SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર'દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નાખીએ તો અમાનુષી ને કાળગ્રસ્ત એવી પરંપરાઓને માનવીય બનાવવાની સમદષ્ટિ અને સમયદર્શિતા કૌટિલ્યમાં ભરી પડી છે તે જરૂર ધ્યાનમાં આવે. આમાંનું પ્રથમ પ્રકરણશીર્ષક તો સ્વયંસ્પષ્ટ છે અને બીજા પ્રકરણમાં પણ ‘ચિત્રવધ'(રિબામણીયુક્ત વધ)ના વિકલ્પ, યથાસંભવ, સાદા વધનો અનુરોધ કરાયો છે. અગિયારમા અધ્યાયને અંતે સંભવતઃ સ્વરચિત શ્લોક દ્વારા કૌટિલ્ય આમ કહે છે : “મહાત્માઓના શાસ્ત્રગ્રંથોમાં આ અર્થાત પરંપરાગત ફલેશદંડો (રિબામણીવાળી વધની સજાઓ) અનુસરાયા (કે અનુમોદાયા) છે. અતિદુષ્ટ નહિ તેવા પાપીઓ (અથવા અધ્યા. કંગલે મુજબ : “અતિ પીડાદાયક નહિ તેવા અપરાધો”) માટે તો શુદ્ધવધ જ ધર્માનુકૂળ ગણાય.” શ્લોકમાં ‘મહાત્મા’ શબ્દ, ગર્ભિત રીતે, નિર્દશ (દશ વગરના, પ્રેમળ) કટાક્ષમાં વપરાયેલો જણાય છે. કૌટિલ્ય સર્વત્ર અન્યના ભિન્ન વિષમ અભિપ્રાયો પ્રત્યે પણ વિનયધર્મ અને વાત્સલ્યધર્મ ચૂકતા નથી. તેઓ પોતે તો ગાંધીજીની ઢબે, પોતાને “અલ્પાત્મામાનવામાં જ આનંદ અનુભવે તેટલા અહંકાર-ભાર-રહિત છે ! ને તો યે તેઓ પ્રસિદ્ધ વનપુત્ર પૃથુ રાજા જેમ, મંદ-માંદલી કે જામી પડેલા દુષ્ટોવાળી પૃથ્વીના અસલ વિધાયક સત્ત્વને જગવવા કે સંકોરવા બાહ્ય રીતે ઉગ્ર-કઠોર લાગતા આકારના ઉપાયને જરૂરી પણ માને છે અને પ્રસંગે પ્રયોજી પણ જાણે છે. કૃષ્ણશોધન અધિકરણને આ રૂપે જોઈએ. આ અધિકરણમાં પ્રાયઃ ક્યાંય અન્ય આચાર્યોના કોઈ પણ મતાંતરનું કથન નથી એ વાત પણ ધ્યાન ખેચે છે. દુનિગ્રહ એ કોઈ સિદ્ધાંતનો નહિ, પણ યુક્તિ-કૌશલ સહિતના કર્મકૌશલનો વિષય છે એથી એમ થયું હોય. પોતાના દેશકાળમાં જોવા મળતું ગુન્હાખોરીનું સ્તર, વિવિધ કોમો કે ઘનિષ્ઠ જૂથોની ખાસિયતો, દુષ્ટતાની માત્રા, સમાજનો દુખો પ્રત્યેનો અભિગમ અને એમની સાથેનો શક્ય અટપટો સંબંધ – એ બધું જોઈને ગુન્હા અને ગુન્હેગારો બંનેને પકડી પાડવાનું યુક્તિકૌશલ અને નિગ્રહ માટેનું પ્રમાણસર દંડવિધાન કરવાનું રહે છે. એમાં અન્ય સ્થળ-કાળના કોઈ આચાર્યોના મતાંતરો જેવું કાંઈ હોય તો યે પોતાના દેશકાળમાં એનું કોઈ મહત્ત્વ હોતું નથી. આ તો રાજયકર્તાવર્ગનું પ્રાયોગિક કે વ્યવહારુ ક્ષેત્ર છે. કૌટિલ્યની ખીલેલી ઉદાર માનવીય દૃષ્ટિ જેમ ઉક્ત દસમા-અગિયારમા અધ્યાયોમાં દેખાય છે, તેમ “વાવનુયો: (‘વાતચીત દ્વારા કે શારીરિક ત્રાસ – + – દ્વારા આરોપીની ઊલટતપાસ') નામના આઠમા અધ્યાયમાં પણ બરોબર દેખાય છે. તેમાં ખાસ કરીને કર્મ એટલે કે શારીરિક ત્રાસ દ્વારા ગુન્હો કબૂલાવવાની કે ગુન્હાની વિગતો કઢાવવાની પદ્ધતિ (third degree treatment) અંગે માનવતાભરી મર્યાદાઓ જાળવનારા ઉચ્ચતર સંસ્કારની તેમની ઉત્કટ શોધ ચોક્કસ દેખાય છે; જેમ કે બાળક, વૃદ્ધ, રોગી, ભૂખતરસ માર્ગખેદથી ત્રસ્ત, મદિરામત્ત, ઉન્મત્ત (ગાંડી વ્યક્તિ), ઠાંસીને ખાધું હોય તેવી કે અપચાગ્રસ્ત વ્યક્તિ, દુર્બળ, ગર્ભવતી કે તાજી પ્રસૂતિવાળી સ્ત્રી – આવાં આરોપીઓ પર ત્રાસ-પદ્ધતિ ન જ અપનાવવી એમ કહેવાયું છે. સામાન્ય રૂપે પણ, જો સ્ત્રી ઉપર ત્રાસ ગુજારવો જ પડે, તો પુરુષથી અર્ધા જ ગુજારવા કહ્યું છે. બાકીના પર દંડાનો માર, ચાબૂકનો માર, ઊંચેથી લટકાવવાની રીત – આ બધાંનો પ્રયોગ નિયત મર્યાદામાં જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy