SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૭૭ સામાજિક અમન પર અસર કરતા એવા જ વિષયો છે દેવું (મેળવેલું ધિરાણ વગેરે પાછું આપવાની જવાબદારી) અને થાપણ (વિશ્વાસથી પોતાને સાચવવા માટે સોંપાયેલાં ધન, સાધન વગેરે અંગેની સર્વ જવાબદારી). સંજોગભેદ અનુસારનાં એ બંનેનાં અનેક પાસાંને લગતાં નિયમનોનો વિચાર એક-એક અધ્યાયમાં થયો છે. “વિશ્વાસ એ સમાજનો શ્વાસ છે” એવું વિનોબાજીનું માર્મિક વિધાન આ પ્રકરણોમાં ખાસ પ્રસ્તુત બને છે. ‘દાસ’ (ગુલામ) ગણાતા માણસ પર કાયમી માલિકી કરી તેને કર્મબોજથી મજબૂર કરવો એ સહૃદયોની દૃષ્ટિએ કોઈ પણ સંસ્કૃતિમાં પેઠેલો કારમો સડો છે. કૌટિલ્યના સમયમાં ભારતમાં પણ પરાપૂર્વથી (વેદકાળથી) ચાલી આવતી દાસપ્રથા હતી. તેને લગતાં નિયમનોના તેરમા અધ્યાયમાં કૌટિલ્યનો માનવીય અભિગમ બે મુદ્દે ધ્યાન ખેંચે છે : દાસ સાથેના વહેવારમાં સાચવવાની, માનવતાને છાજે તેવી મર્યાદાઓની પરિગણનાના મુદ્દે અને દાસ માટે દાસપણામાંથી પાકી કાયમી મુક્તિનાં દ્વાર પણ ખુલ્લાં રહે તેવી ભૂમિકા કે શરતોની વિચારણાના મુદ્દે. કૌટિલ્ય સામાજિક સુધારક બનવાનું પસંદ કર્યું નથી; કારણ કે તેમની સમસ્યાઓ પ્રત્યે આવેગ કે પૂર્વગ્રહથી મુક્ત અધ્યતાનો અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અભિગમ રહ્યો છે. તેમ છતાં એ તટસ્થતા જડ અને સત્પક્ષપાતરહિત નથી. તેઓ સહજપણે ગ્રંથમાં માનવોચિત અભિગમને પુરસ્કારતા પણ રહે છે. અહીં તટસ્થ અભિગમ જાળવીને દાસે પાળવાના નિયમોનો વિચાર પણ જોડી દીધો છે. સમાજમાં જેમ દાસપ્રથા સામાજિક અને નૈતિક અનિષ્ટ છે, તેમ ગણિકાનો વ્યવસાય પણ એ બંને રીતે અનિષ્ટ છે – સમાજની જ બહુવિધ અશુદ્ધિઓનાં અનેક વિષફળો પૈકીનું એક. એટલે કૌટિલ્ય પોતાની તટસ્થતા જાળવીને ગણિકા-સંસ્થા(-પ્રથા) સ્વય મર્યાદામાં રહે અને તેનાં, સમાજ સાથે સંકળાયેલાં વ્યાવસાયિક હિતો પણ જળવાય એવાં નિયમનોનો સુચિતિત સંગ્રહ કરવાનું ઉચિત ગયું છે. એ માટેની વિચારણા સંજોગવશાત્ એમણે આ ત્રીજા અધિકરણમાં નહિ, પણ બીજા (અધ્યક્ષ પ્રવીર:) અધિકરણમાંના સત્તાવીસમા અધ્યાયમાં “ગણિકાધ્યક્ષ'ની ફરજોરૂપે કરી છે. વિષયસામ્યની દૃષ્ટિએ તેનો ઉલ્લેખ અહીં કરવાનું ઉચિત માન્યું છે. તેમાં પણ ગણિકાપણામાંથી મુક્તિ શક્ય બનાવતા માનવતાપૂર્ણ નિયમો પણ ચીંધી બતાવ્યા છે. પ્રાચીન ભારતીય ગણિકા સંસ્થાનું અધ્યયન કરવા માટે પ્રાચીન શાસ્ત્રો ઉપરાંત પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત-પાલી-અપભ્રંશ જેવી પ્રાચીન ભાષાઓનાં કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય વગેરેમાં પણ વિપુલ અને કીમતી સામગ્રી પડેલી છે. તેવી જ અધઃપતનકારી સામાજિક-અનિષ્ટરૂપ, પણ સમાજ સાથે કાયમ જોડાયેલી પ્રવૃત્તિ છે ધૂતની. તેને લગતાં વ્યવહારુ નિયમનોનો વિચાર ત્રીજા અધિકરણના છેલ્લા વીસમા અધ્યાયના પૂર્વાર્ધમાંના પ્રકરણમાં થયેલો છે. આમ તો ધૂત-પ્રવૃત્તિના નિયમન માટે અલગ ઘૂતાધ્યક્ષની પણ જોગવાઈનો ઉલ્લેખ ઉક્ત અધ્યાયના આરંભે જ થયેલો છે. પણ પ્રાયઃ ઉતાવળમાં કે સરતચૂકથી બીજા અધિકરણમાં તેના કાર્યક્ષેત્રની વાત સમાવાઈ નહિ હોય. અલબત્ત, ધૂતની અનિષ્ટતા વિષે આઠમા વ્યસનધારિમ્' અધિકરણમાં વિસ્તૃત વિચારણા થયેલી જ છે – મુખ્યત્વે રાજચરિત્રના સંદર્ભે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy