SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા એ રીતે, ચોરેલી કે ઓળવી લીધેલી (પચાવી પાડેલી) વસ્તુના વેચાણને તે વસ્તુના મૂળ માલિકની પુરાવા સાથેની ફરિયાદ પરથી ફોક ઠેરવી દંડવાની અને વસ્તુ મૂળ માલિકને પરત કરવાની વાત છે. તેથી ઊલટું, કોઈ વેચાણ વિરુદ્ધ પુરાવા વિનાની એવી ખોટી ફરિયાદ કરનારને દંડવાની વાત પણ છે. તો ઘણી વાર કોઈ વસ્તુના માલિકની ઉદાસી, સુદીર્ઘ ગેહાજરી વગેરે સંજોગોમાં, તે વસ્તુના સુદીર્ઘકાલીન ભોગવટાને આધા૨ે ભોગવટો કરનારની માલિકી સ્થાપી આપવાના ફેંસલા પણ ગ્રાહ્ય ગણાયા છે ! છેવટે તો કોઈ પણ વસ્તુના મૂળ માલિકે પોતે માલિકી બાબત જાગૃત અને આગ્રહી હોવું જરૂરી છે. જો તેને જે-તે વસ્તુની માલિકીની કીમત જ ન હોય, તો એવી ચીજ સમાજમાં કાયદેસર રીતે ભોગવતી આવેલી જરૂરિયાતમંદ વ્યક્તિ ભોગવે તે ન્યાયી ગણાય. છેવટે તો માલિકી એ નિર્વાહની સરળતા માટેની સામાજિક ગોઠવણ છે. કેવો સૂક્ષ્મ અદ્દલ ન્યાય ! ૨૭૯ ઉપર્યુક્ત બધા માલિકીસંબંધી અપરાધોમાં અને સત્તરમા અધ્યાયમાં નિરૂપાયેલા ‘સાહસ’રૂપ અર્થાત્ કોઈની વસ્તુની ઉઘાડી લૂંટરૂપ અપરાધમાં, ધ્યાનમાં રખાયેલો પાયાનો સાંસ્કૃતિક મુદ્દો છે પ્રસિદ્ધ પંચવ્રતોમાંનું અચૌર્ય-વ્રત – જેનું સાચું સામાજિક-મનોવૈજ્ઞાનિક સ્વરૂપ, આ વ્રતને જૈનધર્મપરંપરામાં અપાયેલા ‘અદત્તાદાન’ નામ (અદત્તનું આદાન અર્થાત્ કોઈએ અન્યને સ્વેચ્છાએ ન આપેલી વસ્તુ લઈ લેવી તે) દ્વારા પ્રગટ થાય છે. બાકી સમાજમાં ધનનું ન્યાયી વિતરણ સમજણપૂર્વક સ્થપાય એ સ્વસ્થ સમાજનું એક પાયાનું મહત્ત્વનું લક્ષણ કે અંગ હોવાની વાત ધર્મદર્શી અનેક વિશ્વવિભૂતિઓએ ઉત્કટ હૃદયવૃત્તિથી સમાનપણે કહેલી છે. તે સિદ્ધ થાય તો અચૌર્ય એ વ્રત મટી સાર્વજનિક સ્વભાવ બની રહે. જૈન પરંપરાએ નિરૂપેલાં ગૃહસ્થનાં• કેટલાંક વ્રતોમાં ‘અતિથિ-સંવિભાગ’ એવા હાઈસ્પર્શી નામ સાથે આતિથ્યધર્મની પ્રેરણા કરી છે તે ય આ જ દિશાની આગેકૂચ છે. વળી મોટા ભાગના ધર્મોએ ઉપર્યુક્ત સમવિતરણના આદેશને સમકાલીન સમાજો માટે કઠિન જોઈને અને સરાસરી લૌકિક મનોવૃત્તિને તેના અંગીકાર માટે અપક્વ જોઈને એ દિશાના જ એક લોકગ્રાહ્ય વ્રત તરીકે વિવિધ પ્રસંગોએ દાનવ્રત આચરવા ભલામણ કરી છે. તાત્ત્વિક ચર્ચા કરતા ગ્રંથોમાં ‘દાન’ની વ્યાખ્યા ‘સંવિભાગ' (ન્યાયી વહેંચણી) શબ્દ દ્વારા માર્મિક રીતે અપાઈ છે. પરંતુ કોઈ પણ હિસાબે નિકોનું ધન પરાણે આંચકી લેવાનું વલણ નૈતિક તો નથી જ; અને વ્યવહારમાં તે લાંબું નભે તેમ પણ નથી તે આધુનિક જગત્માં ડોકાયેલા સામ્યવાદનાં ઉત્પત્તિ, ટકાવ અને રકાસનો ઇતિહાસ ઉપરછલ્લી રીતે જોનારને પણ તરત સમજાય એમ છે. તેથી જ દંડસંહિતામાં ‘સાહસ’રૂપ અપરાધ પણ ઉચિત રીતે જ દંડનીય અપરાધ તરીકે સ્થાન પામ્યો છે. હિંસા અને બળજોરી આમપ્રજાને એકંદરે કોઈ પણ સમસ્યાના સફળ ઉપાયરૂપે નહિ, પણ ખુદ સમાજરૂપ દેઢ જીવનાધારને જ રફે-દફે કરનાર લાગે છે. સત્યને રસ્તે વચ્ચે અહિંસાનો ટપ્પો આવ્યા વગર રહેતો નથી. વિનોબાએ સામ્યવાદને મહાવર તરીકે ઓળખી ભગવદ્ગીતાના અનુભવાશ્રિત અધ્યયન(એટલે કે ‘અનુશીલન’)ને આધારે ‘સામ્યયોગ’ને એ મહાવર શમાવનારું સમાજ માટેનું શ્રેષ્ઠ અને સર્વાંગી ઔષધ માન્યું છે. આમાં ક્રાન્તિનું દ્વાર છે સ્વામિત્વગ્રંથિનું સાર્વજનિક શમન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy