SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ આખું તંત્ર જે-તે ગુપ્તચરને ગુપ્તચર તરીકે કોઈ મનુષ્ય નાનામાં નાના અણસારથી ય ન ઓળખી શકે તેવા અત્યંત વિવિધતા-સભર વ્યાવસાયિક-સામાજિક-ધાર્મિક-પ્રાદેશિક માનવવેષોના અદલ અભિનય-આચારાદિથી જ કાર્ય પાર પાડી શકતું હોઈ, કૌટિલ્ય ગુપ્તચરતંત્રની ઉપર્યુક્ત બે શાખામાં અપનાવાતા જે વેષવિશેષો બતાવ્યા છે, તે તો નમૂનારૂપ જ અને પ્રાધાન્યની દૃષ્ટિએ જ રજૂ કરાયા હોવાનું માનવું જોઈએ. આપણે તે વેષોની વિગતો સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી તપાસીએ. સંસ્થા'-શાખા પ્રજામાંની મુખ્યત્વે એવી વ્યક્તિઓના સહયોગથી નભે છે કે જે પોતાના કોઈ ચોક્કસ વ્યવસાય કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિમાં સંજોગવશાત્ નિષ્ફળ બની હોય, પરંતુ પ્રજ્ઞા અને શૌચ (ચારિત્રશુદ્ધિ) બાબતે ઉત્તમ હોય. નિષ્ફળતા જ સફળતાનું ખાતર બની શકે છે' એવા ન્યાયે પ્રજાવત્સલ રાજયતંત્ર ઘડીક નિરાશ થઈ કર્તવ્યપથ શોધતા સન્નિષ્ઠ પ્રજાજનોને ગુપ્તચરની અનુરૂપ કામગીરીમાં નોતરે છે ને અનુકૂળતા જોઈ જોતરે છે. આટલી નાની હકીકત પણ એ વાત સરસ રીતે ગાઈ-વગાડીને કહે છે કે રાજયે પોતાનાં કાર્યોની સિદ્ધિ માટે જે વિવિધ તંત્રો સ્થાપવાનાં છે અને એમાં ઘણા-બધા સેવકોને ભરતી કરવાના છે, તે તંત્રો પોતાના રાષ્ટ્રની જ વધુમાં વધુ સ્થાનિક પ્રજાઓને સંતોષકારક અને ગૌરવપ્રદ રોજી આપીને એમના જીવનમાં સ્થિરતા પણ આણે એ પણ અપેક્ષિત છે. ધમધમતું પ્રજાનિષ્ઠ રાજયતંત્ર પોતે જ પ્રજાને સુસ્થિર અને સન્માર્ગ-વ્યસ્ત કરવા સૌથી વધુ મહત્ત્વનો સંતોષકારક રોજીનો અધિકાર પૂરો પાડતું એક મહાક્ષેત્ર બની રહે છે. આજે એથી ઊલટી જ દારુણતમ સ્થિતિ, વરવી રાજનીતિને કારણે જોવા મળે છે. સંસ્થા’-શાખામાં કૌટિલ્ય ઉપર વર્ણવેલી મનોદશાવાળા જે વ્યાવસાયિકોને પોતાની દૃષ્ટિએ મહત્ત્વના ગણીને રજૂ કર્યા છે તે આટલા છે : તેજસ્વી વિદ્યાર્થી, સંન્યાસમાંથી પાછી ફરેલ વ્યક્તિ, નિષ્ફળતાથી નિરાશ બનેલો ખેડૂત, તેવો જ વેપારી અને મુંડન કે જટા ધારણ કરીને પણ આજીવિકાનો વ્યવસાય શોધતો સંન્યાસી. યાદી ઘણી સૂચક છે – રાજ્યતંત્રની, સામાજિક સભાનતા અને સામાજિક પુનઃસ્થાપન (social rehabilitation) માટેની સહજ ઊલટ ને તત્પરતા સૂચવનારી. ભર્તુહરિ દ્વારા રાજાને ઉદ્દેશીને અપાયેલી પેલી શીખ – ધરતીરૂપ ગાયને દોહવા માટે પ્રજારૂપ વાછરડાને પોષવાની – અહીં રાજ્યતંત્ર દ્વારા સહજ રીતે પળાઈ રહી છે ! હા, રાજ્યતંત્રનો દયાધર્મ પૂરો પ્રબુદ્ધ અને સ્વ-પર સર્વનું સમાનપણે હિત સાધનારો જ હોય. એક જૈન આગમવાક્ય સહુ સંસ્કૃતિરસિયાઓએ જીવનમાં ગૂંથી લેવા જેવું છે : “પહેલું જ્ઞાન, તે પછી દયા” (ઢાં નાનું તો રયા). અલબત્ત, આના ઉત્તરાર્ધરૂપ પેલી તુલસી-ઉક્તિ પણ અપનાવાવા-યોગ્ય છે જ : “યા ધરમ | મૂલ હૈ, પાપ-મૂન મન ” અહીં ઉપર નિર્દેશેલા વ્યાવસાયિકોને, તેમનો પોતાનો વ્યવસાય પણ રાજયના પૂરા ટેકા સાથે સફળતાથી કરતા રહીને, સાથોસાથ સંપૂર્ણ સામાજિક ગુપ્તતા સાથે ગુપ્તચરની કામગીરી અપનાવીને પોતાની જેમ જ ગુપ્તચર બનવા ચાહનારા જરૂરિયાતમંદ અને ઉત્સાહી એવા અન્યજનોને પણ તે કામ માટે આકર્ષવાનું, યોગ્યતા ચકાસી તેમને પણ વિધિસર ભરતી કરવાનું અને એકંદરે ગુપ્તચર્યાનાં વિવિધ કાર્યોનું એક સ્થળે રહ્યાં રહ્યાં સમગ્ર સંચાલન કરવાનું ખૂબ મહત્ત્વનું, જવાબદારીભર્યું અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy