SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે” (કુર્તમ દિ સુવિર્નર: | – “મનુસ્મૃતિ ૭.૨૨). પ્રજાહિતાર્થે રાજયતંત્ર પ્રવર્તાવનારે ડગલેપગલે અવિશ્વાસ પણ કરી છૂટવાનું છે. મનુષ્ય સ્વયં વિશ્વાસ્ય બને તે માટેનો પાયાનો તાત્ત્વિક ઉપાય સૃષ્ટિમાં નથી એમ નહિ, પણ તે જલ્દી હાથ લાગતો નથી કે લાગુ પાડી શકાતો નથી. આ સ્થિતિમાં ગુપ્તચરોની મનોમલિનતા (“અશૌચ') અને તજજન્ય બેવફાઈ જલ્દી જાગે નહિ અને જાગે તો ઉઘાડી પડે તે માટેની વ્યવહારુ જોગવાઈ પણ તંત્રમાં પાકે પાયે રખાય જ છે. એ દોષ જાગતો અટકાવવા માટેની મહત્ત્વની જોગવાઈ એ હોય છે કે કોઈ વ્યક્તિ ગુપ્તચર (જાસૂસ) છે તેની ખબર સામાન્ય લોકોને કે રાજકર્મકારોને તો ન જ પડે, પણ ગુપ્તચરોને પણ અંદરોઅંદર તેની ખબર ન પડે એવી ગુપ્તતા જાળવવામાં આવે છે. નહિતર સામાન્ય લોક કે રાજકર્મકર ખોટું કરતાં ચેતી જાય, ગુપ્તચરો પરસ્પર તંત્રને ખોટો અહેવાલ આપી રોકડી કરવા બાબતે મળી જાય અને જરૂરી ગુપ્તચરકર્મ થાય નહિ; અને જોઈતી સત્ય હકીકત હાથ ન લાગતાં રાજયતંત્ર પોતાનું અગત્યનું કર્તવ્ય ચૂકી જાય. આનો અર્થ એ કે રાજાના ખૂબ વિશ્વાસ્ય એવા સુપરીક્ષિત અધિકારીઓ જ અથવા તો ખુદ રાજા જ ગુપ્તચરોને જાતે નીમે અને ગુપ્તચરોની વાત કોઈ રીતે બીજા અધિકારી સુધી ના પહોચે. આ નિયમના સાથમાં બીજો એક નિયમ પણ જાળવવામાં આવે છે, જેથી બંને નિયમોના સંયુક્ત પરિણામરૂપે જે તે ગુપ્તચરની સચ્ચાઈ અને વફાદારીની પાકી કસોટી થઈ જાય અને તેને આધારે તેની સાથે યથાયોગ્ય વ્યવહાર કરી શકાય. એ બીજો નિયમ એવો છે કે એક જ કામ ત્રણ ગુપ્તચરોને અલગ-અલગ રીતે સોંપવું. હવે આગળ જોયેલા નિયમ મુજબ તે ત્રણે ય એકબીજાને ચાર (ગુપ્તચર, જાસૂસ) તરીકે તો જાણતા જ નથી હોતા. આથી ત્રણે ય પોતપોતાને સોંપાયેલું એક જ કામ કરવામાં કોઈ સંતલસ કરીને, લાંચ ખાઈ, જાહેર થઈ જવાથી જે-તે વ્યક્તિને નુકસાન કરે તેવી ગુપ્ત હકીકતનો અહેવાલ ન આપીને એકધારી રીતે એને નુકસાન ન થાય તેવી ખોટી હકીકતનો જ અહેવાલ આપે તેવું બની શકશે નહિ. તે ત્રણે ય હકીકત જાણીને પોતપોતાની રીતે જ અહેવાલ રાજાને આપશે. તે ત્રણેયના અહેવાલ જો એકરૂપ હોય તો જે તેમની જાણકારીને અને ગુપ્તચરોને સાચાં માનવા. જો તે ત્રણે ય અહેવાલ એકબીજાથી જુદા પડે ત્યા એકનો અહેવાલ બીજા બેના અહેવાલથી જુદો પડે, તો પ્રથમ કિસ્સામાં સાચ-જૂઠનો નિર્ણય અન્ય વિશ્વાસ્ય ગુપ્તચરના સ્વતંત્ર અહેવાલથી કે અન્ય કસોટીથી જ કરવો પડે અને બીજા કિસ્સામાં જેનો અહેવાલ બાકી બેના સરખા અહેવાલથી જુદો પડતો હોય તે અવિશ્વાસ્ય ઠરે. તે ગુપ્તચરની વૃત્તિની, અન્ય કસોટીઓ દ્વારા બરોબર ચકાસણી કરીને તેવા ગુપ્તચર સામે યોગ્ય લાગે તેમ વધ કે બરતરફીનું પગલું ભરવું આ ઉપરાંત અન્ય રાષ્ટ્રોના, આપણાં રાષ્ટ્રમાં ફરતા ગુપ્તચરોને પણ ઓળખી પાડવા સતત ચેતતા રહેવાનું ખૂબ જરૂરી ગણાય. “જે-તે કાળે અસ્તિત્વ ધરાવતી જે-તે વસ્તુસ્થિતિની ભાળ મેળવીને તે અંગે અનુરૂપ પગલાં લેવાં જ જોઈએ” (સ્થિતી તિ: વન્તનીયા) એ વ્યક્તિ, સમુદાય કે જૂથને લાગુ પડતો જાડો નિયમ પાળ્યા સિવાય જીવનનો માર્ગ બાધારહિત બનતો નથી. રાજનીતિનું પૂર્ણ માનવીય ધ્યેય નિર્મળ ઋષિતુલ્ય પ્રજ્ઞાથી આત્મસાત્ કરી ચૂકેલા અને પોતાના જીવનમાં સામેથી શુદ્ધ કર્તવ્ય તરીકે આવી પડેલા રાજપરિવર્તનના કાર્યને, સત્તા પ્રત્યેની પૂર્ણ અલિપ્તતા સાથે, બુદ્ધિ અને કર્મના ઝંઝાવાતી સામર્થ્યથી પાર પાડી ચૂકેલા કૌટિલ્ય ગુપ્તચરોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy