SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બહુવિધ અટપટી પરિણામદાયી કામગીરીઓનો ગાઢ અનુભવ ધરાવતા હોઈ, એની પ્રસાદીરૂપે ગ્રંથમાં અલપ-ઝલપ નમૂનારૂપે પણ જે એને લગતી રસપ્રદ વિગતો આપે છે, તે ઘણી સૂચક અને બોધક છે. ગ્રંથના પ્રથમ વિનયાધિારિષ્ઠ અધિકરણના અધ્યાય ક્ર. ૧૧ અને ૧૨માં ગુપ્તચરતંત્રની શાખા-પ્રશાખાઓની પાયાની વિગતો આપી છે અને ત્યાર પછીના બે અધ્યાયોમાં એ તંત્રની કામગીરીનો વાસ્તવિક ચિતાર આપવા, તેના અનુક્રમે સ્વદેશમાંના અને પરદેશમાંના એક પાયાના મહત્ત્વના કાર્ય અંગેના વ્યાપારની રસપ્રદ વિગતો આપી છે. તેરમા અધ્યાયમાં ગુપ્તચરો કઈ રીતે સ્વરાષ્ટ્રના અધિકારીઓમાંનાં કે પ્રજાજનોમાંનાં વફાદાર તત્ત્વો (અનૃત્યપક્ષ ) અને લોભ-લાલચને વશ થઈ રાષ્ટ્રદ્રોહ કરે તેવાં તત્ત્વો(સ્ત્યપક્ષ )ને પારખી શકે તે વાત છે અને ચૌદમા અધ્યાયમાં ૫૨૨ાષ્ટ્રનાં એવાં તત્ત્વો જુદાં પાડી તેમાંનાં રાષ્ટ્રદ્રોહ કરવાની શક્યતાવાળાં તત્ત્વોને પોતાના રાષ્ટ્રના હિતમાં કેવી રીતે ઉપયોગમાં લેવાં એ વાત પણ વર્ણવી છે. એ ઉપરાંત ચોથા ટશોધનમ્ અધિકરણમાં, યુદ્ધનીતિસંબંધી નવમાથી તેરમા અધિકરણોમાં – તેમાં યે ખાસ કરીને નબળા રાજાએ પણ શત્રુ સામે કેમ ટકી રહેવું એને લગતા બારમા આવતીયમ્ અધિકરણમાં, અને શત્રુના કિલ્લાનો ઘેરો ઘાલી ચૂકેલા વિજિગીષુએ કિલ્લો કેમ કબજે કરવો તેને લગતા તેરમા ટુર્નાલોપાય: અધિકરણમાં – ગુપ્તચરોની અટપટી કામગીરીઓનાં અનેક ચિત્રો મળે છે. વળી પાંચમા યોવૃત્તમ્ અધિકરણમાંના પ્રથમ અધ્યાયમાં પણ અયોગ્ય અધિકારીઓનો યુક્તિઓથી ફેંસલો લાવવાના સંદર્ભે વિવિધ ગુપ્તચરકર્મો વર્ણવાયાં છે. આ પૈકી અત્રે પ્રથમ અધિકરણના ૧૧-૧૨મા અધ્યાયના આધારે ગુપ્તચરતંત્રનું સમગ્ર માળખું સમજીએ. પ્રવૃત્તિના ભૌતિક સ્થાન અને કામગીરીના સ્વરૂપની સંયુક્ત દષ્ટિએ ગુપ્તચરતંત્રની બે મુખ્ય શાખાઓ સ્થાપવામાં આવે છે : ‘સંસ્થા' અને ‘સંચાર’. ‘સંસ્થા' (સ્થિર) શાખા સ્થાનની દૃષ્ટિએ કોઈ પણ ગામ કે નગરને મથક બનાવી ત્યાં રહીને જ પોતાનો કાર્યકલાપ ગોઠવે છે. વળી તેની કામગીરીનું સ્વરૂપ છે ગુપ્તચરોને તે-તે મુલ્કના વિસ્તારમાં કરવાનાં કાર્યોની સોંપણીનું. ગુપ્તચરોએ રાષ્ટ્રમાંના નિયત મુલ્કમાં જુદાં-જુદાં સ્થાનોએ જઈને કરવાનાં કામોની વ્યવસ્થિત ફાળવણી કરતું આ સ્થાયી મથક (Head-Quarter) હોય છે (ભલે ગુપ્તતાની જાળવણીની દૃષ્ટિએ કાર્યાલયનું ચોક્કસ મકાન ન હોય). આ કાર્યાલયે નવા-નવા લોકોને ગુપ્તચરની કારકિર્દી તરફ આકર્ષીને, તેમની બરોબર ચકાસણી કરીને. તેમની ભરતી પણ કરવાની હોય છે. ૨૪૧ બીજી ‘સંચાર’ (ફરતી) શાખા ચોક્કસ ગામ કે નગરને મથક બનાવી કામ નથી કરતી, પણ જ્યાં-જ્યાં કોઈ કામ પાર પાડવાનું હોય, તે-તે સ્થાનમાં જઈને પોતાની કામગીરી પાર પાડે છે. એકબીજાને ગુપ્તચર તરીકે ન જાણતા હરતા-ફરતા કાર્યકરો તે જ આ સંચાર-શાખા. આ ગુપ્તચરો પોતાને સાધવાના કાર્યના સ્વરૂપની દૃષ્ટિએ અનુરૂપ વિવિધ સામાજિક-વ્યાવસાયિક વેષે પોતાની કામગીરી સાધે છે. તેમણે કામગીરી પૂરી કરીને ગુપ્તચરોની સાંકેતિક લિપિ અને સાંકેતિક ભાષા(codeword)માં (ત્તિપિસંજ્ઞામિ:) પોતે જાણેલી વસ્તુસ્થિતિ પોતપોતાને કામ સોંપતી ‘સંસ્થા’ને વિદિત કરવાની હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy