SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ગ્રંથના ત્રીજા ધર્મસ્થીયમ્ અધિકરણના પ્રથમ અધ્યાયમાં ન્યાયતંત્રની સમગ્ર કાર્યપદ્ધતિ અને કોઈ પણ વિવાદની ન્યાયપાત્રતા માટેની શરતો કે ભૂમિકાની તેજસ્વી રસપ્રદ ચર્ચા હંમેશ મુજબના ચોક્સાઈભર્યા સર્વસમાવેશક લાઘવ(સંક્ષેપ)થી કરાઈ છે. તેમાં ઇષ્ટતમ ન્યાયતંત્ર સંબંધી ઘણા માર્મિક પ્રશ્નોના ઉત્તર મળી જાય તેવી સુબોધ, માર્ગદર્શક, તર્કબદ્ધ વાતો ગૂંથાયેલી છે. આજની જેમ, મળેલા ફેંસલાના પુનર્વિચાર માટે ઉચ્ચાવચ કક્ષાનાં અનેક ન્યાયાલયોની વ્યવસ્થા એમાં સૂચવાઈ નથી. અલબત્ત, રાજા પોતે જ આવા પુનર્વિચારનું સ્થાન હોવાનું, રાજાની દિનચર્યાની અગાઉ કરેલ વિસ્તૃત વાતમાં જોયા મુજબ, સૂચવાયું છે. આ અને બીજી અનેક જોગવાઈઓને કારણે ઉચ્ચતર ન્યાયાલયોની વિલંબકારી વ્યવસ્થા અનાવશ્યક બની રહેતી હશે. ન્યાયતંત્રની સત્યનિષ્ઠા, શીઘ્રતા અને દઢતાનો આધાર તો છે ધર્મસ્થો(ન્યાયાધીશો)નાં પ્રજ્ઞા (સર્વાંગી તેજસ્વી બુદ્ધિ), શૌચ (સર્વાંગી ચારિત્રશુદ્ધિ) અને કર્મઠતા પર અને તેની તકેદારીભરી જાળવણી ૫૨. તંત્રના મોટાં કે ઝાઝાં માળખાં તો પ્રાયઃ કરવાનાં કાર્યોને ઠેલે જ છે તે વાત આજની સ્થિતિના સંદર્ભે ‘પાર્કિન્સનના સિદ્ધાંત' (Parkinson's Law) તરીકે ઓળખાય છે ‘બાઈ-બાઈ ચાયણી’ની રમત તરીકે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે ! ૨૬૩ - ગામેગામના ન્યાયતંત્રનો સીધો ઉલ્લેખ તો ક્યાંય થયો નથી; પણ દરેક ગામમાં ‘મુખ્યો’ એટલે કે એકાધિક મુખીઓ કે વિશ્વસનીય અને શાણા એવા સજ્જનો ગામનાં સુલેહસંપમાં સહાયક હોવાનું અધ્યાય ૬. ૨.૧માં જરૂર સૂચવાયું છે. અનાથ, વિધવા વગેરેનું ધન, પરણેતરોનું ‘સ્ત્રીધન’ ઇત્યાદિ ગ્રામમુખ્યો પાસે અથવા તો એમની આમન્યા નીચે સલામત રીતે સચવાતું હોવાની પરંપરા પણ બતાવાઈ છે. આજના સ૨પંચ જેવી, પણ એકાધિક સંખ્યાને કા૨ણે વધુ વિશ્વાસપાત્ર એવી આ મુખ્યોની વ્યવસ્થા જણાય છે; એથી તો “પંચ કહે તે પરમેશ્વર” એવી કહેવત પ્રચલિત બની. Jain Education International આખા રાષ્ટ્રનાં સુખ-શાંતિ અને સુલેહ-સંપ સાચવવામાં, અગાઉ ચર્ચા મુજબ, સમાહર્તાની દેઢ નિશ્રામાં પ્રવર્તતી જાગૃત વહીવટી કામગીરી પણ અત્યંત ઉપકારક જણાય છે. તેના હાથ નીચેના રાષ્ટ્રવ્યાપી કે ગામગામના અનુક્રમે ‘સ્થાનિક', ‘ગોપ' ઇત્યાદિ કાર્યકર્તાઓ ઘરઘરની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સ્થિતિનું વ્યક્તિદીઠ નિયમિત સર્વેક્ષણ રાષ્ટ્રના ઉત્થાન-આયોજનના દઢ પાયા તરીકે કરતા હોય છે. આને આધારે રાજ્યતંત્રની રાહબરીમાં સધાતી પ્રત્યેક વ્યક્તિની માવજત, ઉન્નતિમાં સર્વની શક્તિ જોડાય તે રીતે આયોજાતી સામાજિક સહભાગિતા અને પુરુષાર્થફળોનું સમવિતરણ (caring and sharing) ઊંચી સાંસ્કૃતિક ઘટના બની રહીને જે આર્થિક, સામાજિક સમાનતા અને સાંસ્કૃતિક એકરસતા નિરંતર વધારે છે ને ફેલાવે છે, તે જ વસ્તુસ્થિતિ સમાજમાં કલહો, વિવાદોને ઓછામાં ઓછો અવકાશ આપે છે. સામાજિક, આર્થિક ન્યાયનું નિરંતર ધૈર્યભર્યું પ્રજાકેન્દ્રી નિર્માણ જ અસલ ન્યાયતંત્ર છે. અન્યાયો ભરપટ્ટે ચાલવા દેવા અને તે સામે સ્થૂળ ન્યાયાલયોનું સંકુલ જાળ સ્થાપવું એ તો ‘ખાતર ઉપર દીવેલ' જેવી અવળી નીતિ છે. જેમ રોગને તેમ અન્યાયને પેદા જ ન થવા દેવા તે, તેના થવા દઈ પછી તેના ઉપચારના ઉધામા કરતાં વધુ શાણી, બલ્કે એકમાત્ર સાચી નીતિ છે. આ ઉપરાંત, આ અગાઉ સારી પેઠે ચર્ચાયેલાં શાણી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy