SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કર્તવ્યોનો વિચાર એમાં મુખ્ય હતો. અહીં “ધર્મ'નો અર્થ છે વર્તનને સર્વ-હિતકર મર્યાદામાં સ્થાપતાં નિયમનો. હવે, રાજાના કર્તવ્યવિચારમાં, શરૂઆતમાં સમાજ-વ્યવસ્થાપક વર્ણાશ્રમધર્મોના પાલનને જ ટોચનું મહત્ત્વ મળેલું. એટલે રાજાએ સમાજમાં વ્યક્તિ, કુટુંબ, વેપાર, સમુદાયજીવનને લગતા પરંપરાગત એટલે કે ધર્મશાસ્ત્રના ગ્રંથો કે સ્મૃતિગ્રંથોમાં સંગૃહીત નિયમો(કાયદાઓનું પાલન કરાવવું તે મુખ્ય કર્તવ્ય હતું. કાયદા માટે તે વખતે ધર્મ' શબ્દ રૂઢ થયો હતો. રાજાના પદની સ્થાપના પણ સમાજમાં વ્યાપેલા “માસ્યન્યાય'(મસ્યો એટલે કે માછલાંઓમાં મોટું નાનાને ગળે તેવો “બળિયાના બે ભાગવાળો અવળો રિવાજ)ને દૂર કરવા માટે થયો હતો તેમ ભારતીય રાજનીતિના ઉદ્ભવનું પૌરાણિક વૃત્તાંત (‘મહાભારત', પુરાણો વગેરેમાં સચવાયેલું) કહે છે. બળ (શારીરિક જોર) કરતાં વધારે સર્જનશક્તિવાળાં માનવસામથ્થોને પ્રાધાન્ય આપી, તેને સધિયારો આપી, કાર્યશીલ બનાવવાનો જ એ ઉપક્રમ (હેતુલક્ષી કાર્યક્રમ) હતો. આના અન્વયે રાજાની સત્તા માટે “દંડ (દમન-સત્તા) શબ્દ રૂઢ થયેલો. એ સત્તારૂપી દંડ કેમ વાપરવો તે અંગે માર્ગદર્શન આપવું તે રાજધર્મ કે રાજનીતિના ગ્રંથોનું પ્રયોજન હતું. એટલે તેવા શાસ્ત્રને માટે “વહુનીતિ' (સત્તા વાપરવા માટેનું માર્ગદર્શન) એવું નામ રૂઢ થયું. નિષ્પક્ષ ન્યાય તોળીને એનો અમલ કરાવવાની પોતાની ફરજ બજાવવા માટે રાજામાં નિર્ભયતા, નિષ્પક્ષતા કે તોળેલા ન્યાયની પડખે ઊભા રહેવાનું ખમતીધરપણું કે ખમીર – એવા ગુણોની જરૂર પડતી. અદલ ઇન્સાફ એ જ ઉત્તમ રાજાની ઓળખ ગણાતી. ધર્મશાસ્ત્રમાં નિરૂપિત રાજધર્મમાં આમ કાનૂનોનું પાલન કરાવવું એ જ રાજા માટે મુખ્ય કર્તવ્ય ગણાતું. અલબત્ત, આંતર-બાહ્ય શત્રુઓથી રક્ષણ કરવાનું કર્તવ્ય પણ કટોકટીઓમાં જરૂર પ્રાધાન્ય પામતું. પણ મુખ્ય મુદ્દો એ છે કે પ્રાચીનતમ રાજધર્મવિચારમાં રાજાએ પળાવવાના કાનૂનોની ઝીણવટભરી રજૂઆત અને વિચારણા જ મુખ્ય બાબત હતી. ત્યાર પછી વિકસતી રહેલી રાજધર્મસંબંધી ભારતીય વિભાવના કે વિચારણાનું બરોબર ખીલેલું સમગ્ર રૂપ આપણને “અર્થશાસ્ત્રમાં ઉત્તમ રીતે જોવા મળે છે. એમાં કાનૂનોની વિચારણાને સ્થાન આપતાં અધિકરણો માત્ર બે છે – થર્મસ્થીયમ્ એ ત્રીજું અને દશોધનમ્ એ ચોથું અધિકરણ. એમાં કાયદેસર કામકાજ કરનાર પણ અલગ અધિકારીઓ – અનુક્રમે ધર્મસ્થ અને સમાહર્તાના તાબામાં કામ કરતાં પ્રદેષ્ટા વગેરે – હોય છે. ત્રીજા અધિકરણમાં વ્યક્તિઓ વચ્ચેના વિવાદો કે ઝઘડાઓને લગતા કાનૂનોની વિચારણા છે અને ચોથામાં આખા રાષ્ટ્રને ફોલી ખાતાં વિવિધ પ્રકારનાં અસામાજિક કે સમાજદ્રોહી તત્ત્વો તેમ જ માનવ-નિર્મિત કે પ્રકૃતિનિર્મિત વિપદાઓના નિયંત્રણની વિચારણા છે. એકમાં ન્યાયકાર્ય વ્યક્તિ કે જૂથની ફરિયાદને આધારે ચાલે છે અને બીજામાં વ્યક્તિગત ફરિયાદ પર નહિ, ક્વચિત સામુદાયિક બૂમ ઊડ્યાનું જાણીને, પણ પ્રાય: રાજયને ગુપ્તચરતંત્ર કે અધિકારીઓ દ્વારા મળેલી જાણકારીને આધારે રાજયના પોતાનાં અભિક્રમથી (suo moto) જ, અદાલતી કાર્યવાહીને બદલે સીધાં પગલાં લેવાની કામગીરી થતી હોય છે. સમગ્ર રાષ્ટ્રમાંના સ્વયંભૂ વિકાસને બાનમાં લેનારાં મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની યથાયોગ્ય સફાઈ કરવાની રાષ્ટ્રભક્તિ ધિંગા, વિધિસરના રાજયતંત્રમાં હોય જ – એ આધાર પર ચોથું અધિકરણ રચાયું છે. સ્વસ્થ રાજયતંત્ર આવી જવાબદારીભરી, કર્તવ્યભાવનાયુક્ત સામાજિકતા અને જીવંતતાથી ધબકતું જ હોય એવી ભારતીય પ્રશિષ્ટ રાજનીતિની સમજ છે. ભારતીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy