SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૩ ગૌરવયુક્ત કામ સોંપાય છે. મજાની હેતુલક્ષી વાત એ પણ છે કે પોતાની જાતને પોતાના મૂળ વ્યવસાયમાં સ્થાપવા સાથે, આવી રાજયનો ટેકો પામેલી વ્યક્તિએ પોતાના એ વ્યવસાયને રાજયદત્ત પુષ્કળ ધન અને સહાયકો દ્વારા વિશાળ પાયે ઊભો કરીને, પોતાના જેવી જ પરિસ્થિતિથી અકળાતા અનેક સુપાત્રજનોને પ્રથમ તો એ વ્યવસાયમાં સારી પેઠે ઠરીઠામ કરવાનું અને નિપુણ બનાવવાનું અપેક્ષિત છે. એ ભૂમિકા સધાયા બાદ જ તેમને પોતાની કારકિર્દી અને પ્રતિભાના વિકાસરૂપે ગરવી રાજયસેવારૂપ ગુપ્તચરનું સમાંતર કામ કરવા કાનમાં કહેવાનું છે. આમ સમાજોપયોગી પાયાના વ્યવસાયોને પણ પુષ્ટ કરીને સમાંતરપણે અને પ્રાયઃ સંસ્થાના તેડાના ટાણે, એટલે કે પ્રાસંગિક રૂપે જ, ગુપ્તચરસેવા અપાય તેવું અપેક્ષિત છે. આમ સમાજમાંના જરૂરતમંદ અને આર્થિક-સામાજિક ટેકો ઝંખતા એવા સુપાત્રજનોને પોષવા સાથે, તેમને સન્નિષ્ઠ ગુપ્તચરની કામગીરી સોંપવાની બહુ ઠરેલ માનવીય યોજના અહીં રજૂ થઈ છે. આને લીધે ગુપ્તચરતંત્ર સ્વયંભૂપણે ઊંચી ક્ષમતા અને વિશ્વાસ્યતા અંકે કરી શકે છે. સમાજનું ધારણ-પોષણ કરતા વ્યવસાયોને ખોરવી નાખી માત્ર કમાણી ખાતર ગુપ્તચર બનવાની, પાયાનો જીવન-રસ સૂકવી દેવાની શેરબજારિયા વાત અહીં નથી. અંગ્રેજોથી આરંભી આપણા આધુનિક કહેવાતા ભારતમાં તો ધિંગા સમાજ-ધારક વ્યવસાયોને ખોરવીને, પ્રજાને કારકૂનારૂપ ગુલામો બનાવવાની રાષ્ટ્રનાશક ચેષ્ટા ચાલી છે. કૌટિલ્યને એવું લોકજીવનની ખુમારીને અને એના ખમીરને હણનારું રાજયતંત્ર કે અર્થતંત્ર ખપતું નથી. તેજસ્વી છાત્રને રાષ્ટ્રનાં અહિતકર તત્ત્વો મર્મજ્ઞતાથી પકડવાની પ્રવૃત્તિમાં જોતરવાની વાત છે. એને કાપટિક' એવું જાસૂસી બિરુદ અપાયું છે – “કપટ પારખી લેનારો' એવો એનો અર્થ કરી શકાય. શક્ય છે કે વિદ્યાર્થી તરીકે ચાલુ અભ્યાસે ફાજલ સમય જોગવીને કે પ્રાસંગિક રૂપે આ પ્રવૃત્તિ કરવાનું અભિપ્રેત હોય. અથવા તો કોઈ છાત્રનું દિલ જો પરંપરાગત ભણતરમાં લાગતું જ ન હોય (deschooling !) તો, અથવા આવી કામગીરી સ્વીકાર્યા બાદ બરોબર ફાવટ અને લગાવ ઊભા થતાં સ્થળ ભણતર ઔપચારિક રીતે છોડીને પણ આવી ગુપ્તચર્યામાં પૂરો સમય ભરતી થઈ જાય; અલબત્ત, અંગત રીતે અધ્યયન ચાલુ પણ રાખે. બિનકુદરતી, અમાનવીય શિક્ષણપ્રથાના અતિરેકો સામે આજના સમયમાં “શાળામુક્ત સમાજની કલ્પના ઊભી થઈ. બાકી તે વિચારનું અમલીરૂપ તો, અર્થકેન્દ્રી શિક્ષણપ્રથાથી મુક્ત સહજ સમાજમાં પ્રાચીન સમયમાં વિદ્યમાન હોવાનું તો સાહિત્યના પુરાવાઓને આધારે પણ તારવી શકાય એમ છે. આપણે અગાઉ જોયેલું કે કૌટિલ્ય ધર્મમર્મજ્ઞ અને ધર્મોપાસક હોવા સાથે ધર્મને નામે ચાલતાં દંભો, અંધભક્તિ, અકર્મણ્યતા, સામાજિક બેજવાબદારી વગેરેને અનિષ્ટરૂપ ગણીને બુદ્ધિનિષ્ઠાપૂર્વક આવા ભ્રાંત ધર્માચારોના પ્રચલનનો રાજકાજજોગ ઉપયોગ કરવામાં પૂરું ઔચિત્ય જોતાં; એટલું જ નહિ, અનુકૂળતા મુજબ એવા આચારોને સાચી દિશામાં વાળવા ચીલાચાલુ ધાર્મિકોને રાજકીય સેવામાં પણ જોતરવાનું યોગ્ય લેખતા. એટલે ઉપર્યુક્ત યાદીમાં સંન્યાસ સાથે સંકળાયેલાં બે જૂથોનો સમાવેશ પણ આપણે જોઈ શકીએ છીએ. તે પૈકી એક સામાજિક વર્ગ સંન્યાસ માફક ન આવતાં સંસારમાં પાછી ફરેલી વ્યક્તિઓનો છે. સંન્યાસમાં પેઠેલી બદીઓને પારખીને નિખાલસ રીતે સંન્યાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy