SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જાળવણી થકી એક સુંદર રમતની ખેલદિલીથી અંગીકારાય તો જ તેમાંથી શ્રેષ્ઠ આનંદ અને કલ્યાણ પ્રગટ થઈ શકે છે; નહિતર જીવનને સાવ અસ્તવ્યસ્ત પણ કરી શકે છે. શેક્સપિયરનું ઋષિતુલ્ય કવિદર્શન તો વળી જિંદાદિલીથી કહી દે છે: પ્રેમ કદી નહિ કરવા કરતાં, પ્રેમ કરીને ખુવાર થવું પણ બેહતર છે” (“It is better to have loved and lost, rather than never have loved.') અને હા, પેલા કબીરજી પણ કહે જ છે ને “ઢા અક્ષર પ્રેમ છે પઢે સો પંડિત હોય” ! વેદમાં પારિવારિક ગૃહ માટે ર શબ્દ વપરાયાની વાત અગાઉ ઉલ્લેખી છે. ટ્રમ્ (ાતિ) ધાતુ (“જાતને નિયમનમાં રાખવી' અર્થ) પરથી તે શબ્દ બનેલો કહેવાયો છે. વર્તમાન ભારતીય ઋષિ એવા વિનોબાજી આ શબ્દને સમજાવતાં કહે છે કે જયાં દરેક પરિવારજન પોતાનાં વૃત્તિ-વર્તન કાબૂમાં રાખે તે દ્રમ. આ છે દાંપત્યના પાયા પર ઊભેલા પરિવારના મહિમા અંગેનું ભારતીય – બકે માનવીય– દર્શન. કૌટિલ્ય આ વિવાહ-પ્રકરણમાં મુખ્યત્વે ઊંચી મેડીના સુખશીલિયા (કાલિદાસવચન મુજબ “સુફી ) ધનપરાયણ પરિવારોને ધ્યાનમાં ન લેતાં એકરસ સ્ત્રી-પુરુષ-સંબંધવાળા ગ્રામીણ કે નગરવાસી મધ્યમવર્ગી પરિવારોને નજર સામે રાખ્યા જણાય છે. આમ પરિવારજીવનના પાયારૂપ વિવાહજીવન અંગે ધર્મવિચાર અને દંડવિધાનની રજૂઆતથી જ ન્યાયતંત્રની ચર્ચા ખૂબ ઔચિત્યપૂર્વક આરંભીને, પછી પણ પરસ્પર-સંલગ્ન વિવિધ સામાજિક પાસાંઓ અંગેની દંડસંહિતાની રજૂઆત ખૂબ મનોવૈજ્ઞાનિક ક્રમે કરી છે. એમાં બીજા ક્રમે પારિવારિક ભૌતિક વારસાની વહેંચણીનો વિષય પણ યોગ્ય સ્થાને જ છેડાયો છે. એના પણ ત્રણ અધ્યાયો છે, જેમાં મહત્ત્વના આનુષંગિક (મુખ્ય વિષય સાથે જોડાયેલા) વિષયોની ટૂંકી પણ જિજ્ઞાસાપોષક રજૂઆત છે. ભૌતિક ચીજોના વારસાની વહેંચણીના આ વિષય સાથે પારિવારિક સંસ્કાર-વારસાનાં પણ સાતત્યયુક્ત રક્ષણ અને સંવર્ધનનો ખ્યાલ સૂક્ષ્મ રીતે ગૂંથાયેલો હોઈને જ સુચિતિત દંડસંહિતામાંનો એ વિષય સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. આમાં વિવિધ કક્ષાના પરિવારજનો વચ્ચે વારસાની વહેંચણીનો ક્રમ અને દરેકને મળવાપાત્ર અંશનું પ્રમાણ રજૂ થયાં છે. વળી સ્ત્રી-પુરુષ-સંબંધના સામાજિક-નૈતિક સ્તરના તળ વૈવિધ્ય મુજબ થતા પુત્રોના ઉચ્ચાવચ (ચઢિયાતા-ઊતરતા) પ્રકારોનું નિરૂપણ, તેમાં થતી વારસાની વહેંચણીના પરિમાણભેદ(પ્રમાણભેદ)ની દૃષ્ટિએ પણ હાથ ધરાયું જણાય છે. માનવપ્રકૃતિ પ્રમાણે રોકી ન શકાય તેવા યૌનસંબંધોના (મૈથુનસંબંધોના) રૂઢ બનેલા સામાજિક પ્રકારોને, તેમની યથોચિત સામાજિક ઉચ્ચાવચતા આકારીને પણ તેમને સમત્વભરી સ્વીકૃતિ આપવાનો આ ધર્મશાસ્ત્રીય અભિગમ છે. - ત્યાર પછી પરિવારને ભૌતિક આધાર અને શરણ આપનાર વાસસ્થાન(વાતુ)ને લગતાં નિયમનોનો વિચાર તેમના આનુષંગિક ખેતર, બાગ, જળાશય આદિ વિભાગોને પણ સમગ્રતાપૂર્વક સાંકળીને થયો છે. આવી સ્થાવર મિલ્કતનાં વેચાણને લગતાં, મિલ્કતો વચ્ચેની હદના નિર્ણયને લગતાં અને મિલ્કતના દબાણ (encroachment) કે નુકસાનને લગતાં નિયમનોનો અને ખેતર, ચરાણ કે માર્ગને લગતા નિયમોના ભંગને લગતા દંડનો વિચાર કુલ અઢી અધ્યાયમાં, સમજદારોને રસ પડે તેમ થયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy