SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દરેકના અપાયેલા તે-તે ઉત્તરની વિગતવાર પાકી નોંધ ‘લેખક' કહેવાતા અધિકારીએ કરવાની હોય છે. આજે જેમ વિજ્ઞાનની નવી-નવી શોધો મુજબ વિડિયોગ્રાફી ઇત્યાદિ સાથે પણ કેટલીક મહત્ત્વની કોર્ટ-કાર્યવાહી થાય છે, તે જ રીતે તે વખતનાં સાધનો પ્રમાણે ન્યાયવિધિ, તેની જાહેર ચકાસણી થઈ શકે તેવા ચોખ્ખા પુરાવા જળવાય તે રીતે થઈને વિશ્વાસ્ય બની રહેતો. વળી આવી નોંધ સરકારી દફતરમાં જળવાઈને સંભવતઃ પછીના કાળે હાથ ધરાતા સમાન અપરાધોના કિસ્સાઓમાં પણ નિર્ણય માટે માર્ગદર્શક બની શકતી હશે – જેમ આજે બને છે. ચોથા અટકશોધન અધિકરણમાં ભ્રષ્ટ ન્યાયાધીશોને પણ રાષ્ટ્રના કંટક ગણીને એમના ન્યાયવિધિસંબંધી જુદા-જુદા ભ્રષ્ટાચારો માટે પણ ચોક્કસ સજાની જોગવાઈ બતાવી છે. આખી ન્યાયપ્રક્રિયા અપરાધના ગ્રાહ્ય સ્થૂળ પુરાવાઓ (શ) તથા વાદી-પ્રતિવાદીની, તેમ જ સાક્ષીઓની ઝીણવટભરી ઊલટ-તપાસથી આગળ વધે છે અને ફેંસલા પર પહોંચે છે. દરેક કિસ્સામાં આ લાંબો ન્યાયવિધિ ન કરવો પડે તે માટે, વાદીના કે પ્રતિવાદીના અમુક-અમુક અમાન્ય અનુચિત વહેવારો પ્રકાશમાં આવતાં જ કાં તો આખી ફરિયાદ જ બનાવટી ગણી રદ-બાતલ કરાય છે અને એવા ફરિયાદીને આકરો દંડ પણ કરાય છે, અથવા તો વાદીની તરફેણમાં, ફેંસલો આપી દેવાય છે, અર્થાત્ ગુન્ડો સિદ્ધ ગણાય છે. આવા અમાન્ય કે વાંધાકારક વહેવારો-(પરોવતદેતવ:)ની અનુભવાશ્રિત બોધક યાદી પણ અપાઈ છે. ખોટી ફરિયાદો થતી જ રોકાય તે માટે વાદી (ફરિયાદી) પ્રતિવાદી (આરોપી) કરતાં પુરાવાઓ, દલીલો વગેરે બાબતે વધુ સજ્જ અને હાજરજવાબી હોવો જોઈએ એવી વાજબી અપેક્ષા રખાય છે. તેથી વાદી સામે પ્રતિવાદીએ ઊભા કરેલા મુદ્દાનો ઉત્તર આપવા માટે વાદીને ટૂંકી મુદત અપાય છે. તેથી ઊલટું, પ્રતિવાદીને વાદીએ ઊભા કરેલા મુદ્દાનો ઉત્તર આપવા માટે વધુ લાંબી મુદત અપાય છે. આજની જેમ આ ગ્રંથમાં પણ સાક્ષી પોતાની વાતમાં ફરી બેસે તો તેને પણ ઠીકઠીક કડક સજા આપવાની ભલામણ કરાઈ છે. સમાજે ન્યાયી રાજતંત્રનાં સુફળ ભોગવવાં હોય તો સમાજની વ્યક્તિઓ માટે જવાબદારીપૂર્વક અને પ્રામાણિક રીતે જે-તે ન્યાયવિધિમાં પોતાનો ફાળો આપવાનું નાગરિક-કર્તવ્ય અનિવાર્ય બની રહે છે. ન્યાયવિધિની અધવચ્ચે જો વાદી પ્રતિવાદી સાથે મળી જઈને પોતાની ફરિયાદ જ પાછી ખેંચી લે, તો તેવા વર્તનને અત્યંત બેજવાબદાર અને સમાજવિરોધી ગણીને તે માટે ખૂબ આકરી સજા સૂચવાઈ છે. ખરેખરું ન્યાયતંત્ર પાયામાં તો રાજાની, સમગ્ર રાજયતંત્રના સેવકોની અને અત્યંત નાની સંખ્યા ધરાવતા અસામાજિકોને બાદ કરતાં મોટા ભાગની બાકીની પ્રજાની, સ્વ-આલોચના દ્વારા સુખશાંતિવર્ધક, કલ્યાણગામી આત્મશુદ્ધિ સાધવાની જાગૃત ઝંખનાની જ મૂર્ત અભિવ્યક્તિ છે. તેથી પોતાને થયેલા અન્યાય બાબત ફરિયાદ કરનારી સ્વસ્થ વ્યક્તિ કોઈ પણ અન્યાયી વહેવારને જાહેરજીવનના ચોકમાં પડકારીને, માત્ર પોતાને થયેલો અન્યાય જ દૂર કરાવવા ન ઇચ્છતાં સમાજમાં શુદ્ધ વહેવાર જ પ્રતિષ્ઠિત અને હિંગી સુખશાંતિનો ટૂંકો, સરળ રસ્તો છે' એવી વ્યાપક સમજણ ફેલાવવામાં પણ સહાયભૂત બનવા ઇચ્છે છે. એ દષ્ટિએ કોઈ સામે સાચી ફરિયાદ કર્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy