SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છોડનાર વ્યક્તિને કૌટિલ્ય અભિનંદનીય અને સાચા માર્ગે ચઢવામાં પ્રોત્સાહન આપવા યોગ્ય માને તે સમજી શકાય છે. ખરેખર ભગવદ્ગીતામાં ચૂંટાયેલા આવા વિચારો સાથે કૌટિલ્ય પૂરા સહમત છે. આજે પ્રચલિત બનેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીઓ માટે પણ જેમ ઉત્કૃષ્ટ કર્મયોગની આવશ્યકતા બરોબર સ્વીકારાઈ છે, તેમ કૌટિલ્ય પણ સંન્યાસથી નિરાશ થઈ પાછી ફરેલ વ્યક્તિ માટે કર્મયોગને જ સાચા ઉપાય તરીકે પુરસ્કારે છે. એ કર્મયોગ અહીં ‘વાર્તા કર્મ (ખેતી વગેરે) રૂપે ઉપાસવાનું કહેવાયું છે. આ માટે ઉમેદવારને “વાર્તા-કર્મ માટેની ખાસ ભૂમિ આપવાની વાત જોતાં અહીં “વાર્તા' શબ્દથી ખેતી, પશુપાલન, વેપાર એ પ્રાથમિક અર્થમાં સમાતા વ્યવસાયો ઉપરાંત પાછળથી ઉમેરાયેલા વ્યવસાયો પૈકી હુન્નર કે ઉદ્યોગ પણ અભિપ્રેત હોવાનું તારવી શકાય. તે સ્થિતિમાં આજના જેવા ઔદ્યોગિક વિસ્તાર કે જે રાજયતંત્ર દ્વારા અલગ ફાળવાયા હોય, તેનો સંકેત પણ સમજી શકાય. ટૂંકમાં : આવો કોઈ મહેનત માગતો વ્યવસાય સ્વીકારી રાજય તરફથી પૂરાં પડાતાં ધન અને જનની મદદથી બહોળું આર્થિક ઉપાર્જન કરવાનું છે અને તેમાં ઉદ્યમરુચિવાળા અનેક ચોખ્ખા અન્ય લોકોને પણ નોતરવાના છે અને એમની ઇચ્છાશક્તિ મુજબ જોતરવાના છે. એમાંથી પેદા થતા ચોખ્ખા લાભ(નફા)નો ઉપયોગ વિવિધ પંથોના સંન્યાસીઓ માટે અન્ન-વસ્ત્ર-નિવાસની જોગવાઈ અર્થે પણ કરવાની, પહેલી નજરે વિચિત્ર લાગતી વાત કરાઈ છે. કૌટિલ્યને મન સંન્યાસ-સંસ્થા એના મૂળ સ્વરૂપમાં આવકારપાત્ર જીવનમાર્ગ ખિલવનાર માધ્યમરૂપ છે અને સાધનારત અનેક પંથોના સાચા સંન્યાસીઓને દૈહિક સગવડો પૂરી પાડવી એ સાધનસંપન્ન ગૃહસ્થવર્ગ અને રાજયતંત્ર માટે કર્તવ્યરૂપ છે; બલ્ક ધર્મરૂપ છે. આની સાથે ગુપ્તચરકર્મ-સંદર્ભે આગળનું રાજયતંત્રને ખપનું આયોજન પણ રજૂ કરાયું છે; તે છે. આ રીતે પોષાતા સંન્યાસીઓ પૈકી જેઓ સ્વપરિશ્રમથી વિશિષ્ટ આજીવિકા મેળવવાની વૃત્તિ અને શક્તિ ધરાવતા હોય, તેમને માટે રાજયના ગુપ્તચરકર્મનો પ્રસ્તાવ. તેમને ગુપ્તચરકર્મના હેતુ માટે પોતાનો સંન્યાસીનો વેશ છોડ્યા વગર આ સેવા આપવાનું અપેક્ષિત અને અનુરૂપ ગણાવાયું છે. આવી, પરંપરાગત ભિક્ષાધર્મયુક્ત સંન્યાસમાં સ્થિર થયેલી વ્યક્તિઓ, પોતાને સ્વપરિશ્રમથી ભાવપૂર્વક આજીવિકા પૂરી પાડતા ગૃહસ્થવર્ગ પાસેથી જ ઉદ્યમની પ્રેરણા મેળવે છે. સંન્યાસ તરફની હિંમતભરી છતાં ઉચ્ચ પ્રજ્ઞાને અનુરૂપ ક્રાંતિકારી દૃષ્ટિને આધારે કૌટિલ્ય આ અપૂર્વ યોજના અહીં સૂચવી છે – જે ગીતાના જીવનદર્શનને અનુરૂપ હોવાનું અવશ્ય કહી શકાય. સંન્યાસી ગુપ્તચરકર્મ કરે તેમાં સંન્યાસના પણ હાર્દને લાંછન નથી લાગતું એવું કૌટિલ્ય સૂચવતા હોય, ત્યારે આપણે નમ્રપણે તે સ્વીકારવું પડે; કારણ કે અગાઉ આપણે જોયું તેમ, ગુપ્તચરની સેવા અસલમાં રાષ્ટ્રજીવનનો શુદ્ધિયજ્ઞ છે. આ ગુપ્તચર-પ્રકારને “ઉદાસ્થિત' (ઉદ્+આસ્થિત – ઊંચે બિરાજેલો, તટસ્થ, એવું બિરુદ (ઓળખનામ), સંભવતઃ ગુપ્તચરકર્મ કરતાં સંન્યાસીની મધ્યસ્થતા કે અલિપ્ત ચિત્તવૃત્તિને ધ્યાનમાં રાખીને આપ્યું છે. અધ્યાત્મનો અને રાષ્ટ્રધર્મનો કેવો ભવ્ય સમન્વય ! યાદીમાં ત્યાર પછી આવે છે. ખેડૂત, ઉત્ક્રાંતિક્રમે કૃષિકેન્દ્રી અભિનવ જનપદસંસ્કૃતિના પ્રસ્થાપન બાદ પણ કૃષિકારની દુર્દશા સતત પ્રબુદ્ધ જનો અને સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે; કારણ કે તે પૂર્ણપણે પ્રકૃતિના રંગઢંગ પર નભતો વ્યવસાય છે. “અર્થશાસ્ત્ર'માં આના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy