SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હવે શરૂઆતમાં રાજ્યસંસ્થાની મુખ્ય ફરજ હતી નવું-નવું સહજીવન શીખતા વિશાળ સમુદાયોમાં પ્રવર્તતી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની કે જૂથ-જૂથ વચ્ચેની બહુવિધ વિષમતાઓ, ઉદંડતાઓ(આડાઈઓ)નું નિયમન, શમન કે ઉચ્છેદન બળ અને કળ એ બંને માનવીય ઉપાયોથી કરવાની. એટલે એ આધારે રાજ્યના એ કર્તવ્યને નામ મળ્યું ‘દંડનીતિ’. દંડનું કામ હતું દમન એટલે કે પાકું નિયમન કરવાનું. એમાં શક્તિનો ફટાટોપ અને લાલ આંખ બતાવવાનું પ્રસ્તુત હતું. તેથી દંડનું વર્ણન કરતાં તેને ‘લાલ આંખવાળો' (રોહિતાક્ષઃ) કહેવાયો છે. પણ કૌટિલ્ય સુધ્ધાં કહે છે તેમ એ દંડશક્તિએ પ્રથમ તો આત્મસંયમ દ્વારા આત્મનિયમન કે પાકું સ્વદોષનિરસન કરવાનું હતું. સ્વયં વિનીત હોય તે જ સર્વાંગી આત્મબળથી વિશાળ, ભાતીગળ સમુદાય-જાળનું નિયમન કરી શકે એવું સુભગ દર્શન ઋષિ-પ્રેરિત ભારતવર્ષને થયેલું. ૧૦ એટલે રાજ્યતંત્રે જે-જે વિવિધ દંડ કે શિક્ષાઓ નિયમન માટે પ્રવર્તાવવાનાં હતાં, તે જાતે મનમાની રીતે ઉપજાવેલાં નહોતાં, પણ ઉક્ત ધર્મશાસ્ત્રો દ્વારા જ સૂચવાયેલા પ્રબુદ્ધ આયોજનના વિનીત અનુસરણરૂપ હતાં. ખ્રિસ્તી ચર્ચ અને રાજ્યસંસ્થા વચ્ચે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશોમાં જે હોંસાતુંસી, દારૂણ ગજગ્રાહ કે સંઘર્ષ હતાં, તેનો એકંદરે ભારતીય પરંપરામાં અભાવ હતો. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણ પોત-પોતાની મર્યાદાને અને પરસ્પર પ્રત્યેના સમબલ આદરને બરોબર જાળવતા. બ્રાહ્મણવર્ણના રાજ્ય સાથે જોડાયેલા પ્રતિનિધિરૂપ પુરોહિત કે દરબારમાં બેઠેલા પંડિતો કે ઋષિઓ સાથે રાજા કે તેના મંત્રીઓનો એકંદરે અત્યંત સહયોગી સંબંધ જળવાતો. બ્રાહ્મણ-અગ્રણીઓ અને ક્ષત્રિય-અગ્રણીઓ પરસ્પર કેવા આદર અને વિનય જાળવતા એના અનેક પ્રસંગો વિવિધ પુરાણોમાં તેમ જ મહાભારત-રામાયણમાં અંકિત થયેલા છે. અલબત્ત, આના અપવાદો પણ એમાં જરૂર અંકિત થયેલા છે. પણ ‘અપવાદ નિયમને દઢ કરે છે' એવા ન્યાયથી એ અપવાદોને જોવા ઘટે. ઉપર ચર્ચા મુજબ, રાજા અને સમગ્ર રાજન્ય-વર્ગે જાળવવાની એક અગત્યની અદબ, પ્રાચીન-ભારતીય રાજનીતિના અનેક મૌલિક અધ્યેતા અને પ્રવક્તા પૈકીના એક જૈન મુનિ સોમદેવસૂરિના નીતિવાળ્યામૃત ગ્રંથના એક સૂત્રમાં આમ સરસ રીતે કહેવાઈ છે : ‘શસ્ત્રાધિકારીઓ તે શાસ્ત્રાધિકારીઓ ન બને.’’૮ મહાન અનર્થોમાંથી સમાજને અને રાષ્ટ્રને બચાવનારી આ કેટલી મહત્ત્વની મર્યાદા છે તે અનુભવીઓની કે વિચારશીલોની નજર બહાર નહિ જ રહે. તો હવે મૂળ વાતનું અનુસંધાન કરીએ. રાજ્યતંત્રની સૌથી પાયાની જે દંડપ્રવર્તનની એટલે કે સુચિંતિત નિયમનોના અમલની ફરજ હતી, તે કેટલી વ્યાપક અને સમાજજીવનનાં સર્વ અંગો કે પાસાંને સ્પર્શનારી હતી તે જોઈએ. સ્ત્રી-પુરુષ-સંબંધ અન્વયે સામાજિક અને આર્થિક ન્યાય બંને પક્ષે જળવાય તે માટેનાં તેમ જ યૌનસંબંધ અંગેના કર્તવ્યો બાબતનાં અનેક નિયમનો સ્થિર થયેલાં. બહુપત્નીત્વના અન્વયે, તો વળી સ્ત્રી દ્વારા વફાદારી-ભંગ અન્વયે ઊભા થતા પ્રશ્નોના ઉકેલ અર્થે અને તે અન્વયે સંતાનોની આર્થિક-સામાજિક સુરક્ષા અંગે પણ અનેક નિયમનો સ્થિર થતાં ગયેલાં. પિરવારમાં નવી પેઢીના વારસાહક તથા સ્ત્રીની જીવાઈ અંગે અનેક નિયમનો અને દંડવિધાન સ્થપાયાં. તેનાથી આગળ વધીને જમીનની માલિકી, ઘર કે જમીનની સરહદો, વેપારી ભાગીદારી, માલિક અને નોક૨ દાસ વચ્ચેનો સંબંધ, ખરીદ-વેચાણ જેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy