SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ આર્થિક સંબંધો, શારીરિક કે વાચિક હિંસા અંગેના અપરાધો, નાગરિકે રાજયસંસ્થા પ્રત્યે જાળવવાની વાજબી અદબ અંગે – આમ વિવિધ મોરચે દંડવિધાન દ્વારા નિયમન કરનારા કાયદા બન્યા. આ બધાન હેતુ પારસ્પરિક સામાજિકતા જાળવીને સંબંધોમાં ન્યાય અને સમાનતા આણવાનો અને તે દ્વારા મનુષ્યન માણસાઈનો વિકાસ કરવાનો હતો. ‘કલ્પ’-વેદાંગ-અંતર્ગત પ્રથમ રચાયેલાં ‘ધર્મસ્ત્રો'માં સમાજનુ નિયમન કરનારા ઉપર્યુક્ત વિવિધ કાયદાઓ નિરૂપાયા હતા. તેમાંથી જ પાછળના ધમશાસ્ત્ર-ગ્રંથો અને વિવિધ ‘સ્મૃતિગ્રંથો’ રચાયા. માનવસ્વભાવનો બરોબર વિચાર કરીએ, તો અનેક વ્યક્તિઓના આત્મસંયમના બળે નિર્માણ પામેલા પરસ્પર વિશ્વાસના સહજ-સંગીન પાયાને આધારે જ ‘સમાજ’ નામનું અમૂર્ત પણ વાસ્તવિક શરીર અસ્તિત્વમાં આવ્યું. સમાજ ભલે વિશાળ હોય અને વિશાળ પ્રદેશમાં ફેલાયેલો હોય, પણ રોજિંદા પ્રત્યક્ષ સંબંધ વિકસે તો વિવિધ ફળિયાં કે મોહલ્લામાં અને અનેક ફળિયાં ધરાવતાં એકજથ્થુ, એકરાગે વસેલાં ગામમાં. વળી જરૂરી સમૃદ્ધ સમૂહબળ નિપજાવવા અર્થે નજીક-નજીકનાં ગામોના બહુમુખી અર્થપૂર્ણ સંબંધ વિકસાવવા વેદકાળમાં ‘વિ' નામનું ગ્રામસમૂહરૂપ ઘટક પણ મૂર્ત થયું. પ્રાકૃતિક (ભૌગોલિક) એકમમાં સમાનારાં ગામોનું જ એક નૈસર્ગિક જૂથ નીપજી આવવાનું પણ વ્યાપક રીતે બને. ધીમે ધીમે આવા ગ્રામસમૂહના લોકોની દ્વિતીય કક્ષાની કે જીવનને વિશેષ સંસ્કારનારી જરૂરિયાતોની ખરીદી માટે કે સ્વનિર્મિત વધારાની ખાદ્ય-અખાદ્ય ચીજોના વેચાણ માટે નાનાં નગરો કે કસ્બા, ખાસ વેપારી નગરો, પરદેશ સાથે દરિયામાર્ગે માલની આયાત-નિકાસનો સાહસિક ઉદ્યમ ખિલવનારાં બંદરો ઇત્યાદિ પણ સાકાર થયાં. કૌટિલ્યે તેમના જમાનાની પરિસ્થિતિ મુજબ દસ ગામ, બસો ગામ, ચારસો ગામ અને આઠસો ગામ વચ્ચે અનુક્રમે ‘સંગ્રહણ', ‘ખાર્વટિક’, ‘દ્રોણમુખ' અને ‘સ્થાનીય’ એવાં પ્રકારનામો ધરાવતાં ઉચ્ચાવચ મથકોના નિર્માણની નોંધ લીધી છે. તેમાંનું છેલ્લા પ્રકારનું નગર રાજધાની હોય તેમ જણાય છે. રાજધાનીમાં આખા રાષ્ટ્રનાં વહીવટ, રક્ષણ, વ્યવસાય-પ્રવર્તન અને પરિપોષણનું સંકુલ તંત્ર ગોઠવાતું. તેને કારણે રાજધાની એ કોઈ પણ રાષ્ટ્રનું હૃદય બની રહેતી. તેથી જ શત્રુરાજા જે-તે રાષ્ટ્રને જીતી લેવા રાજધાનીની ચોટી પકડીને તેને જ કબજે કરી લે તે પર્યાપ્ત થતું. આ કારણે રાજધાનીનું પાકે પાયે રક્ષણ જરૂરી બનતાં તેની આસપાસ પ્રાકૃતિક દુર્ગ કે એક સંકુલ રૂપે માનવ દ્વારા નિર્મિત દુર્ગ (નરદુર્ગ – કિલ્લો) રચવાની જોગવાઈ થઈ. એને કારણે ખુદ રાજધાની માટે પણ ‘દુર્ગ’ શબ્દ પ્રચલિત બન્યો; એટલું જ નહિ, રાજ્યનાં અનિવાર્ય સાત ઘટકો પૈકી ‘દુર્ગ’ એક ઘટક બની રહ્યો. ૧૧ મનુષ્યજાતિના ઇતિહાસમાં પ્રાથમિક જ્ઞાન પરથી પણ એ જણાય છે કે વિવિધ દુર્લભ લાભો મેળવવા માટે સમાજમાં રહેવાનું તો મોટા ભાગના મનુષ્યોને પસંદ છે, પણ તે માટે બીજાનાં સુખનો કે લાભનો પણ પૂરો ખ્યાલ રાખીને સ્વેચ્છાએ પોતાના વર્તનનું નિયમન કરવા તત્પર વર્ગ ઘણો જ નાનો છે. (એક સંસ્કૃત સુભાષિત કહે છે : “મનુષ્યો ધર્મનું ફળ ઇચ્છે છે, પણ ધર્મ આચરવાનું ઇચ્છતા નથી’ ધર્મસ્ય મિન્તિ ધર્મ નેતિ માનવા: !) હા, દંડના પાકા ભયથી સીધો ચાલનારો વર્ગ મોટો છે ખરો ! તો વળી સમાજને છૂપી રીતે ફોલી ખાનારો વર્ગ (કૌટિલ્યોક્ત ગૂજનીવિન:) સંખ્યામાં વત્તોઓછો હોય તો યે રાજ્યતંત્રની ઊંઘ હરામ કરી દે તેટલી કુટિલતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy