SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગુપ્તચરોના અત્યંત ઝીણવટભર્યા અને સંકુલ એવા કાર્યકલાપનું લાઘવથી સુંદર પંખીદર્શન કરાવે છે. એમ પણ લાગે કે પરદેશનીતિના સંદર્ભે (અર્થાત્ ષાગુણ્યવિચારણા માટે) ગુપ્તચરોનો વધુ વ્યાપક, વધુ અટપટી ગૂંથણીવાળો અને સંખ્યામાં વધુ વિપુલ પુરવઠો જરૂરી ગણાય છે; અલબત્ત, દરેક દેશકાળના આંતરરાષ્ટ્રીય રાજકારણ મુજબ આ પરિસ્થિતિ જુદા-જુદા સ્વરૂપની હોઈ શકે. સ્વરાષ્ટ્રની કલ્યાણયાત્રાને બને એટલી નિર્વિઘ્ન રાખવા માટે માનવીય પ્રજ્ઞા અને પહોંચ પ્રમાણે, થાય તે બધું કરી છૂટવું એ જ વિશ્વવિધાતાએ સર્જેલી માનવીય નિયતિ છે એ અહીં સ્વીકારવું જ રહ્યું. બાહ્ય સૃષ્ટિમાંથી ઊભાં થતાં વિઘ્નો કરતાં યુગબળ મુજબ પ્રવર્તતી માનવોની અતિકુટિલ પ્રકૃતિમાંથી જન્મતાં વિદનો અનેકગણાં વધારે અને ગૂંચવણભર્યા હોય છે. પણ એને વશ થવા કરતાં તો સમગ્ર રાષ્ટ્ર તેના ક્ષત્રિય-વર્ગના (અર્થાત્ સંઘર્ષક્ષમ દઢ શરીર-પ્રાણ-મન-બુદ્ધિની શક્તિઓ ધરાવતા વર્ગના) સાતત્યયુક્ત દઢ નેતૃત્વમાં તેનો પૂરેપૂરો સામનો કરી છૂટવામાં જ ધન્યતા છે. એ માટે અતિસંકુલ ગુપ્તચરકર્મ એ અત્યંત મહત્ત્વનો અને મજબૂત પાયો બની રહે છે તે નિઃશંક. (પેલું કવિશ્રી અવિનાશ વ્યાસે લખેલું અને મન્ના ડેએ ગાયેલું ‘હુ-તુ-તુ-તુ હુતુતુતુ....' ગીત હૈયે ધરીને આવા કાર્યકલાપને ખેલદિલીથી વધાવીએ !) અહીં શાસકોએ ધ્યાન રાખીને જોગવાઈ કરવા જેવી મહત્ત્વની બાબત એ પણ છે કે મુલ્કી રાજમંડલનાં અનેક પડોશી રાજયતંત્રો પણ કોઈ એક વિજિગીષની પોતાની જેમ તેમના પોતપોતાના ગુપ્તચરોને વિજિગીષના સયમાં ઘુસાડી જાતજાતની ગુપ્તચર્યા કરાવતાં હોય છે. તો તેવા શત્રુના ગુપ્તચરોને ઓળખી પાડવાના અને પોતાના ગુપ્તચરો તે-તે પરરાજયમાં ન ઓળખાય-પરખાય તે માટે બધી જ સાવધાની રાખવાની – આવી દિલદાર રમત કે ભારે કઠિન જવાબદારી ગુપ્તચરતંત્ર પર અને સરવાળે સમસ્ત રાજ્યતંત્ર અને રાષ્ટ્ર પર આવી પડે છે. તે માટે જે રાષ્ટ્રનું આત્મસંયમ પર ટકેલું કુલ આત્મબળ અને તેમાંથી ખીલતી મંત્રશક્તિ, પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ એમ ત્રિવિધ શક્તિ વધુ જોરદાર હોય, તે રાષ્ટ્ર સરવાળે જયવંતું બને – અલબત્ત, દૈવબળને અધીન રહીને જ. અને આવી કસાયેલી, છતાં ખેલદિલીભરી જવરમુક્ત સ્પર્ધાથી એકંદરે માનવસંસ્કૃતિ પણ તેજસ્વી ને ખમતીધર જરૂર બની શકે. દર્શનશક્તિથી રક્ષિત વ્યવહારુપણું, કર્મઠપણું, સ્પર્ધાકૌવત એ અધ્યાત્મમાર્ગનો જ અંગભૂત ટપ્પો છે. અવિદ્યાથી મૃત્યુને તરીને જ વિદ્યાથી અમૃત પામવાની જોગવાઈ શક્ય છે. આ ચર્ચા પરથી, રાજાની દિનચર્યામાં ગુપ્તચરો સાથેની મુલાકાતના દોઢ-દોઢ કલાકના ત્રણ ખંડો પ્રતિદિન આયોજાયા છે તેની મહત્તા પૂરેપૂરી સમજાશે. રાષ્ટ્રની ગુપ્તતમ બાબતો સુવિનીત રાજા સિવાય કોઈને ન પહોંચે તે પણ ખૂબ જરૂરી ગણાય; કારણ કે આપણે ઉપર જોયું તેમ, રાજા માટે જે અત્યંત અંતરંગ ગણાય તે બધા અધિકારીઓ (‘મહામાત્રો') પણ, ચોક્કસ મનોભૂમિકાએ અવિશ્વાસ ગણાઈને ગહનતમ તથ્યોથી દૂર રખાતા હોય છે. અહીં યાદ રહે : કૌટિલ્યને મન એમની વિભાવનાનો રાજા સાંખ્ય-દર્શનની પુરુષસ્વરૂપની વિભાવનાનો સમાજસ્થિત ઉત્કૃષ્ટ પ્રતિનિધિ હોવાનું કહી શકાય. ઉચ્ચતમ સ્તરે રાજા કોઈ પણ હકીકત કે વસ્તુસ્થિતિ તરફ સૌથી વધુ નિર્લેપ એવો સાક્ષીરૂપ મનુષ્ય છે. એ કોઈ પણ વસ્તુ પ્રકૃતિનિયમે જે રીતે પલટાતી રહેતી (‘પરિણમતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy