SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૫ નિવારણનું ચિંતન ખૂબ ઊંડાણપૂર્વક થયું હોઈ, તેમાં, પાયાનાં અનેક સ્થાયી ઉપાયો અને આયોજનો આગ્રહપૂર્વક પુરસ્કારાયાં છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુપ્તચરતંત્રના અન્વયે દર્શાવાયેલા આ પ્રકારની ચર્ચાને જોવાની છે. દુર્દશા પામેલા સન્નિષ્ઠ ખેડૂતને રાજ્યતંત્ર અગાઉના પ્રકારની જેમ નક્કર ધનસાધનનો ટેકો આપી, એને પોતાને સફળ કૃષિમાં સ્થિર કરી, એના જ દ્વારા, આગલા પ્રકાર જેમ, અનેક અન્ય સમાનધર્મા ખેડૂતોને પણ બહોળી ખેતીમાં સ્થિર કરાવી, છેવટે એમાંથી ઇછુકોને ગુપ્તચરસેવામાં જોતરે છે. ખેતી એ સમગ્ર જનપદમાં ફેલાયેલો પ્રતિષ્ઠિત વ્યવસાય છે. વળી એમાં ખેડૂતનો આખો પરિવાર જોતરાય છે. તેથી ખેડૂત માટે “ગૃહપતિ' કે “કુટુંબી' (તે પરથી દેશી ભાષામાં “કણબી) એવા અનુરૂપ પ્રતિષ્ઠાસૂચક શબ્દો પણ રૂઢ બન્યા. કુટુંબ તો દરેક દંપતીને હોય, પણ એકરસ બની ખેતીમાં સહયોગી બનતા આખા કુટુંબના અધ્યક્ષ માટે આ શબ્દો રૂઢ થયેલા સમજાય છે. આ શબ્દો એ પણ સૂચવે છે કે કુટુંબનું ઘનિષ્ઠ અને ગાઢ સહયોગવાળું સહજીવન ખેતીના વ્યવસાયમાં ઉત્તમ રીતે પાંગરે છે. વિકૃત મૂલ્યોથી મુક્ત સમાજમાં તો ગામમાં આબરૂ અને યોગ્યતાની દૃષ્ટિએ પણ કૃષક-પરિવાર ઊંચા સ્થાને જ બિરાજે છે. તો જો ખેડૂત ગુપ્તચરસેવા પણ આપે તો તેના ગામની કે આજુબાજુનાં અન્ય ગામોની પણ વાંધાકારક બાબતો સરળતાથી ઉઘાડી પડી શકે અને રાજયતંત્ર તેમ જ રાષ્ટ્ર મજબૂત બને. ખેડૂતને ગામના મોટા ભાગના હુન્નરના કારીગરો સાથે ય ગાઢ સંબંધ રહેતો હોય છે. વળી તેનું જીવન ગામ સાથે વર્ષના મોટા ભાગ માટે જોડાયેલું છે રહે છે. આ પ્રકારના ગુપ્તચર માટે ગૃહપતિ-વ્યંજન” (ગૃહપતિના વેશમાં રહેલો) એવો શબ્દપ્રયોગ ગ્રંથમાં સર્વત્ર થયો છે. ગુપ્તચરતંત્રનું નિર્માણ આવા સંગીન સામાજિક કે સમાજશાસ્ત્રીય પાયા ઉપર કરવામાં આવે છે એ જ એનું ઊંચું સાંસ્કૃતિક શાણપણ સૂચવે છે. તેવી જ રીતે રાજ્યતંત્રે પ્રાસંગિક નિષ્ફળતાથી ગ્રસ્ત છતાં હાડથી સન્નિષ્ઠ એવા વેપારીનો હાથ પકડીને, તેના વેપારને સ્થિર કરવા સાથે, તેની જ પ્રેરણાથી સંભવતઃ ગુપ્તચરકર્મમાં પણ જોડાય તેવા અન્ય વેપારીઓને ઊંચે ઉઠાવવાની અને તૈયાર કરવાની વાત પણ છે. સમાજજીવનમાં વેપારી તો સર્વવ્યાપી હોઈ સમાજના શુભાશુભ પ્રવાહો પકડી પાડવાનું તેને માટે સરળ બની રહે છે. એની પ્રતિષ્ઠા પણ ખેડૂત પછીના ક્રમે તો જરૂર ગણાય. આ વર્ગને નામ આપ્યું ‘વૈદેહકવ્યંજન' (વેપારીવેષી ગુપ્તચર). આટલાં જૂથો સમાજનાં સ્થાયી અંગરૂપ હોઈ તેમની ઊંચી પ્રતિષ્ઠાનો લાભ ગુપ્તચરકર્મની સફળતા બાબતે પણ મળે છે. એથી જ કૌટિલ્ય લાક્ષણિક અને મહત્ત્વના નમૂના તરીકે આ જૂથોને કેવી રીતે કામમાં લેવાં તેનું વર્ણન કરવાનું અહીં પસંદ કર્યું જણાય છે. આ વર્ગો પોત-પોતાના વ્યવસાય ચાલુ રાખવા સાથે પોતાની રાષ્ટ્રભક્તિના પીઠબળથી પ્રેરાઈને રસપૂર્વક ગુપ્તચરકર્મ બજાવી શકે એમ છે. આ વર્ગોની પાયાનાં જીવનમૂલ્યો તરફની નિષ્ઠા અને ઉદ્યમશીલતા જ ગુપ્તચરકને ખમીરવંતુ બનાવી અવનવી દક્ષ કામગીરીઓમાં મહોરે એવી છે. આ યાદીમાં છેલ્લે જે બે એકબીજાને મળતા સંન્યાસીવર્ગો ઉલ્લેખ્યા છે તે છે જટાધારીઓ અને મુંડનધારીઓ. આ વર્ગો કૌટિલ્યના સમયમાં ચાલુ ધર્માચારોથી અનેક રીતે જુદા તરી આવતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy