SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વર્તન બદલ કરેલી ફરિયાદ માન્ય ગણાય. કેવળ મલિન કે સામાની બદનક્ષીના ઇરાદાથી ફરિયાદો કરી સામાવાળાને ખુવાર કે બેઆબરૂ કરવા કે સામાને ભોગે સ્વાર્થ સાધવા ન્યાયતંત્રનો દુરુપયોગ કરીને તેના પર ખોટો બોજો વધા૨વાનું પ્રજાકીય વલણ રોકવા આવી વાજબી મર્યાદા ન્યાયતંત્ર મૂકે છે. જેવાં ગેરવર્તનો વ્યક્તિનાં, સમુદાયનાં અને સરવાળે રાષ્ટ્રનાં ન્યાયી વિકાસ અને જીવનબળને બાધા પહોંચાડતાં હોય, તેવાં ગેરવર્તનો(અપરાધો)ની તેજસ્વી સમાલોચના કરી, સત્યાધારિત ફેંસલો આપી તેનો કડક અમલ કરવો તે ન્યાયતંત્રનું સહજ કર્તવ્ય બની રહે છે. વ્યક્તિઓ કે જૂથો વચ્ચેના કોઈ સંબંધ કે કરાર જેને લીધે અમાન્ય ઠેરવવા પડે, તેવા સંજોગોની યાદી અધ્યાય ક્ર. ૩.૧માં આપી છે – એનો માપદંડ છે સામાજિક પારદર્શકતાનો કે ગ્રાહ્યતાનો અભાવ. કોઈ બે વ્યક્તિઓ કે જૂથો વચ્ચે કોઈ સંબંધ કે કરાર જે સંજોગોમાં સ્થપાયેલો બતાવાયો હોય, તે સંજોગો સમાજસ્વીકૃત, ભૌતિક રીતે ચોખ્ખી ચકાસણી થઈ શકે તેવા અને સંબંધ કે કરાર કરનારાઓના આશયની (ઇરાદાની) શુદ્ધતાના પ્રદર્શક હોવા જોઈએ. દા.ત. કોઈ આર્થિક કે સામાજિક કરાર મધ્યરાત્રિએ, વનમાં, ઘરના ગુપ્ત ભાગમાં ઇત્યાદિ પ્રકારના શંકાસ્પદ કાળસ્થળરૂપ સંજોગોમાં થયેલા બતાવાય, તો તે કરારનો પાયો જ ખોટો ગણાય. તેથી તે આધારે થયેલી ફરિયાદ ન્યાયતંત્ર દ્વારા હાથ ધરવા લાયક ન ગણાય. પરંતુ જો અમુક કરારો જ એવી વિશિષ્ટતા ધરાવતા હોય, અથવા તો જે-તે કરાર ક૨વા વખતના સંજોગો જ વિશિષ્ટ હોય, તો આમ સામાન્યતઃ અમાન્ય ગણાતાં સ્થળ, કાળ કે વિધિને પણ માન્ય ગણવા તેવો સમતોલ વિવેક પણ આ ચર્ચામાં બતાવાયો છે. ૨૬૫ એક મહત્ત્વની ચોક્સાઈ એ કરાઈ છે કે પરિવારના દૃષ્ટિકોણથી જોતાં કોઈ પણ સામાજિક, આર્થિક વગેરે વ્યવહાર નક્કી કરવા માટે, જે-તે સમાજની સમજણ કે પરંપરા મુજબ, પરિવારની જે વ્યક્તિ માન્ય બૌદ્ધિક અધિકાર અને અનુરૂપ પારિવારિક મોભો (status) ધરાવતી હોય, તે જ માન્ય ગણાય. તે સિવાયની પારિવારિક અનધિકૃત ગણાતી વ્યક્તિએ કરેલા આવા વ્યવહારનિર્ણયો અમાન્ય ગણાય. અલબત્ત, અસાધારણ પરિસ્થિતિમાં, તે સંજોગ પૂરતી ચોખ્ખી રીતે માન્ય ગણાય તેવી અન્ય વ્યક્તિએ કરેલો નિર્ણય પણ માન્ય ગણાય. આ અંગે તે વખતની સામાજિક પરિસ્થિતિ મુજબ કઈ-કઈ પારિવારિક વ્યક્તિ માન્ય ગણાય તેની ગણના કૌટિલ્યે કરેલી છે. એ સામાજિક પરિસ્થિતિ મૂલ્યપરિવર્તન પ્રમાણે બદલાય તેમ આ નિર્ણય માટેની અધિકૃતતાનાં ધો૨ણ બદલાય જ એ પણ સુજ્ઞજને સમજી લેવું ઘટે. આ આખી વ્યવસ્થા ન્યાયતંત્ર માટે, ગ્રાહ્ય-અગ્રાહ્ય વિવાદોના વર્ગીકરણની બુદ્ધિગ્રાહ્ય વ્યવસ્થા ઊભી કરીને તંત્ર પર આવનારો અવાસ્તવિક કાર્યબોજ ઘટાડવા માટે જ છે. એક સ્પષ્ટતા એ પણ કરાઈ છે કે કોઈ સંબંધ કે કરાર અંગેનો નિર્ણય કાળાંતરે સ્પષ્ટ હેતુ અર્થે બદલાયો હોય, તો તેમાં પાછલો નિર્ણય જ ન્યાયપ્રક્રિયાના આધાર તરીકે ગ્રાહ્ય ગણવો. કોઈ પણ ન્યાયાલય કે ધર્મસ્થ (ન્યાયાધીશ) દ્વારા ‘કુલડીમાં ગોળ ભાંગવા'ની જેમ મનમાની કે પક્ષપાતી કાર્યવાહીથી ખોટો ન્યાય ન તોળાય તે માટે, અગાઉ બતાવ્યા પ્રમાણે, દરેક ન્યાયાલય(અધિરળ)માંના ત્રણ ધર્મસ્થો સમાન કક્ષાના અને પોતપોતાનું બૌદ્ધિક સ્વાતંત્ર્ય ધરાવનાર હોય છે. ધર્મસ્થો વાદી, પ્રતિવાદી અને તેમના સાક્ષીઓની ઊલટ-તપાસ જે-જે પ્રશ્નોથી કરે, તેની અને તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy