SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તકલાદી એવા ફળથી વંચિત (અલગ) કરીને, સમાજ વચ્ચે તેના મલિન ઇરાદા ઉઘાડા પાડીને, તેની તાત્કાલિક અપ્રતિષ્ઠા કરીને, તેમ જ “પોતાના સમાજમાં ધર્મ આચરવા દ્વારા પ્રતિષ્ઠા, તેમ જ પોતાને અને પરિવારને સદે અને પચે તેવી સફળતા મળે છે તેવી સમજણ ઉપજાવીને, સરવાળે માનવમાત્રમાં ઢંકાયેલી પડેલી પશ્ચાત્તાપવૃત્તિની અને શુદ્ધિની કકડીને ભૂખ જગાડવાનું કામ સાબદું ન્યાયતંત્ર કરે છે. બીજી રીતે કહીએ તો “પાપી, પાપ મેં વૈન દો ?” – એવા, પાપીના મનમાં આપમેળે ઊભા થતા હિતકર પ્રશ્ન દ્વારા અપરાધવૃત્તિ તરફ સહજ જુગુપ્સા (તિરસ્કાર, નફરત) જગાડવાનું કામ ઠરેલ ન્યાયતંત્ર કરી શકે છે. અપરાધ માટે કરાતા દંડને માટે જે “શિક્ષા' શબ્દ પણ વપરાય છે, તે એક બાજુએ અપરાધીને મળતું ચિત્તનું શિક્ષણ સૂચવે છે, તો વળી શિક્ષ ધાતુના મૂળમાં પણ શમ્ ધાતુ હોવાના અને તેના ઇચ્છાદર્શક સાધિત ધાતુ તરીકે શિશ્ન ધાતુ નીપજતો હોવાના વ્યાકરણશાસ્ત્રીય તારણ મુજબ, “શિક્ષા' શબ્દથી હિતકર ગુરુની કે ઉચ્ચ રાજયતંત્રની, અજ્ઞાની કે અપરાધી વ્યક્તિને શીલસમૃદ્ધિથી સમર્થ બનાવવાની ગુપ્ત પણ અનિવાર્ય એવી ઇચ્છા કે કરુણા પણ સૂચવાય છે. ન્યાયતંત્રને ધર્મનું ઉપકરણ ગણનાર ભારતીય પરંપરા ન્યાય તોળવા પાછળ માત્ર સ્થળ બદલાની ભાવના કે અન્ય શક્ય અપરાધી માટે અપરાધ કરવા સામે જબરો ડારો ઊભો કરવા વગેરે સ્વરૂપના કેવળ નકારાત્મક ધ્યેયની માન્યતાને નિવારે છે. ચોક્કસ વિધિઓમાં સ્થિર થયેલું ન્યાયતંત્ર ફેંસલા દ્વારા રાજ્યતંત્રની મનસ્વિતા, રાગદ્વેષવૃત્તિ કે નર્યો જુલ્મ અભિવ્યક્ત કરવાનું સાધન ન જ હોઈ શકે. કૌટિલ્ય અધ્યાય ૪.૧.૪માં “દંડનીતિ-વિદ્યાનું સ્વરૂપ ચર્ચતાં રાજાની દંડપ્રયોગસંબંધી યથાર્થ નીતિ અંગે એક ટૂંકી માર્મિક ચર્ચા કરી છે તે ન્યાયતંત્રના સ્વરૂપને પણ લાગુ પડે છે. સૂત્ર ક્ર.૧.૪.૫-૧૨માંની આ ચર્ચામાં રાજનીતિવિદ્યાના આચાર્યોએ કરેલી કડક દંડનીતિની ભલામણ ઉલ્લેખીને તેનું નિરસન (ખંડન) કરતાં કહેવાયું છે કે “રાજાએ ન “તીક્ષ્ણદંડ' (તીક્ષ્ણ છે દંડ જેનો તેવા અર્થાત્ દોષો કે અપરાધો સામે ઉગ્ર પગલાં જ ભર્યા કરનાર) થવું કે ન મૃદુદંડ. દીર્ધદષ્ટિ અને ઉચ્ચાશયી દૃષ્ટિ એમ બેવડા અભિગમથી મધ્યસ્થ(તટસ્થ)-ભાવે પરિસ્થિતિની સમીક્ષા કરીને રાજા દ્વારા લેવાયેલાં સમધારણ (moderate) પગલાં જ સફળપણે પ્રજાઓને ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગ(ત્રણ પુરુષાર્થોના સમૂહ)માં નિરંતર સ્થાપી ધન્ય બનાવે છે અને રાજાની પ્રતિષ્ઠાને પણ દેઢ કરે છે. કામ, ક્રોધ કે તિરસ્કારથી પ્રયોજાયેલો દંડ વાનપ્રસ્થ અને પરિવ્રાજકો જેવા સૌમ્ય-શાંત પ્રજાવર્ગોમાં પણ પ્રકોપ જન્માવે છે, તો ગૃહસ્થ-જીવન જીવતા સામાન્ય પ્રજાજનોનું તો પૂછવું જ શું ?” કેવો માનવકેન્દ્રી, કૂણો અને અદબભય અભિગમ ! આવા રાજયતંત્રના પાયાના અભિગમમાં જ આજની માનવ-અધિકારની ચોકી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રબુદ્ધતા (ઉચ્ચ જાગૃતિ) ગૂંથાઈ જાય છે. ન્યાયતંત્રને શીઘન્યાય માટે તાકીદ કરતી એક જાણીતી અંગ્રેજી ઉક્તિ છે : Justice delayed is justice denied (અર્થાત્ વિલંબે અપાતો ન્યાય તે ન્યાય નકાર્યા બરાબર છે). આ પરિસ્થિતિ નિવારવા ન્યાયતંત્ર વિકેન્દ્રિત સત્તાવાળું, બહુકેન્દ્રી અને કર્મઠ હોય તે આવશ્યક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy