે. સંતો, સજ્જનો, સન્નારીઓ વગેરે સામે આ અંગે વધુ સજ્જ થઈ નરવી પરંપરાઓ સ્થાપવાનો કાળદેવતાનો પડકાર જરૂર છે. આવી આકરી કે મર્યાદાયુક્ત ત્રાસપદ્ધતિ પણ આંતરે દહાડે અને એક દિવસમાં એક જ પદ્ધતિ – એમ અજમાવવી એટલું અવશ્ય કહેવાયું છે. વિદ્યાવાન્ બ્રાહ્મણ કે તપસ્વી ઉપર તો આવી કોઈ પદ્ધતિ ન જ અજમાવવી; એને બદલે ગુપ્તચર-વ્યાપારથી જેનો અપરાધ સિદ્ધ થયો હોય એવી આ કોટિની વ્યક્તિની માત્ર ગૌરવાનિ (અપજશ) થાય તેવી જ પદ્ધતિ અજમાવવાનું કહેવાયું છે. કેવી પ્રમાણસર વાત ! લોકસ્વભાવના અનુભવાશ્રિત ઊંડા, બહોળા જ્ઞાનને વાપરતા રહીને, પોતાના દેશ-કાળમાં કેવા-કેવાં જૂથો કે વ્યક્તિવિશેષો દ્વારા કેવાં લોકદ્રોહી કુકર્મો થતાં રહે છે, તે બાબતે સામાન્ય રૂપે પૂરા સભાન રહીને, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથેની નિત્ય વિચારણા થકી અને તે મુજબ સાબદા અને કાર્યક્ષમ ગુપ્તચરતંત્ર દ્વારા ધમધમતી રહેતી ગુપ્ત તપાસો થકી રાજાએ સ્વભૂમિના અસ્વાથ્યનાં કારણો યથાશક્ય જાણતા-ઉકેલતા રહેવાની આ ધિંગી-અટળ વાત છે. આવા ગુન્હા થતાં વેંત કે થયા પછીના તરતના બે-ત્રણ દિવસોમાં જ પકડાઈ જાય તો કાર્યક્ષમતાનું ખૂબ ઊંચું ધોરણ સિદ્ધ થાય અને તંત્ર તેમ જ પ્રજા ઘણા વ્યર્થ શક્તિશયમાંથી, અપરાધના ઝડપી ફેલાવામાંથી બચી જાય. આ બાબતના અનુસંધાનરૂપે અધિકરણનો છઠ્ઠો અધ્યાય (અ.ક્ર.૪.૬) આ છે : “શંકાથી, મુદ્દામાલથી કે કોઈ જવાબદાર વ્યક્તિની નજરે ચડેલી ગુન્હાની ચાલુ કામગીરી પરથી અપરાધીની ધરપકડ (શઙ્ગ-પ-વર્ગ-મગ્ર:). એમાં કૌટિલ્ય વ્યાપક અનુભવને આધારે, ઉક્ત ત્રણે પ્રકારે ગુન્હો પકડી પાડવાની કામગીરી રસપ્રદ દષ્ટાંતોથી બતાવી છે. આ તો તરત ધ્યાનમાં આવતા મુખ્ય-મુખ્ય અપરાધ-ગ્રહણ-પ્રકારો છે. દરેક તંત્રસેવકને અને સાબદા પ્રજાજનને આવા અનેક પ્રકારો શોધતા રહી વિષમ માનવચરિતો સામે રાષ્ટ્રની ધિંગી ચોકીદારી કરવાની પ્રેરણા આપવી તે જ આ અધ્યાયનો આશય લાગે છે. આવી આગોતરી જાગૃતિ ન્યાયપ્રક્રિયાને સરળ બનાવે છે. અહીં શંકાથી ગ્રહણના ઉપાયોના નમૂના વર્ણવતાં આડકતરી રીતે એ સૂચવાયું છે કે આમાં પ્રજાનાં વિવિધ સ્તરોના સામાજિક પ્રવાહોની ઊંડી અને વ્યાપક જાણકારી ખૂબ ખપની છે. રાજયતંત્રની આવી નમૂનેદાર સાર્વજનિક ખબરદારીનું એક શુભ પરિણામ છે ભયને કારણે ગુન્હાઓમાં થતો સ્વયંભૂ ઘટાડો અને પ્રજામાં થતી પ્રામાણિક જીવનરીતિની પ્રતિષ્ઠા. જે વ્યક્તિને પૂર્વજો, પરિવાર કે શિક્ષણપ્રક્રિયા દ્વારા સમાજ સાથે અવિરોધથી જીવવાનો પાયાનો સંસ્કાર નથી મળ્યો, એની દૂષિત કે રીઢી જીવનપદ્ધતિને “વાર્યો નહિ તે હાર્યો વળે' એ ન્યાયે પાકે પાયે નિષ્ફળ બનાવવી તે, છેવટે તો એવી વ્યક્તિ માટે અંતરતમ (માંહ્યલી) માનવપ્રકૃતિ મુજબ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy