SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૫ અપનાવવો જોઈએ. તેથી “સત્ય એ જ ઈશ્વર” કે “સત્ય-નારાયણ” એવાં સમીકરણો પણ પ્રચલિત બન્યાં છે. જેવું પરમાર્થના ક્ષેત્રમાં, તેવું વ્યવહારના ક્ષેત્રમાં સત્ય તો આરાધ્ય છે જ છે – ભલે સત્યનાં જુદાં જુદાં સ્તર આવશ્યકતા અને સૂઝ પ્રમાણે તે-તે જીવનક્ષેત્રે આરાધાય. સત્ય સ્તરભેદે બાહ્ય જ્ઞાનેન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી કે આત્માથી જ્ઞાત બને છે. જ્યાં સુધી ઐહિક જીવન છે, ત્યાં સુધી આ વિવિધ સ્તરનાં સત્યો, જુદા-જુદા સંદર્ભે, અહીં બતાવેલાં જુદાં-જુદાં ઇન્દ્રિયાદિ સાધનોથી ઉપાસાવાં, અંકે કરાવા આવશ્યક છે. રાજ્યતંત્રે પણ એનાં બધાં કર્તવ્યો પાર પાડવા નિરંતર જુદાંજુદાં સત્યોનાં સિદ્ધિ અને સંગ્રહ તે-તે જ્ઞાનસાધનોથી – જેને માટે તત્ત્વવિદ્યામાં “પ્રમાણ' શબ્દ વપરાય છે ને વ્યવહારક્ષેત્રે “પુરાવા' શબ્દ વપરાય છે તેના દ્વારા – કરતાં રહેવાનું છે. આ માટે સંક્ષેપમાં કહીએ તો બહિર્મુખ અવલોકન-યત્ન અને અંતર્મુખ ચિંતનયત્ન યજ્ઞ-ભાવનાથી નિરંતર કરવાનો છે. આ યજ્ઞનું અધ્વર્યપણું એક છેડે રાજાએ ને બીજે છેડે સાબદા જનપદવાસીઓએ કરવાનું છે, અને વચ્ચે પાછું સંકુલ અધિકારી જાળ, કર્મચારીજાળ પણ એમાં પૂરેપૂરો સાથ આપવા સજ્જ રહે તે અપેક્ષિત છે. આ રીતે જોતાં, આખા રાષ્ટ્રના સત્યાધારિત સફળ પ્રવર્તન અને નિયમન અર્થે રાજા કે રાજ્યતંત્રના ચક્ષુનું (યા સર્વ બહિરિન્દ્રિયોનું) કામ કરવા માટે સહજ વફાદારી (અનુરાગ)માં સ્થિર થયેલા અને બહુવિધ કૌશલો ધરાવતા પ્રજાજનોમાંથી ખડું થયેલું રાષ્ટ્રવ્યાપી ગુપ્તચરજાળ સર્વત્ર અને સર્વદા ખપનું બની રહે છે. આ જ છે અસલ માહિતીખાતું, જેમાં માનવપ્રતિભામાંથી જ માહિતી કૌશલ (I.T.) પ્રભવે છે. વિશાળ મુલ્કમાં પથરાયેલા વિવિધ ને વિપુલ એવા પ્રજાવર્ગોના અને રાજ્યના કર્મકારોના ભૌતિક જીવન-વ્યવહારનું આવશ્યકતાનુસાર તલસ્પર્શી અવલોકન કરીને, તેને આધારે સન્માર્ગથી ચાતરી ગયેલા (શ્રુત થયેલા) સર્વ વ્યવહારોને મર્યાદામાં સ્થાપી, તેમ જ મનુષ્યોની જાણવા મળેલી એષણાઓ (ઇચ્છાઓ) અને જરૂરિયાતો પૂરી પાડવાની જોગવાઈઓ ઊભી કરીને સરવાળે પ્રજાઓનું વ્યક્તિગત, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કલ્યાણ સિદ્ધ કરવું તે છે રાજનીતિનું શાશ્વત ધ્યેય. આ માટે આવા વિશાળ પ્રજાસમૂહોના અને ખુદ રાજયતંત્રના, રાષ્ટ્રમાં સર્વત્ર પથરાયેલા કર્યકરોના નિત્યના નવા-નવા વહેવારોના યથાર્થ જ્ઞાનની જરૂર સતત રહે છે. રાજા કે રાજપુરુષો પોતે બધું જ જાતે જોવા ન જઈ શકે; તેમને તો પોતપોતાનાં પ્રવાહપ્રાપ્ત નિયમનકર્તવ્યોમાં રત રહેવાનું હોય. તેથી જરૂરી છે એક વિપુલ વિશ્વાસ્ય સેવકસમુદાય, કે જે પોતાની કુશળ ઇંદ્રિયોથી અને પોતાનાં દોષમુક્ત, પૂર્વગ્રહમુક્ત મનોવ્યાપાર કે મનનશક્તિ થકી મનુષ્યોનાં તે-તે વર્તનોની, મનોવલણોની, જે-તે હેતુ માટે ખપની બધી વિગતો ભરોસાપાત્ર રીતે રાજયતંત્ર સમક્ષ ઉપસ્થિત કરી શકે. આપણે જોયું છે તેમ કૌટિલ્ય પ્રમાણે અર્થશાસ્ત્ર તે ઇન્દ્રિયજયનું શાસ્ત્ર છે. તે મુજબ અખંડ અર્થસિદ્ધિ અર્થે સર્વત્ર, સર્વદા ઇન્દ્રિયસંયમ સ્થપાતો રહે ને જળવાતો રહે તેમાં સૌથી સમર્થ સાધન છે આ ગુપ્તચરતંત્રની ખંતીલી કામગીરી. ને ઇન્દ્રિયજયથી છેવટે સધાતાં સુફળની પ્રાપ્તિમાં પણ આ તંત્રનો ફાળો સૌથી મહત્ત્વનો છે. “પાપી પાપ પં ચૈન વહ ?” – એ ન્યાય મુજબ સંસ્કૃતિનો સૂર્યોદય પામી ચૂકેલા સમાજમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy