SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૯ (પ) ન્યાયતંત્ર માનવ આ પૃથ્વી પર આગવાં દેહ અને મનોવૃત્તિરૂપે પૂરો સાકાર થયો, ત્યારે શરૂઆતમાં પોતાની ક્ષાત્રામાં જ સવિશેષ એકાગ્ર થયેલો હોઈ મુખ્યત્વે વ્યક્તિગત સંઘર્ષપ્રધાન જીવન જીવતો હશે. ધરતી મુખ્યત્વે વનોથી આચ્છાદિત હોઈ વન્ય ફળ-ફૂલ-મૂળ-કંદ અને અનુરૂપ વન્યપ્રાણીઓના હણેલા દેહો વડે પોતાનો નિર્વાહ કરતો હશે. પ્રાણીઓનો શિકાર કરતાં, અન્ય મનુષ્યો સાથે સંઘર્ષ પણ વત્તે ઓછે અંશે થતા રહેતા હશે. કદાચ તે અસ્થાયી નાનાં જૂથો રચવા જેટલી સામૂહિક ભાવના તો ધરાવતો હશે. એવી સ્થિતિ સેંકડો નહિ, પણ હજારો વર્ષ ચાલી હશે. પરંતુ આ પૃથ્વી પર માનવજીવન, બલ્ક પ્રાણીમાત્રનું જીવન, યુગોથી ઉત્ક્રાંતિના નિયમને વરેલું જોવા મળે છે. એ ક્રમે માનવપ્રતિભામાં કૃષિનાં સૂઝ-કૌશલ ઊભાં થઈ, એમાંથી એક ચોક્કસ સામૂહિક જીવન નવેસર કંડારી શકાય તેટલી સમજણ ઊભી થઈ હશે. શરીરનિર્વાહનું વધુ વિશ્વસનીય, સ્થાનિક અને નિશ્ચિત એવું સાધન મળતાં, એ સાધનને બરોબર ખિલવવા ભટકુ જીવનને સ્થાને સ્થાયી, નિવાસકેન્દ્રી જીવનનો પાયો જરૂરી બન્યો હશે. તે માટે સામાજિક વિકાસ સાથે “ગ્રામ', ગ્રામસમૂહરૂપ “વિશે” અને “વિશુ'-સમૂહરૂપ જનપદ કે રાષ્ટ્ર પણ, ક્રમશ: નિશ્ચિત સ્વરૂપની સામુદાયિક અસ્મિતા કે સંવેદનશીલતા ધરાવતા મુલ્કી સામાજિક એકમ તરીકે સાકાર થતાં ગયાં. માણસ માત્ર પોતાના દેહની જ માવજતને બદલે અનેક સહજીવીઓ સાથેના સંબંધની માવજતમાં એકાગ્ર થઈ અનેક જાતની સ્થૂળ-સૂક્ષ્મ સમૃદ્ધિ અને જીવનસાર્થકતા અનુભવવા લાગ્યો. એથી સભાનપણે પોતાનાં દૈહિક-વાચિક વર્તનોને અને એનાં મૂળરૂપ વૈચારિક કે માનસિક-બૌદ્ધિક વર્તનોને પણ સ્વૈચ્છિક નિયમન(સં-યમ)માં સ્થાપવામાં ધન્યતા કે રસાળતા અનુભવવા લાગ્યો હશે. આવો સંયમ આખા સમુદાયમાં તો સ્વયંભૂપણે નહિ પ્રગટ્યો હોય, પણ દરેક જૂથમાંના થોડાક સ્વયંભૂ સંયમીઓ પ્રત્યેની શ્રદ્ધાના બળે, પ્રમાણભેદે પણ બાકીના સભ્યોમાં સંયમ અનુકરણ પામતો ગયો હશે. (“ઋગ્વદ'માંના યમદેવ, ખરેખર તો આવા સંયમીઓના પ્રથમ પૂર્વજરૂપ અને તે કારણે મૃત્યુ પછીના સુખશાંતિભર્યા મિલનસ્થાનરૂપ લોકને શોધી કાઢનારા ગણાયા છે !) સમાજરચનામાં સંયમના પ્રાધાન્યને કારણે કોઈ સમુદાયમાં જેનું પ્રાધાન્ય હોય તેના આધારે તે સમુદાય તેવું બિરુદ (પૂર્વેશ) પામે છે” (પ્રાધાન્ચન પદ્દેશ: મવતિ) એ પ્રસિદ્ધ ન્યાય મુજબ એ સમુદાય અજાણ્યાઓ માટે પણ પાસે જવા લાયક (fમાગ) બનતાં શબ્દભેદે “આર્ય' (પાસે જવા લાયક, મૈત્રીયોગ્ય) એવું બિરુદ પામ્યો હશે. વ્યક્તિગત રીતે સૂઝેલાં અને કેળવણીથી સમુદાયમાં ફેલાતાં જતાં સંયમો કે નિયમનો સમાજને સારી રીતે ટકી રહેવામાં ઉપકારક લાગતાં “ધર્મ' (ધારણ કરનારા એટલે કે ટકાવનારા નિયમો) તરીકે પણ ઓળખાવા લાગ્યાં. આખા સમાજમાં સુદીર્ઘકાળ સુધી અનુકૂળ અને સર્વોપકારક લાગેલાં અને તે રીતે સમાજ-દેહમાં બરોબર પચી ગયેલાં નિયમનો જ ભાષાબદ્ધ થઈ સંચિત થતાં ગયાં અને પેઢી-દર-પેઢી આવર્તન (રટણ) પામતાં ધર્મશાસ્ત્ર' તરીકે ઓળખાવા લાગ્યા, અને કંઠસ્થ – બલ્ક ‘આચાર' – અને ગ્રંથસ્થ એમ બે આકારે ટકી રહ્યાં. ધર્મશાસ્ત્રનું ચિંતનક્ષેત્ર વિશાળ હતું : વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાજાના ધર્મો અર્થાત્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy