SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૭ પણ બાહ્યાંતર બંને પ્રકારના શત્રુઓ સામે જવરમુક્ત બેઠો પડકાર ફેંકવારૂપે અને દીર્ધદષ્ટિયુક્ત યૂહરચનારૂપ બુદ્ધિયોગ વડે કરવાનો છે એમ જરૂર કહી શકાય. બૂરાને બૂરો તો ન કહીએ, પણ એની બૂરાઈ પડકારવી, ખંખેરી કાઢવી કે છેવટે નિષ્ફળ બનાવવી એમાં ‘દાની દુશમનાવટ’ એટલે કે પાયાની મૈત્રી જ છે. એ રીતે આ અધિકરણમાંની કાંટાઓની સાફસૂફીની વાત જોવાની છે. આવી સમાજ અને રાષ્ટ્રને બાધાકારક બાબતો મુખ્યત્વે પ્રાકૃતિક, વ્યાવસાયિક વેપારવિષયક, રાજયસેવકીય, લૂંટ-મારસંબંધી, યૌનવિષયક(sexual), ન્યાયતંત્રીય, ગ્રામ-નગરની જાહેર શિસ્તને લગતી (civil), અભિચારવિદ્યાસંબંધી, પ્રાણીહિંસાસંબંધી વગેરે કૌટિલ્યના દેશકાળમાં ધ્યાનપાત્ર અને ઉપાયયોગ્ય હતી. દેશકાળભેદે આમાં અનેક નવી-નવી બાબતો ઉમેરવી પડે; દા.ત. આજની “સાઈબર' ગુન્હાખોરી (cyber crimes). આ અધિકરણની સામગ્રી પણ મહદ્ અંશે પૂર્વ-પરંપરાના દોહનરૂપ હોવા સંભવ છે; પણ એ દોહનમાં લેખકનું ઉષ્માસભર અનુમોદન અને સ્વતંત્ર ચિંતન પણ જણાય છે. એથી આમાં યથાવકાશ માનવીય ઉત્ક્રાન્ત દષ્ટિને કારણે દંડવિધાનમાં પરિવર્તનોનો અનુરોધ પણ કરાયો છે તે જોઈશું. અલબત્ત, અહીં ઉત્કાન્તિમાર્ગ ચીંધ્યો છે, કહેવાતો ક્રાન્તિમાર્ગ નહિ – એટલું કહેવું જોઈએ. એટલે ઘણે ઠેકાણે વધદંડની પરંપરાગત ભલામણો જ જણાય છે. તો ‘ચિત્રવધ' (રિબામણી સહિતના વધ) બાબતે કૌટિલ્ય પોતાની નમ્ર અસંમતિ પણ જરૂર પ્રગટ કરી છે. યુરોપમાંથી સત્તરમી-અઢારમી સદીથી આરંભાયેલી ‘નવજાગૃતિ'(renaissance)થી નિર્માણ પામેલા વિકાસક્રમમાં વિવિધ પ્રાચીન અને નવી વિકસેલી જ્ઞાનપરંપરાઓનો મહિમા સ્થપાતાં માનવતાની ઉત્ક્રાંતિનો માર્ગ પણ સાફ થઈ ખુલ્લો થયો છે. એમાં કરુણાગુણને ખિલવતા મનોવિજ્ઞાનનું પણ પ્રતિભાશીલ વિવિધ ચિંતકો દ્વારા ગણનાપાત્ર અને પરિણામદાયી ખેડાણ થયું છે. વિવિધ ધર્મોના ચોકાઓમાં ખેડાયેલી અહિંસાની પ્રાચીન વિભાવનાને, આવી જાગતિક પ્રબુદ્ધતાની સ્થિતિમાં, ખાસ કરી ભારતમાં રાષ્ટ્રીય મુક્તિના દઢ ધ્યેય નિમિત્તે, એક ઉત્તમ સામાજિક ક્રાન્તિસાધન તરીકે ખિલવવામાં આવી છે. ત્યારે તેનો પ્રભાવ ઝીલી યુદ્ધ, અપરાધ-નિયંત્રણ, આર્થિક ન્યાય ઇત્યાદિ મોરચે જગતભરમાં વિધાયક નવા અભિગમો સાકાર થઈ રહ્યા છે. ભલે એ વિશેષતઃ વૈચારિક સ્તરે હોય અને અમલમાં અનેક બાહ્યતર વિઘ્નો પાર કરવાના બાકી હોય, પણ અપરાધનિયંત્રણ જેવા મોરચે પણ ઠેર-ઠેર મથામણ અને પ્રયોગ આરંભાયાં છે. કૌટિલ્ય પણ એમના સમયની મર્યાદામાં ય માનવતાવાદી અવશ્ય છે. તેઓ ક્રાન્તિના પ્રેમી અવશ્ય હોવા છતાં પોતે વાસ્તવદર્શી હોઈ અવાસ્તવિકપણે અપક્વ દેશ-કાળમાં ક્રાન્તિનો દેખાડ નથી કરતા. જગતુ-ઇતિહાસ તપાસતાં એમાં ક્રાન્તિની બ્રાન્તિઓ અનેક જોવા મળે છે. ભાવુકતાના ઉભરામાત્રથી ક્રાન્તિ શક્ય નથી તે કૌટિલ્ય બરોબર સમજે છે. આટલું સમજી લઈને આ ચોથા અધિકરણના દસમા-અગિયારમા અધ્યાયો (અનુક્રમે વિધનિયઃ' – “જે-તે એક અંગ કાપી નાખવાની સજામાંથી મુક્તિ માટેના અવેજીરૂપ દડો' અને “શિવ8 03ઋત્વ:' – “શુદ્ધ અને રિબામણી સહિતના દંડોના વ્યવહાર') તરફ નજર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy