SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઊતરવાની ઇચ્છાશક્તિ જ ન ધરાવનારો હોઈ યુક્તિની કોઈ નબળી કડી રહી ગઈ હોય તો યે સત્ય ઉઘાડું પડવાપણું ખાસ રહેતું નથી ! છે ને ગંભીર હેતુ માટેની હિંમતભરી રમત ! શરૂઆતમાં વિશ્વાસ ઊભો કરવા અન્ય ગુપ્તચરો જ વેપારી કે એવા કોઈ સાંસારિક વેશમાં આઘભક્તો તરીકે ઉપસ્થિત થાય છે અને એમની વ્યક્તિગત કે પારિવારિક અંગત અજ્ઞાત હકીકતો સચોટ કહી આપવા રૂપે કે એમના વિષે અમુક ઘટનાની કે ઊંચા લાભની ભવિષ્યવાણી કરી, તે અન્ય ગુપ્તચરોની મદદથી સાચી પાડવારૂપે બાકીના ઉપસ્થિત ભક્તવૃંદમાં સંન્યાસીના પ્રભાવની સત્યતાની ધેડ બરોબર બેસાડાય છે. આ ગુપ્તચર-પ્રકાર ‘તાપસ-વ્યંજન' (તાપસવેશધારી) કહેવાય છે. ૨૪૭ - એક વાર આવા તાપસ તરફનો લોકપ્રવાહ શરૂ થાય, એટલે ગાડરિયો પ્રવાહ ચાલે. આ રીતે આવનાર વર્ગોમાં કોઈ ને કોઈ કક્ષાનું ખોટું કામ કરનારાઓ પોતાનાં અપરાધ કે પાપમાંથી મુક્તિ મેળવવાની લ્હાયના માર્યા પણ આવતા હોય છે • કાં તો પ્રજાજનો, તો રાજ્યસેવકો. આવા તપસ્વી (lie-detector !) આગળ તો તેઓ પેટછૂટી વાત પણ, કશી શંકા વગર કરે છે. આ બિંદુએ જ ગુપ્તચરકર્મ સિદ્ધ થાય છે – દેશદ્રોહીઓ, ભ્રષ્ટાચારીઓ વગેરે ખુલ્લા પડી જાય છે. આવનારાઓમાંથી કેટલાક એવા પણ હોઈ શકે, કે જેમને રાજસેવક તરીકે કોઈ ખરેખરો અન્યાય થયો હોય અને તેના ઉદ્વેગથી. ખરેખર ખૂબ દુ:ખી હોય. એટલે આવી ગુપ્તચર્યાનાં તારણો મુજબ દુષ્ટોને જુદી-જુદી કક્ષાના યોગ્ય દંડ દ્વારા અને વાજબી કારણે દુભાયેલી વ્યક્તિના અસંતોષને યોગ્ય ધન-માનથી શમાવવા દ્વારા રાજ્યતંત્રનું અને રાષ્ટ્રનું હિત નિત્ય સાચવી શકાય. માત્ર કેટલાક નમૂનાઓના નિદર્શન દ્વારા ગુપ્તચરતંત્રની ‘સંસ્થા’શાખાની જે ઉ૫૨ મુજબની રૂપરેખા રજૂ થઈ છે, તે સુજ્ઞજનોને એ વાત બરોબર બતાવે છે કે લોકસ્વભાવની ધિંગી સૂઝ-બૂઝને આધારે પૂરી લોકવત્સલતાથી સમાજના વિવિધ વર્ગો પ્રત્યેની ભરપૂર કલ્યાણકારિતા જાળવીને, કેટલા વ્યાપક રૂપમાં ગુપ્તચરતંત્રનું સ્થાયી સંગઠન અને બેઠું વ્યવસ્થિત આયોજન પ્રાચીન રાજનીતિજ્ઞોને ઇષ્ટ હતું. જેમ વ્યક્તિના જીવનમાં, તેમ એક જીવંત રાષ્ટ્રના જીવનમાં નિરંતર વહેતી બહુમુખી ચોક્કસ જ્ઞાનધારાની પ્રત્યેક પગલે તાતી જરૂર હોય છે. સમ્યગ્-જ્ઞાન જ જીવનસાફલ્યની ચાવી છે. એટલે ગૂઢચર(ગુપ્તચર)-તંત્ર માટે ઉચ્ચતમ સંગઠન, મહત્તમ સંખ્યાબળ, નિયમિત અનુરૂપ કાર્યસોંપણી, જાસૂસોની અને તેમના અહેવાલની ખરાઈની ચકાસણી, ગુપ્તતાની પૂર્ણ જાળવણી અને સમુચિત ધનવ્યય એ ઠરેલ રાજનીતિનું અદકું અંગ બની રહે છે. ‘સંસ્થા’-શાખાની ચર્ચા કરતાં આ અગિયારમા (૧-૧૧) અધ્યાયને અંતે આપેલા શ્લોક પરથી એ પણ જણાય છે કે સંસ્થા-શાખામાં અનુકૂળતાની દૃષ્ટિએ ઉપર ગણાવેલા પાંચ પ્રકારના ગુપ્તચરોની એક ખૂબ ઘૂંટાયેલી પરંપરા બની હશે; પછી પાછળથી સંભવતઃ બીજા પ્રકારો પણ ઉમેરાયા હશે. આ સંસ્થા-શાખા ગુપ્તચરતંત્રનો એક સુદૃઢ, સુગુપ્ત વ્યવસ્થા-વિભાગ છે, જે આખા રાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જે-જે પ્રકારની ગુપ્ત જાણકારી મેળવવાની હોય, ગુપ્ત તપાસ કરવાની હોય, ત્યાં-ત્યાં તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy