SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિધિસર (legitimate) ઉપયોગ થતો નથી, અને દંભ પોષાતાં એ પ્રથાની મથરાવટી એટલે અંશે મેલી થાય છે. આવી સામાજિક અશુદ્ધિઓ અટકાવવામાં જેમ શાણા સમાજસેવકો, તેમ જ શાણા રાજપુરુષો પણ પોતાની નિપુણ, મનોવૈજ્ઞાનિક આયોજનશક્તિ દ્વારા ખપના બની રહે છે. જે વ્યક્તિઓએ કોઈ પ્રથાનો અંગીકાર તેના પ્રાણભૂત મૂળ ઉદ્દેશ્ય અર્થે જ જો કર્યો હોય, તો તે એ પ્રથામાં જ ઉચ્ચ હેતુ સિદ્ધ કરવા રચીપચી રહેવાની છે. એમને ઠેકાણે પાડવાનો કે અન્ય સાંસારિક પ્રવૃત્તિમાં ખપમાં લેવાનો સવાલ જ પેદા થતો નથી. ત્યારે બાકીના અવિધિસરના અને માર્ગથી ફગી ગયેલા વેષધારીઓને જ એમની પ્રકૃતિને અનુરૂપ કામ અને રોજી આપવાથી એમણે જે અસહાયતાથી કે મૂંઝવણના માર્યા તે પ્રથા અવિધિસર અપનાવી માત્ર વેષ ધારણ કર્યો હતો, તે અસહાયતામાંથી તે નીકળી જઈને સાચો રાહ પામે છે, આજીવિકા પામે છે; અને વળી સમાજનાં જરૂરી કામોને યોગ્ય કાર્યકર મળે છે. તેથી બીજો મોટો લાભ એ થાય છે કે પેલી મૂળ સાચી આધ્યાત્મિક પરંપરા શુદ્ધ અને વિશ્વાસ્ય બને છે. અહીં પરિવ્રાજિકા માટે ઉપર કહેલું વૃત્તિમાં વિશેષણ વાપર્યા બાદ વાક્યમાં દ્રિા વિધવા અને પ્રાત્મા શ્રીમળી એમ બે સવિશેષણ વિશેષ્યો અને વળી અન્ત:પુરે તરી (પારિવારિક નિવાસોમાં સત્કાર પામેલી”) એવું વિશેષણ પણ વાપરેલું છે. આમ છતાં વાક્યનું ક્રિયાપદ એકવચનમાં છે, તેથી વાક્યનું અર્થઘટન થોડું મુશ્કેલ બને છે. શ્રી કંગલેએ તો ઉપર બતાવેલાં બે વિશેષ્યો અને એક વિશેષણ – એ ત્રણેયને “પરિવ્રાના' પદનાં જ વિશેષણ માનેલાં છે. તે યોજના સ્વીકારતાં ખમચાટ થયા વગર રહેતો નથી. તેમને મતે આ પરિવ્રાજિકા દરિદ્ર વિધવા પણ છે અને વળી સ્વાધીન મનોબળવાળી (પ્ર.ન્મા) બ્રાહ્મણી પણ છે ! સામાન્ય બુદ્ધિથી પણ આવું અર્થઘટન કંઈક અંશે સ્વતોવિરોધી અને વળી હાસ્યાસ્પદ પણ લાગે છે. વળી તેઓ કહે છે કે પ્રાચીન સમયમાં બ્રાહ્મણ સ્ત્રી જ સંન્યાસ લઈ શકતી. આ વાત પણ વિવાદાસ્પદ લાગે છે. પાછી આ વાક્યની મુશ્કેલી એ છે કે તેમાં ત્રણ જાતની સ્ત્રીઓનો વિકલ્પ અભિપ્રેત હોય એવું સૂચવતું વા' (‘અથવા') પદ પણ નથી, કે આડકતરી રીતે છેવટે વિકલ્પ સૂચવી શકે તેવું “” (“અને') પદ પણ નથી; અને વળી વાક્યનું ક્રિયાપદ એકવચનમાં છે ! સાચી વાત એમ લાગે છે કે વાક્યરચના બાબતે અવારનવાર જોવા મળતી કૌટિલ્યની શિથિલતા જોતાં અહીં “વા' પદનો અધ્યાહાર કરવો જોઈએ. અને વૃત્તિકામાં તથા મન્ત:પુર કૃતસર એ બે વિશેષણો અર્થના ઔચિત્યની દષ્ટિએ આ ત્રણે ય પ્રકારની સ્ત્રીઓ માટે અભિપ્રેત માનવાં જોઈએ. અથવા પ્રા.કંગલે વારંવાર ચીંધે છે તેમ અહીં પણ પાછળથી કોઈ ટીકાકારે પરિવ્રાજિકાના વિકલ્પમાં ઉપર્યુક્ત બે પ્રકારની સ્ત્રીઓ પણ ચાલે તે સૂચવવા હસ્તપ્રતના હાંસિયામાં એ સૂચવતાં બે શબ્દજૂથો મૂક્યાં હોય અને પછીથી કોઈ લહિયાએ મૂળમાં લઈ લીધાં હોય. એટલે એકંદર અર્થ એવો બંધ બેસે છે કે કોઈ પરિવ્રાજિકા અથવા દરિદ્ર વિધવા સ્ત્રી અથવા કોઈ સ્વાધીન મનોબળવાળી (કે હિંમતબા) બ્રાહ્મણી પૈકી કોઈ પણ સ્ત્રી જો રોજી પૂરી પાડતું કામ શોધતી (વૃત્તિમ) હોય અને કોઈ પણ પારિવારિક નિવાસોમાં માનથી આવકાર પામી શકે તેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy