SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજનીતિ-સંબંધી અનેક પાસાં ધ્યાનમાં લેતાં લાગે છે કે સન્નિષ્ઠ, કર્મઠ રાજ્યતંત્ર રાષ્ટ્રની પ્રજાઓમાં કલહો અને વિવાદોની શક્યતા ખાસ્સી ઘટાડે છે. ૨૬૪ આ પરિસ્થિતિમાં, યોગ્ય રીતે જ અગાઉ નિર્દેશ્યા પ્રમાણે વધુ-ઓછાં ગામો વચ્ચે વડાં-મથક તરીકે ઓળખાતાં સંગ્રહણ, દ્રોણમુખ, સ્થાનીય પ્રકારનાં ગામોમાં ન્યાયાલયોની સ્થાપનાનો આદેશ છે. વળી સરહદ-પ્રદેશોમાં ૫૨રાષ્ટ્રની ગુન્હાહિત હિલચાલોને અને સ્વરાષ્ટ્રનાં રાષ્ટ્રદ્રોહી કે લોભલાલચવશ તત્ત્વોની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓને વિપુલ અવકાશ હોઈને ત્યાં પણ સ્થાને-સ્થાને ન્યાયાલયોની ભલામણ કરાઈ છે; ન્યાયાલયોના સાથમાં સર્વત્ર ફેલાયેલું ગુપ્તચરતંત્ર તો ખરું જ. બીજી એક ધ્યાનપાત્ર બાબત એ છે કે સાચો તટસ્થ ન્યાય તોળાય તે માટે દરેક ન્યાયાલયમાં એક-એક ધર્મસ્થની નહિ, પણ ત્રણ-ત્રણ ધર્મસ્થોની સંયુક્ત જોગવાઈ આવશ્યક લેખાઈ છે. “ગૉળ નાખ્યા વિના ગળ્યું ન થાય' એવા ઠરેલ ન્યાય મુજબ કોઈ પણ તંત્ર એના ઇષ્ટ ધ્યેયને મહત્તમ કાર્યક્ષમતાથી પાર પાડે તે માટે જરૂરી પૂરેપૂરો ખર્ચ કાયમ માટે પણ માથે લઈને પૂરતાં જન અને સાધનની સ્થાયી જોગવાઈ કરવી જ ઘટે. ઓછો ખર્ચ ઘણી વાર પૂરતા ખર્ચ કરતાં અનેક દૃષ્ટિએ મોંઘો પડી રહે ! આજે પણ ઉચ્ચ ન્યાયાલયોમાં સહ-ન્યાયાધીશોનું જૂથ (bench) પરસ્પર સાથમાં કામ કરે તેવી જોગવાઈ હોય છે. એક વ્યક્તિ કાર્યમાં મનસ્વી બની શકે છે અને બે વ્યક્તિ ખોટી સંતલસમાં જોડાઈ કામને બગાડી શકે તે દૃષ્ટિએ લઘુતમ ત્રણ સહયોગીઓની જોગવાઈ ઇષ્ટ ગણાઈ છે – મંત્રીઓ, ગુપ્તચરો ઇત્યાદિમાં પણ. વળી આવી જોગવાઈને લીધે પ્રામાણિક એક ધર્મસ્થ દ્વારા સંભવિત શુદ્ધ બૌદ્ધિક દોષ કે નિર્ણયદોષ પણ ટળે છે. આને લીધે આપેલા ફેંસલા બાબત અસંતોષ કે ફરિયાદને અવકાશ મહદ્અંશે ટળે છે અને આજની જેમ ફરિયાદોનો વિચાર કરવા માટે ઉચ્ચતર ન્યાયાલયોની વ્યયકારી ને વિલંબકા૨ી જોગવાઈ કરવાનું ટાળી શકાય છે. અલબત્ત, અગાઉ જોયા પ્રમાણે ફેંસલા બાબત અસંતોષની સ્થિતિમાં રાજાની પ્રત્યક્ષ મુલાકાત લઈ શકાય છે. આ જોગવાઈનો મર્યાદિત પણ ચોખ્ખો ઉપયોગ થઈ શકે છે. એનું પ્રતીકાત્મક મૂલ્ય ઘણું છે, અને ન્યાય તોળનાર પર એક જરૂરી ડારો પણ રહે છે. રાજા પોતાની દિનચર્યામાં જે ઊલટ, વિવેક અને પ્રજાવત્સલતાથી એ મુલાકાતના કાર્યક્રમને સ્થાન આપે છે તે અગાઉ આપણે જોયું છે. એ વસ્તુસ્થિતિ રાષ્ટ્રનાં સર્વ ન્યાયાલયો અને તેમાં બેઠેલા ધર્મસ્થોને કેમ વર્તવું તેના પ્રબળ સંકેતો આપે છે. દીવાની વિવાદોમાં, જેમ અન્યાયનો ભોગ બનનારને, એની ફરિયાદને આધારે અદ્દલ ન્યાય મળે તે માટેની ઉત્કટ તાલાવેલી ઉચ્ચાશયી રાજ્યતંત્ર દાખવે છે, તેમ ફરિયાદીની સાચી કે નક્કર ભૂમિકાનું પરીક્ષણ કરવાની ખાંખત કે સમીક્ષક વૃત્તિ પણ તે બતાવે છે. ‘અર્થશાસ્ત્ર'માં સર્વત્ર કોઈ પણ વિવાદમાં સંડોવાયેલા સામ-સામા બંને પક્ષોના આશયોનું નિષ્પક્ષ, નિપુણ પરીક્ષણ કરવાનું વલણ જોવા મળે છે. તે રીતે ફરિયાદ કરવા માટેની પાત્રતા એટલે કે સાચી ભૂમિકા ઠેરવવા બે પક્ષ વચ્ચેનો કેવા સ્વરૂપનો સંબંધ કે કેવો પૂર્વકરાર માન્ય ગણવો તેની પણ વ્યવહારુ વિગતો આપેલી છે. જ્યાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે અમુક રીતે વર્તન કરવાનું જે તે સમાજનાં કે સમુદાયનાં નિર્વિવાદ ધારાધોરણો મુજબ અપેક્ષિત હોય, તેવા કિસ્સામાં જ તેનાથી જુદા અમાન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy