SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બાદ, કશું વાજબી કારણ બતાવ્યા સિવાય, તે ફરિયાદ પાછી ખેંચીને, કાં તો તે પોતાની અતિભીરુતા બતાવે છે, કાં તો એ અપરાધી સાથે મળી જઈને, તેની સાથે કોઈ મેલી સંતલસ કરીને, એવા અપરાધી સાથે તેના અપરાધોમાં સાથી બનવાનો મેલો સંકલ્પ કરે છે, અને તે દ્વારા સમાજને પુષ્કળ ભૌતિક હાનિ કરવા ઉપરાંત ખોટા વિચારને સમાજમાં ફેલાવીને સ્વસ્થ સમાજભક્તિને તોડવા માંડે છે. એ કારણે ઉપર કહ્યા મુજબ તેને આકરી સજા કરવાનું સૂચવાયું છે તેમ સમજવું. પ્રતિવાદીને વાદી દ્વારા ને સંભવતઃ ધર્મસ્થ દ્વારા પણ પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવા કે ખુલાસા કરવા મહત્તમ ત્રણ સપ્તાહનો સમય આપી શકાય છે. તે નક્કી કર્યા મુજબના ગાળામાં પણ જવાબ ન આપનાર આરોપી આપોઆપ ગુન્હેગાર ઠરે છે અને તે બદલ યથાયોગ્ય દંડ ધર્મસ્થ તેની પાસેથી વસૂલ કરાવવાનો રહે અને વળી તેના અપરાધથી વાદીને થયેલું આર્થિક ભૌતિક નુકસાન જો તે ભરપાઈ ન કરે, તો તેની આજીવિકાનાં સાધનોને બાકાત રાખીને બાકીની તેની મિલ્કતમાંથી તે વસૂલ કરાવવું. વળી જો તે દંડ ભરવા પણ અશક્ત હોય, તો, જો વાદી સંમતિ આપે તો, તે વાદીને પોતાના વતી દંડ ભરવા (!) વિનંતી કરીને તેના બદલામાં દંડની રકમને (અને તેને થયેલા નુકસાનને) અનુરૂપ સમયગાળા માટે વાદીનો ચાકર બને. તેના પણ વિકલ્પે પ્રતિવાદી પોતાની અવેજી (ધિ) રૂપ પોતાના પ્રતિનિધિને એવી કામગીરી અર્થે મોકલી શકે. ૨૬૭ ઉપરની છેલ્લી વિગતો પરથી તેમ જ આખા ધર્મસ્થીય-અધિકરણમાંનાં વિવિધ દંડવિધાનો પરથી ન્યાયતંત્રનું વલણ એકંદરે પૂરેપૂરું માનવતાપૂર્ણ અને લચીલું જણાય છે. છેવટે તો ઠરેલ રાજ્યનું ન્યાયતંત્ર સમાજ અને તળ સંસ્કૃતિ વતી પોતાનાં નિપુણ રીતે સંગઠિત કરાયેલાં સેવકબળ અને સાધનબળ દ્વારા સમાજની કોઈ પણ વ્યક્તિનો એવો દોષ, કે જે સમાજને અને સરવાળે ખુદ અપરાધીને પણ અચૂક બાધક બને તેવો હોય, તેને માન્ય પુરાવાઓ દ્વારા પ્રદર્શિત કરી, પોતાના તરફથી સીમિત માત્રામાં ધનદંડ યા કષ્ટદંડની ફરજ પાડીને તેને ઘડીક થોભવા અને પોતાના કૃત્ય બાબત સ્વસ્થ પુનર્વિચાર કરીને છેવટે અપરાધથી અટકવા સદ્ભાવપૂર્ણ ઇંગિત આપે છે. વળી સમાજના ચૉકમાં ન્યાયતંત્ર દ્વારા જાહેર કરાયેલી આવી અપરાધવૃત્તિ અને તેના ઓછાવત્તા સામાજિક વ્યાપરૂપ વસ્તુસ્થિતિ સમાજની વૈચારિક આળસને હલબલાવી, સમાજના જાગૃત-શાણા સજ્જનોની અને પ્રબુદ્ધજનોની વિચારશક્તિને સક્રિય ક્રિયાક્ષેત્ર, બલ્કે ઉપકારક્ષેત્ર, પૂરું પાડે છે. ઠરેલ ન્યાયતંત્રના અપ્રમત્ત ફેંસલા ખરેખર તો સામાજિક-સાંસ્કૃતિક ઉપચારવિધિનું આરંભબિંદુ બની શકે. ‘અર્થશાસ્ત્ર'માં બંદીગૃહ (જેલ) અને ચાર(કાચી જેલ)ના નિર્માણનું વિધાન ‘સન્નિધાતા’(સંગ્રહ-વ્યવસ્થાપક)ના કાર્યક્ષેત્રના ભાગરૂપે તો જરૂર છે; પરંતુ તેનો ઉપયોગ આરોપીને ન્યાયકાર્યવાહી દરમિયાન બંદી તરીકે રાખવા જ પ્રાયઃ થતો હોય તેવાં ઈંગિત મળે છે તે અગાઉ જોયું છે. દંડવિધાન તો મહદ્ અંશે ધનદંડથી ને વિશિષ્ટ અપરાધ માટે કષ્ટદંડ કે વધદંડથી જ બતાવાયું છે. વળી હમણાં જોયું તેમ, સંજોગાનુસાર અપરાધી વ્યક્તિ પોતાના અપરાધનો ભોગ બનનારનો દાસ કે સેવક નિયત કાળ માટે બની રહે તેવું પણ દંવિધાન જોવા મળે છે. અપરાધ સિદ્ધ થયા પછી ઓછા-વત્તા ગાળાના કારા-વાસનું વિધાન ક્યાંય જોવા મળતું નથી. તો કારાગૃહનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy