SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૯ પહેલા વર્ગના પુરુષ-પ્રકારનું બિરુદ (ઓળખનામ) છે “સત્રી'. અહીં આમાં રહેલા “સત્ર' શબ્દના બે અર્થ બંધ બેસી શકે : (૧) ગુપ્ત વેષ, (૨) ધારેલી તક માટે લાગ જોતાં છુપાવાની ક્રિયા (ambush). એ પરથી “સત્રી’ એટલે કાં તો ગુપ્તવેશધારી, કાં તો તકની રાહમાં કોઈથી જરૂરી સમય પૂરતો છૂપો રહેનાર પુરુષ. આ પ્રકારના ગુપ્તચરમાં, ખરેખર તો આ બે ય બાબતો હાજર હોય છે; અલબત્ત, લાગ જોતાં છુપાવાની ક્રિયામાં તે છેવટે જેનાથી છૂપો રહ્યો હોય છે એ વ્યક્તિ કે જૂથ પર આક્રમણ કરે એ અભિપ્રેત નથી; માત્ર ચોક્કસ હકીકત જાણવા માટે જ લાગ જોતો અર્થાત્ રાહ જોતો બેસે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ગ રાષ્ટ્રના એવા મનુષ્યોમાંથી ઊભો કરવામાં આવે છે કે જેઓ અનાથ હોઈ જેમની આજીવિકાની જવાબદારી રાજયતંત્ર ઉપાડવાની હોય છે. એટલે રાજ્યતંત્ર એના પોતે પોષેલા વર્ગના મનુષ્યો, જે તબક્કે જવાબદાર-સમજદાર બને તે તબક્કે તેમને આવા સાદા ગુપ્તચર બનાવે છે. તેમને માટેના વેશોની પસંદગી લોક-પ્રચલિત એવી અંશતઃ અંધશ્રદ્ધાપોષક “વિઘાઓ જાણનારની હોય છે – જેમ કે લક્ષણવિદ્યા (શરીર પરનાં ચિહનોના અર્થઘટનની વિદ્યા), અંગવિદ્યા (અંગસ્પર્શથી ભવિષ્ય કહેવાની વિદ્યા), જંભકવિદ્યા (જાદુગરી), અંતરચક્રવિદ્યા (દિશાના ૩૨ ભાગોમાં બનતી પ્રાકૃતિક ઘટનાઓ પરથી ભવિષ્યવાણી કરવાની વિદ્યા), નિમિત્તશાસ્ત્ર (શુકન-અપશુકનનું શાસ્ત્ર), માયાગત (ભ્રમો ઉત્પન્ન કરવાની વિદ્યા ?), આશ્રમધર્મોનું શાસ્ત્ર, સંસર્ગવિદ્યા (લોકો જેનાથી ભેગા થાય તેવી નૃત્ય-નાટ્ય-સંગીતાદિ વિદ્યા ?) વગેરે. આવી કેટલીક વિદ્યાના દાખલા “મુદ્રારાક્ષસ' નાટકમાં મળે છે : જેમકે યમપટિક (યમલોકનાં ચિત્રો બતાવનાર) કે આહિતુંડિક (મદારી). સામાન્ય લોકોમાં આ બધી વિદ્યાઓ તરફ પાકું કુતૂહલ કે પાકી શ્રદ્ધા જામેલાં હોઈ ઘેર-ઘેર ફરવામાં પણ શંકાસ્પદ ન બને તેવા આ વેષો બની રહે છે. આ રીતે આ વર્ગ પોતાની અનાથતાના પાકા ઉકેલથી ઊંડો સંતોષ પામી ગુપ્ત જાણકારી શોધી લાવવાનું કે એવી જાણકારી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. રાજયના ઊંચા અધિકારીઓ પર ગુપ્તચરકર્મ કરવા માટે સ્ત્રીવર્ગમાંથી મુખ્યત્વે પ્રાચીન ભારતીય સમાજમાં સ્વીકૃત, ચલણી અને પ્રસિદ્ધ બનેલ પરિવ્રાજિકાના સામાજિક પ્રકારનો, તેની અનેક રૂઢ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને, અજબ-ગજબ ઉપયોગ, સમાજમાં વ્યક્તિએ વ્યક્તિએ પ્રગટ થતી માનવસ્વભાવની વિલક્ષણતાઓમાંથી ઊભી થતી શક્યતાઓને આધારે સફળપણે કરવાની વ્યવહારુ પરંપરા ઊભી થઈ હતી. કોઈ રખે ને એમ માને કે સંન્યાસીવર્ગના આવા રાજકાજ-સંબંધી ઉપયોગથી સ્વયંપ્રતિષ્ઠિત સંન્યાસ-સંસ્થાની ઉચ્ચ આધ્યાત્મિક મહત્તા પ્રત્યેનાં અવગણના અને અનાદર વ્યક્ત થાય છે. અગાઉ જે જટાધારી કે મુંડનધારી સંન્યાસીનો ઉલ્લેખ અને અહીં પરિવ્રાજિકાનો ઉલ્લેખ થયો છે, ત્યાં બંને સ્થળે તે સંન્યાસીઓ/સંન્યાસિનીઓ માટે અનુક્રમે વૃત્તિમ: અને વૃત્તિઝામ (અર્થાત્ આજીવિકાની તલાશમાં હોય તેવા કે તેવી) એવું વિશેષણ મુકાયું છે. જયારે કોઈ ઉચ્ચ વિચારમાંથી કોઈ મૂર્ત પ્રથા આકાર લે છે, ત્યારે તેના સામાજિક પ્રસારને કારણે માનવમનની મલિનતાઓથી એ પ્રથા ખરડાય પણ છે, અને એવા કિસ્સાઓમાં એ પ્રથાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy