SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૬૯ સાંસ્કૃતિક ભૂમિકાના માપદંડે તોળવો. આમ તો ન્યાયતંત્ર સંબંધી એક પ્રબુદ્ધ વિચાર મુજબ દોષિત અપરાધી નિર્દોષ ઠરી જાય તે પરવડે, પણ નિર્દોષ આરોપી ખોટી રીતે અપરાધી ઠરી દંડાય તે ન પરવડે. આમાં વિરલ કિસ્સાઓમાં વધુ વિકસિત વલણ એ પણ જોવા મળ્યું છે કે અપરાધીએ અપરાધ કર્યાનું સિદ્ધ થયું હોવા છતાં એ થવાના સંજોગોનું તટસ્થ-સહૃદય પરીક્ષણ કરી અપરાધીને માત્ર સજાથી પીડન આપવાને બદલે તેને આકસ્મિક અપરાધકર્મથી પણ દૂર રહેવા જોગ ચિત્ત-કેળવણીની તક મળે અથવા તો એના દેખીતા અપરાધની પૂર્ણ નિર્દોષતા સમગ્ર ન્યાયતંત્રના પ્રબુદ્ધો દ્વારા કાલાંતરે માન્ય બને તે રીતે તેના ઉપર દંડ પ્રયોજવાનું મોકૂફ રાખવામાં કે હળવું બનાવવામાં આવે છે. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે અત્રે પ્રસ્તુત ચર્ચામાં રજૂ કરેલી પરંપરા ઉપર ઉલ્લેખેલી કોઈ સભાન માનવતાવાદી દષ્ટિકોણથી નીપજેલી નહિ, પણ તે વખતની તળ સમાજસ્થિતિ પ્રમાણે નભતાં સ્વાયત્ત, સ્થાનિક વિભિન્ન પ્રજાજૂથોના અન્વયે વ્યવહારુ રીતે રૂઢ થયેલી જણાય છે. અલબત્ત, એની પ્રસ્તુતતા સહૃદયોને માનવીય દૃષ્ટિકોણથી પણ લાગે એમ છે. આ ચર્ચામાં પાયાની વાત આટલી છે : કોઈ પણ ન્યાયિક વિવાદ ચાર જુદાં-જુદાં માપદંડો, દૃષ્ટિકોણો કે વૈચારિક સ્તરોથી હાથ ધરી શકાય છે. એ ચાર સ્તરોમાં પસંદગીની ચોક્કસ ઉચ્ચાવચતા (મહત્તાક્રમ) પણ સ્થપાઈ હતી. હવે જયારે કોઈ વિવાદનો ફેંસલો એકાધિક શક્ય માપદંડો દ્વારા આપવાનું શક્ય હોય, ત્યારે, અથવા તો જ્યારે તે પૈકીના કોઈ એક માપદંડથી અપાયેલા ફેંસલા સામે કોઈ ધર્મસ્થાનો ઝોક એ માપદંડથી ભિન્ન બાકીના ત્રણ પૈકીના કોઈ એક માપદંડથી ફેંસલો આપવા તરફ હોય ત્યારે, નિયત ક્રમમાં રજૂ થતા તે ચાર પૈકીના પાછલા-પાછલા ક્રમે આવતા માપદંડ પ્રમાણેના ફેંસલાને ગ્રાહ્ય ગણવો – એવી વાત છે. એ ચાર માપદંડો આ ક્રમે બતાવાય છે : ધર્મ, વ્યવહાર, ચરિત્ર અને રાજશાસન૨૯. ધર્મ એટલે તટસ્થ કે તાત્ત્વિક સત્યવિચારણા પર આધારિત ધર્મશાસ્ત્રનો (કે તદાધારિત સ્મૃતિઓનો) માપદંડ. ‘વ્યવહાર' એટલે કોઈ પણ મિશ્ર માનવસમુદાયમાં કોઈ પણ જાતના શાસ્ત્રીય સિદ્ધાંત વિના, સામુદાયિક તાસીર અને અનુકૂળતા મુજબ ઊપજી આવેલી પ્રથા અથવા તેવો માપદંડ. “ચરિત્ર' એટલે કોઈ પ્રદેશવિશેષમાં સદીઓથી સ્થાયી થયેલી કોઈ સહજીવી કોમ કે જાતિનાં ધાર્મિક, સામાજિક, આર્થિક વગેરે પાસાંના ચોક્કસ આકારના રિવાજો. ‘લૌકિક સમયાચાર' કે “સમય' એવો શબ્દ પણ મહાભારત, પુરાણો વગેરેમાં આ જ અર્થમાં વપરાતો જણાય છે. રાજપુરુષોએ પ્રજાનિષ્ઠાના ભાગરૂપે આ “ચરિત્ર' કે “સમાચારોથી વાકેફ અને સભાન રહેવાનું આવશ્યક ગણાતું. “રાજશાસન' એટલે જે-તે દેશકાળમાં જેની આણ ચાલતી હોય, તે રાજાનો કાયદો. આ ચાર માપદંડો સત્યની સમજણના સ્તરના ભેદ પર કે મૂલ્યભેદ પર આધારિત છે. માનવસંસ્કૃતિઓની ન્યાયની સ્થાનિક વિભાવનાઓ જે-તે જૂથ દ્વારા ઓળખાયેલાં મૂલ્યો પર કે કોમની આત્મનિયમન-શક્તિ પર આધારિત હોય છે. ન્યાય તોળતાં આ સમૂહ-મનોવિજ્ઞાન ચકાવું ન જોઈએ એ મૂળ વાત છે. જે પ્રજાજૂથમાં ન્યાય તોળાતો હોય, તેને પોતાની ભૂમિકા પ્રમાણે લાગવું જોઈએ કે ખરેખર સાચો ન્યાય- અમને માન્ય ધોરણનો ન્યાય તોળાઈ રહ્યો છે. કોઈ પણ અપરાધ કે દોષની સમીક્ષા જે-તે પ્રજાજૂથને “આ બરાબર થયું” એમ લાગે તેવી વત્સલતાથી થવી ઘટે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy