SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પત્રવાહક (શાસનદા) દૂત, કાં તો થોડી જ સીધી-સાદી (માહિતીલક્ષી) વાત કરવાની હોય તેવો (મિતાથી દૂત અથવા તો પોતાની બહુમુખી પ્રતિભા મુજબ રાજાએ ચીંધેલી નીતિ મુજબ આખી વાતની પોતાની પ્રગલ્સ (પ્રૌઢ) વિવેકબુદ્ધિથી પોતાની ઢબે રજૂઆત કરનાર (નિવૃષ્ટી) દૂત મોકલવામાં આવતો. તે ત્રીજા પ્રકારના દૂતની જ કામગીરીનું જે રસપ્રદ વર્ણન એ અધ્યાયમાં છે, તેમાં તેણે ગુપ્તચરનું કાર્ય પણ, જરૂર મુજબ, માત્ર તપાસ પૂરતું કરવાનું હોય છે તે તરફ અહીં ધ્યાન દોરવું જોઈએ. એ દૂતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના દ્વારા એ પરરાજયના કોઈ ગુપ્તચરો પોતાના રાજયની કોઈ પણ મર્મરૂપ બાતમી ન મેળવી લે. ‘દૂત કાયમ અવધ્ય ગણાય” તેવી વ્યાપક રાજનૈતિક શિસ્ત હોવા છતાં, કોઈક વાર પોતાના પ્રાણ પર સામા રાજાના માણસો દ્વારા ભય જણાય તો તે સાવધાનીથી પારખી લઈને પોતાના પ્રાણ બચાવી પલાયન થઈ જવાનો આદેશ છે. આ બતાવે છે કે ગુપ્તચરકર્મની નિપુણતા જરૂર મુજબ અન્ય હોદાધારકોએ પણ બરોબર બતાવવાની હોય છે. ક્યાંય ખોટા વિશ્વાસના કે ભોળપણના ભોગ ન થવાય તે ખાસ જોવાનું છે. દરેક રાજા કે રાજયતંત્રની તાસીર મુજબ ગુપ્તચરતંત્રના વિધિસરના કે મેલી રીતના ઉપયોગ થતા હોય છે. તે બધા અંગે ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. બીજી વાત છે “ઉપધાની એટલે કે અધિકારીના વિવિધલક્ષી ચારિત્ર-પરીક્ષણ માટે યોજાતા છટકાની (ઊભા કરાયેલા કસોટીરૂપ પ્રસંગની). આ એક પ્રકારની પ્રાયોગિક ગુપ્તચર્યા છે. ગ્રંથમાં, ગુપ્તચરતંત્રના વર્ણનના ઉપર્યુક્ત બે (૧.૧૧, ૧૨) અધ્યાયો પૂર્વેના અધ્યાય ક. ૧.૧૦માં આનું વર્ણન છે. તે કામ પણ ગુપ્તચરોએ જ કરવાનું છે. ઉપધામાં મનુષ્યની પ્રકૃતિના કોઈ મહત્ત્વના ચોક્કસ પાસાની ચોક્કસ કસોટી થઈ જાય તેવી પરિસ્થિતિવાળો પ્રસંગ ઊભો કરાય છે. ઉપધાનો પ્રયોગ મુખ્યત્વે અમાત્યો કે મંત્રીઓ પર કરવાનો છે; કારણ કે તેઓ જ રાષ્ટ્રનાં તે-તે કાર્યોના નિર્ણાયક અને વહીવટદાર હોય છે. તેમાં જે-તે સેવકની પાયાની સાચી ધાર્મિકતાની તપાસ કરતી “ધર્મોપધા', લોભવૃત્તિની પરીક્ષા કરતી “અથપધા', કામવૃત્તિની તપાસ કરતી “કામો પધા' અને બીકણપણાની તપાસ કરતી “ભયોપધા'નું વર્ણન છે. તેમાં ક્યો મંત્રી | અમાત્ય કઈ બાબતે કાચો ને કઈ બાબતે ચોખ્ખો છે તે તપાસીને તેને અનુરૂપ ખાતાની કામગીરી સોંપાય છે. આમાંનો કોઈ એકાદ દોષ કોઈમાં હોય તો યે વ્યક્તિને નકામી ગણવામાં નથી આવતી એ માનવીય અભિગમ નોંધપાત્ર છે. સર્વ ઉપધામાં શુદ્ધ ઠસ્સાને મંત્રી બનાવવો અને સર્વ ઉપધામાં અશુદ્ધ ઠરેલને પણ છૂટો કરી બેકાર અને સમાજ માટે ભયાવહ ન બનવા દેતાં તેના દોષો આડા ન આવે તેવી પાયરીનાં કામો આપવાં એવી દષ્ટિસંપન્ન વાત રજૂ થઈ છે. આમ ગુપ્તચર્યાનાં અનેક રૂપો હોય છે, અને તેની તપાસને અંતે નિર્ણય પણ ઠરેલ રીતે, મનોવૈજ્ઞાનિક ઔચિત્ય જાળવીને લેવાય છે. આમ વિવિધ રીતે જોતાં, ગુપ્તચર્યાની કામગીરી એના સ્વરૂપની દષ્ટિએ, સંકુલ પ્રકૃતિ ધરાવતા મનુષ્યોને આવી જુદી-જુદી રચનાત્મક શુદ્ધિસ્થાપક કામગીરીઓની નથ ઘાલીને રાષ્ટ્રકાર્યમાં તેમને સાર્વત્રિક રીતે પ્રવૃત્ત કરવાની અને તેના થકી રાષ્ટ્રને વિશુદ્ધિથી ઉજ્જવળ, સમર્થ અને નિત્ય જયવંતુ બનાવવાની ને રાખવાની શુદ્ધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ બની રહે છે તે વાત સર્વ સંસ્કૃતિભક્ત સહૃદયોએ ગાંઠે બાંધવા જેવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy