SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રામાણિક જીવનરીતિના સુખશાંતિવર્ધક રાજમાર્ગ પર ચઢવાની અંતઃપ્રેરણાનું સુખદ નિમિત્ત બની શકે; અથવા તો કમ-સે-કમ લાંબા સમય માટે એના હાથ હેઠા પાડે છે. હા, આ માટે સમગ્ર રાષ્ટ્રમાં પ્રામાણિકતાથી જીવવા ઇચ્છનાર દરેક કાર્યક્ષમ વ્યક્તિ માટે કુશળ રાષ્ટ્રીય-સામાજિક આયોજન દ્વારા વૈવિધ્યપૂર્ણ કાયપી રોજગારી પૂરતા પ્રમાણમાં સુલભ કરાય એ પણ સામું કર્તવ્ય રાજ્યતંત્રને ભાગે સવિશેષપણે આવે છે. આજે તો રાજ્યતંત્રો આ બાબતે સાવ જ ઊલટું વર્તન કરતાં હોઈ અગણિત વૈવિધ્યોવાળા કંટકોની સાફસૂફી અશક્ય જ ગણાય કારણ કે રાજ્યતંત્ર જ ખુદ મહાકંટકરૂપ હોઈ મનુષ્યની સામાજિકતાનો સફાયો કરીને ગુન્હાખોરીને જ સહુ માટે અનિવાર્ય જીવનશૈલી બનાવી દે છે ! કેટલાક નિમ્નતમ વર્ગો તો ગુન્હા દ્વારા જ પેટિયું રળવા મજબૂર હોય છે. ‘કંટકશોધન’ પ્રકરણનો આ આયામ (સમજણની ભૂમિકા) કે આ મહત્ત્વનો અનુબંધ (જોડાયેલું પાસું) ન ભુલાય. આ પાસાની ઘણી માવજત આપણે આ ગ્રંથમાં જોઈ જ છે. ૨૯૦ અસામાજિક વહેવારો પૈકી તરત ધ્યાનમાં આવે તેવા ધાડ-માર જેવા પ્રકારો કરતાં પણ વધુ દ્રોહકારી પ્રકારો તે પ્રાથમિક જીવન-જરૂરિયાતોને લગતા વ્યવસાયો કે સરકારી કાર્ય-બજવણીઓના ઓઠે ચાલતી, સમાજને જુદી-જુદી રીતે કાયમ ફોલી ખાવાની અનેક પ્રકારની કુચેષ્ટાઓ ને યુક્તિપ્રયુક્તિઓ છે. એમાં જે-તે વ્યવસાય કે કાર્યસ્થાનની શાખ(good-will)ના ઓઠે કે જે-તે કામગીરી કે ચીજની વ્યાપક જરૂરિયાત અને માંગનો ખોટો લાભ ઉઠાવી કાયમી અને વ્યાપક સ્વરૂપે સમાજ ભાંગતો જાય તે બાબતની બેઠી નિષ્ઠુરતા છે, તેમ જ પ્રામાણિક જીવન-પદ્ધતિને અપ્રતિષ્ઠિત કરી નાખે તેવી માનવતાની ક્રૂર મશ્કરી હોય છે. કારણે અધિકરણના આરંભના કેટલાક અધ્યાયો આવા કાંટાઓને વીણી કાઢવા બાબતનાં કર્તવ્યો બતાવે છે. પ્રથમ અધ્યાય છે વિવિધ કારીગરોના દુર્વ્યવહારોથી સમાજને રક્ષવા અંગે દ્રારક્ષળમ્ (હિ - કારીગર – તેમના ભ્રષ્ટ વ્યવહારો સામે રક્ષણ). તેમાં વણક૨, ધોબી, સોની, અન્ય ધાતુકામનાં કારીગરો, સરકારી ચલણી સિક્કાનો તપાસ-અધિકારી (વર્ણ), બનાવટી સિક્કા તૈયાર કરનાર કે વેચનાર, વૈદ્ય, નટ જેવા વ્યવસાયોની પ્રજાદ્રોહી અનેક રીતિ-નીતિઓને લગતા વિવિધ દંડપ્રકારો રસપ્રદ રીતે ચીંધ્યા છે. આ - બીજા અધ્યાયમાં વેપારીઓ(વૈવેદ)ના કૂટ-વ્યવહારોની સમીક્ષા થઈ છે. સામાન્ય ચીજોના વેપારી ઉપરાંત મોંઘી ચીજોના વેપારીઓનાં કપટો પણ નિર્દેશાયાં છે. ચોરીનો માલ જાણી-જોઈને ખરીદીને મોંઘા ભાવે વેચનારા વેપારીઓનો અપરાધ સ્વાભાવિકપણે બહુ ભારે ગણ્યો છે. કારીગરો કે વેપારીઓ સંતલસ કરીને કોઈ સેવાની કે માલની ગુણવત્તા સામુદાયિક રીતે ઘટાડતા હોય, કૃત્રિમ અછત ઊભી કરીને ખોટી રીતે ઊંચા ભાવ ઠેરવતા હોય તે સામે કડક દંવિધાન આદેશાયું છે. નીચા ભાવ આપવા દ્વારા ઉત્પાદકનું શોષણ કરી ઊંચા ભાવ લેવા દ્વારા ગ્રાહકવર્ગનું પણ શોષણ કરનારા નઘરોળ રાષ્ટ્રદ્રોહીઓને પણ સાણસામાં લીધા છે. જાતજાતની યુક્તિઓથી માલમાં ભેળસેળ કરનારા પર પણ ડોળો માંડ્યો છે. વેપારીના હાથ નીચે કામ કરનારાઓનું પણ શોષણ ન થાય તેવા પ્રબંધો આદેશ્યા છે. નફાનું ન્યાયી ધોરણ ઠેરવ્યું છે. આવા દરેક પ્રકરણમાં કૌટિલ્યની ઊંચી નીતિ-ભક્તિ જાતતપાસ પર આધારિત બહોળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy