SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૭ રહેતી') હોય તેનો જાગૃત સાક્ષી બની રહે છે. તેની નિર્લેપતા જ એને સત્યમાં કે ઘટનાક્રમમાં મધ્યસ્થી બનાવી, જે જેમ થવું જોઈએ તે તેમ થવા દેનારો અને દખલ નહિ કરનારો બનાવે છે. આમાંથી જ સામાન્યજનને સહજપણે એ પ્રશ્ન થાય કે ખુદ રાજા પર કોઈ ગુપ્તચરકર્મ કરવાની વાત આખા ગ્રંથમાં ક્યાંય થયેલી કેમ જોવા મળતી નથી. આ સાચા પરિપ્રશ્ન(દિલમાંથી ઊઠેલા પ્રશ્નોનો સાંસારિક ઉત્તર તો આ જ હોય : “ધણીનું કોઈ ધણી થયું છે?” પણ એ તો સત્તાશોખીનોના સ્થાપિત હિતનો માત્ર બચાવ છે. જ્યારે કૌટિલ્ય જેવા બૌદ્ધિક તો આ પરિપ્રશ્નને આવકારે જ. અને ખરેખર, આખા ગ્રંથમાં અનેક રૂપે આ પ્રશ્નના ઉત્તર સીધી યા આડકતરી રીતે જડી આવે એમ છે. વળી અગાઉ બતાવ્યા પ્રમાણે, છેવટે તો સમાજમાં પડેલી જીવનશુદ્ધિની અનિવાર્ય અને સ્વયંભૂ ભૂખ જ, અન્યોન્યની નિરંતર જાંચ-તપાસ બાબતે કર્તવ્યબુદ્ધિથી સૌને જાગતાં ને સાબદાં રાખીને આખી પ્રજાને, સરવાળે, ઊંચે ચઢાવે છે. એટલે રામરાજ્યની જેમ રાજા પર પણ પૂર્ણ જાગૃત રાષ્ટ્રના “તીર્થોની, અન્ય હજારો કર્મચારીઓની અને જાગૃત પ્રજાજનોની નજર જુદી-જુદી રીતે રહેતી જ હોય છે. વળી રાજાનું નિવાસસ્થાન રાજધાનીની સરહદે કે બહાર એકાંતમાં ન રખાતાં રાજધાનીના ધમધમતા વિસ્તારની વચ્ચોવચ રાખવાની જોગવાઈ પણ આડકતરી રીતે પ્રજાને રાજા પર જાપ્તો રાખવા અંગે પ્રોત્સાહક બનીને રાજાને પણ સ્વયં નિયમનમાં રહેવા બાધ્ય કરનારી બની રહે તેમ છે. વળી રાજા પ્રત્યે જો વિશુદ્ધ શ્રદ્ધાનો અભિગમ હોય તો એ શ્રદ્ધામાંની વિશુદ્ધિ જ જરૂર પ્રમાણે રાજાની ચોકી પણ કરી જાણે અને તાવણી પણ કરી જાણે. વળી રાજાના આચાર્ય (રાજગુરુ) અને પુરોહિત સાથેના પરંપરાગત ધોરણસરના સંબંધ પણ રાજાની વિશુદ્ધિ નિરંતર સાધતા રહે. રાજાએ આ બંને પ્રત્યે પુત્ર કે શિષ્યની જેમ જ વિનમ્ર થઈ વર્તવાનું છે તે આપણે અગાઉ જોયું છે. આમ તો રાજાની જેમ મુખ્યમંત્રી કે સેનાપતિ પણ આપખુદ બની રાજ્યતંત્રને સ્વહસ્તક કરી આપખુદ શાસનથી છેવટે સ્વ-પરની દુર્દશા કરે તેવી સંભાવના રહે જ છે. પણ કૌટિલ્યનો આ બધા પ્રશ્નોનો છેવટનો તાત્વિક ઉત્તર તો નર્યો સાંસ્કૃતિક સ્તરનો જ છે. રાજયતંત્ર એ હકીકતે ભોગવટાની વસ્તુ નહિ, પણ કાંટાળો તાજ છે. જે માત્ર ભોગવટાની દૃષ્ટિએ એને પચાવી પાડવા ચાહે છે, તે સરવાળે પોતે પણ બેહાલ થયા વિના રહેતો નથી; કદાચ ખમતીધર રાષ્ટ્ર તો પાછું પોતાના મૂળ ઉમદા કાઠા પ્રમાણે બેઠું થઈ પણ શકે. એટલે “અર્થશાસ્ત્ર'નું પ્રથમ અધિકરણ, શીર્ષકના “વિનયધારિ' એવા સાંસ્કૃતિક નિનાદ સાથે ગ્રંથનો આરંભ કરે છે તે હકીકતની કદર સહૃદયો કયા વગર રહે તેમ નથી. રાજા કે અન્ય આપખુદ બને તેનો જે ઉત્તર બાઈબલના આ પ્રસિદ્ધ વાક્યમાં છે : “જે તલવારથી મારશે, તે તલવારથી મરશે”, તેને મળતો ઉત્તર જ સમગ્રપણે કૌટિલ્યના આ ગ્રંથમાંથી પણ ફલિત થાય છે. આ વિષયની ચર્ચાને સમેટતાં બે પૂરક વાતો ઉમેરી લઈએ : અધ્યાય ક. ૧.૧૬માં પ્રકરણ-શીર્ષક છે : કૂતપ્રથ: (દૂતનો કાર્યકલાપ). કોઈ પણ પરરાજ્ય સાથેના સંબંધના અન્વયે જયારે કોઈ સારી-માઠી બાબત અંગે સંદેશાની આપ-લે ચાલતી હોય, ત્યારે કોઈ પણ કદમ ઉદ્ધત રીતે, પરસ્પર જાણ કે ચર્ચા વિના ન ભરાય તે માટે કાં તો માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy