SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭) કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આમાં ધ્યાન ખેંચતી વાત એ છે કે આમાંનો દરેક પાછલો માપદંડ ખરેખર તો સંકુચિત ક્ષેત્રવાળો, સંકુચિત મૂલ્યવાળો કે પરમસત્યથી વધુ ને વધુ દૂર ગયેલો જણાય છે ! પરંતુ કોઈ પણ રાષ્ટ્ર, મિશ્ર સમાજ કે ચોક્કસ પ્રજાજૂથમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા થયેલા વર્તનને જે-તે પરિસ્થિતિમાં એ ત્રણ પૈકી ફરિયાદી અને અપરાધીને સમાન રીતે લાગુ પડતા ચોક્કસ સમુદાયને જ્ઞાત અને માન્ય મૂલ્ય પ્રમાણેના ઉપલા ચાર (યા અન્ય) પૈકીના જે-તે સમયે પ્રસ્તુત બનતા માપદંડથી જ મૂલવવાનું યોગ્ય બની રહે છે. જેને જયારે જે સત્ય સમજાયું તે જ તેને માટે ત્યારે પ્રસ્તુત ગણાય. વાસ્તવિક જગતુમાં સત્ય સાપેક્ષ જ હોય છે એ વાત “ઈશાવાસ્ય ઉપનિષદ્દમાં થયેલી, અગાઉ નિર્દેશેલી અવિદ્યા અને વિદ્યાની સમતોલ રજૂઆતમાંથી પ્રતીતિકારક રીતે સમજાય છે. ઉપર્યુક્ત ચાર માપદંડો પૈકી જે-તે પ્રજાજૂથ કરતાં પણ જે-તે સમયે પ્રવર્તતી રાજસત્તાને વ્યવહારુ દૃષ્ટિએ સૌથી વિશેષ મહત્ત્વ આપીને “રાજશાસન' રૂપ માપદંડને સૌથી વધુ પ્રબળ ગણ્યો છે એ પણ નોંધપાત્ર બાબત છે. સમાજ જ્યાં સુધી રાજસત્તા વિના વ્યવસ્થિત અને ન્યાયી રીતે નભી શકતો નથી, ત્યાં સુધી જે-તે કાળે પ્રવર્તતી રાજસત્તાને અને એની જે-તે આજ્ઞાને વશ વર્તવું જ પડે એ સીધી વાત છે. તો આ ચાર માપદંડો એકંદરે, અનુક્રમે (૧) ઋષિદષ્ટ પરમ સત્ય, (૨) આ-તે પ્રજાજૂથથી નિરપેક્ષ એવી રાષ્ટ્રની સરેરાશ આમપ્રજામાં રૂઢ બનેલા સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક વ્યવહારોરૂપે સત્ય, (૩) જે-તે વિશિષ્ટ પ્રાદેશિક (સ્થાનબદ્ધ) પ્રજાજૂથના સ્વાયત્ત સમાજમાં સ્થિર થયેલા સામાજિક-આર્થિક-ધાર્મિક-સાંસ્કૃતિક રિવાજો રૂપ સત્ય અને (૪) રાજાજ્ઞારૂપ સત્યને ક્રમશઃ પ્રબળતર ગણી જે-તે કાળે તેને જ પ્રસ્તુત કે અમલી બનાવવાનું માર્ગદર્શન આપે છે. આમાં એટલું સમજવું જોઈએ કે જે-તે કાળે સજા પામતા અપરાધી દ્વારા કે એની સાથે સંલગ્ન પરિવાર, કોમ, આમપ્રજા કે રાજયતંત્ર પૈકી કોઈ પણ દ્વારા ન્યાયતંત્રે તોળેલા ન્યાય બાબત વિરોધનો સૂર ન ઊઠે, તો પછી ચાર પૈકીના ક્યા માપદંડે ન્યાય તોળાયો તે જોવાનું રહેતું નથી. માત્ર વ્યક્તિમાં કે નાના-મોટા સમુદાયમાં કે રાષ્ટ્રમાં એ અંગે વિરોધનો સૂર ઊઠે ત્યારે જ ઉપલા મહત્તાક્રમ પ્રમાણે ન્યાયનો પુનર્વિચાર કરવાનું આવી પડે. ઘણા કિસ્સામાં પૂર્વપૂર્વનો માપદંડ પાછળ-પાછળના માપદંડ સાથે કોઈ વિરોધ ધરાવતો ન પણ હોય. ટૂંકમાં, ન્યાય ધર્મસ્થની મનોવૈજ્ઞાનિક સમજદારીથી ઠરેલપણે તોળાય અને સરવાળે અપરાધી કે કોઈ સમુદાયમાં લેવાયેલા જે-તે નિર્ણય બાબત કોઈ વાજબી અસંતોષ કે વિરોધભાવ ન ઊભો થાય, તો બધું સમું-સૂતરું ચાલે અને રાજસત્તા પણ વધુ પ્રતિષ્ઠા પામે. આની સાથે, આજનાં ન્યાયતંત્રો કેટકેટલા અંશે વકરી રહ્યાં છે, રાજસત્તાતરફી કે ધનિકતરફી બનીને સમાજમાં વ્યાપક બેદિલી ઊભી કરી રહ્યાં છે તેની સરખામણી ખાસ કરવા જેવી છે અને માનવજાતિના ભાવિ પરનો ખતરો નિવારવા સક્રિય થવાની તાતી જરૂર છે. ન્યાયતંત્ર માનવધ્વંસ અને સંસ્કૃતિધ્વંસ કરીને છેવટે તો આત્મધ્વંસ જ નોતરે છે. કોઈને ઉપરના માપદંડ સામે શક્ય વાંધો એવો હોઈ શકે કે કોમ-કોમ પ્રમાણે ભિન્ન કાનૂનો કે તેની સંહિતા અમલી ગણવાની હોય તો ભ્રષ્ટાચારો પણ પ્રવેશે અને અરાજકતા પણ આવે. અહીં યાદ રાખીએ કે ઉપરની વિચારદિશા તે કાળની સામાજિક-રાષ્ટ્રીય પરિસ્થિતિની દષ્ટિએ છે કે જ્યારે વિવિધ કોમો કે જાતિઓ મુલ્કવિશેષમાં સદીઓથી સ્થાનિક, સ્વાયત્ત અને આગવું જીવન જીવતી હતી. આજે વિપુલ સંચારસાધનો અને બેફામ શહેરીકરણને લીધે પરિસ્થિતિ આમૂલ બદલાઈ છે. એથી આજે ઉપરનાં ભિન્નસ્તરોના માપદંડની વાત પ્રસ્તુત રહી નથી. પણ આ ચર્ચાનો અગત્યનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy