SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સભા' શબ્દ (સહ મતિ મત્ર સા સમા – જેમાં સહુ સાથે શોભે અર્થાત્ જ્યાં સૌને સમાન ગૌરવ અને અભિવ્યક્તિનો અધિકાર હોય છે તેવું ઔપચારિક કાર્યસાધક મિલન, યા તેવા મિલન માટેનું ખાસ સ્થાન) ઉપરાંત સભામાં ભાગ લેવા માટેના અનુરૂપ સર્વ સંસ્કાર પામેલી વ્યક્તિ માટે ‘સમય’ કે ‘સખ્ય’ શબ્દો વિવિધ સંદર્ભે વેદોમાં મળે છે. “અથર્વવેદ'માં સમેય બનવા માટેની પ્રાર્થનાનું એક ખાસ સૂક્ત મળે છે. પ્રાચીન પરિભાષા મુજબ વર્ણાશ્રમધર્મને સુદઢ રીતે પ્રવર્તાવવા માટે – સાદી ભાષામાં : સમાજજીવનને સર્વાગીપણે સુદઢ કરવા માટે - રાજધર્મ હતો. એ રાજધર્મના હાર્દરૂપ માનવ-વર્તનના નિયમનનો પ્રાકૃતિક પાયો હતો રાષ્ટ્રના જ લઘુતમ નમૂનારૂપ સ્ત્રી-પુરુષ-સંબંધમાં લગ્ન-સંસ્થાદિ રૂપે પ્રવર્તતા નિયમનમાં, તેમ જ વેદમાં ટ્રમ એવા મહિમાયુક્ત શબ્દથી ઉલ્લેખાતા પરિવારગૃહમાં સ્થપાયેલા નિયમબદ્ધ માનવસંબંધોમાં. પરિવારના વાસસ્થાનરૂપ ગૃહને ‘રમ' સંજ્ઞા એટલે મળેલી કે એમાં પરિવારની સુદઢતા સિદ્ધ થાય તેવા ટ્રમ કે રમત(આત્મસંયમ)નું પ્રવર્તન હોય છે. પરિવારનો પાયો છે સંયમ-કૌશલ પર આધારિત એવો સ્ત્રી-પુરુષનો બહુમુખી સહયોગ. સ્ત્રી-પુરુષ-સંબંધમાં નીપજતી “રતિ' (સંભોગજન્ય આનંદ)ની અવનવી મનોહારિતા, ચિરંજીવિતા અને કલ્યાણકારિતાનો આધાર પણ સંયમ પર છે. એવી સ્થિર રતિના અનુભવથી યુગલમાં સધાતો સ્થાયી સંતોષ જ પરિવારને વિશિષ્ટ સંબંધોથી ગૂંથાયેલા મનુષ્યોનો, આનંદ અને સહયોગથી ગુંજતો વડલો બનાવે છે. ધર્મશાસ્ત્ર સમાજનાં આ યુગલરૂપ અને પરિવારરૂપ ઘટકોનાં હાદરૂપ નિયમનોને મનોવૈજ્ઞાનિક ઔચિત્ય કે આનુકૂલ્ય જાળવીને સ્થાયી રૂપ આપ્યું. આ છેક પાયાના સામાજિક ઘટકથી માંડીને તેના આધારે વિકસેલાં ઉચ્ચાવચ સામાજિક ઘટકાને ટકાવનારાં બહુમુખી નિયમનોને પણ સ્થિર કર્યા. અનુભવને આધારે લચીલી વિવેકિતા વાપરીને નિયમોના અનેક અપવાદોને પણ, વાજબીપણું જોઈને માન્ય કર્યા. સમયાનુરૂપ અનિવાર્ય નિયમ-પરિવર્તનો પણ કાળે કાળે અનેક ધર્મશાસ્ત્રકારો દ્વારા થતાં રહ્યાં, માન્ય કરાતાં રહ્યાં. આના જ ભાગરૂપે એક નૈસર્ગિક બૃહત્ મુલ્કમાં સ્થિર થયેલાં અનેક સ્થાનિક, સ્વયંપૂર્ણ પ્રજાજૂથોનાં સામૂહિક ધારણ, પાલન અને પોષણ અર્થે સમાજના જ ઘટકરૂપ ક્ષત્રિય વર્ણ અને તેમાંના રાજન્ય-વર્ગમાંથી નીપજેલી રાજ્યસંસ્થા (અર્થાત્ ક્ષત્રિયોમાંના એક કે અધિક પુરુષવિશેષની રાહબરીમાં દંડનું પ્રવર્તન કરી સમાજના સ્થાયી વિકાસને અનુરૂપ સુવ્યવસ્થા; ન્યાય અને મહિમામય અર્થપ્રવૃત્તિ માટેનું સમગ્ર સાધનજાળ ઊભું કરનારી તંત્રવ્યવસ્થા) અસ્તિત્વમાં આવી. ભારતીય અનેક સુચિંતિત, સમતોલ પરંપરાઓની જેમ, મૂળમાં વર્ણવ્યવસ્થા, ભગવદ્ગીતાએ સ્પષ્ટ બતાવ્યું છે તેમ, વ્યક્તિના નિસર્ગદત્ત આગવા સહજ ગુણને અનુરૂપ/અનુકૂળ કર્મની પ્રેમળ મનોવૈજ્ઞાનિક ભલામણરૂપ કે માર્ગદર્શનરૂપ હતી; વ્યક્તિ અને સમાજ એ બંનેનું હિત એક સાથે એક કાંકરે બે પક્ષી'ના ન્યાયે સધાઈ જાય તેવી કૌશલયુક્ત વ્યવસ્થા હતી. એમાં ન કોઈ વર્ણના ચઢિયાતાઊતરતાપણાનો ભાવ હતો, ને અહના સંઘર્ષોને અવકાશ હતો, ન એક વર્ણ દ્વારા બીજા વર્ણની હીલનાનો કે શોષણનો ભાવ. તો આને આધારે પ્રસ્તુત ચર્ચામાં એ સમજવાનું છે કે ક્ષત્રિયવર્ણ દ્વારા થતું વિશાળ મુલ્કનાં પ્રજાજૂથોનું નિયમન પણ સમગ્ર વર્ણવ્યવસ્થાના ભાગરૂપે, નિરહંકાર કર્તવ્યરૂપ હતું અને તેથી સર્વ વર્ણોની, અર્થાત્ આખા સમાજની અદબ બરોબર જાળવવાની હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy