SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લે પણ થતી. છતાં લોભની પ્રેરણા પણ તેમના વ્યવસાયના સ્વરૂપ અનુસાર વત્તે-ઓછે અંશે રહે જ. હવે રાજ્યતંત્ર દ્વારા જે વણિક્ષથો આ વેપારપ્રવૃત્તિને દૃઢ પાયો એટલે કે પાયાનું સુવિધામાળખું પૂરું પાડવા કાયમી ધોરણે નિર્માણ અને નિભાવ પામતા, તેના ખર્ચને સરભર કરવા આ માર્ગોનો વેપારી ઉપયોગ કરનારાઓ પાસેથી શુલ્ક એટલે કે વેપાર માટેનો માર્ગવેરો ‘શુલ્કાધ્યક્ષ' નામના ઉચ્ચ મુખ્યાધિકારીની કુશળ રાહબારીમાં પ્રવૃત્ત રહેતા અલગ તંત્ર દ્વારા વસૂલ કરાતો. માલનાં જાત, જથ્થો ઇત્યાદિ પાસાં મુજબ ઉચ્ચાવચ શુલ્ક નક્કી કરાય. એની વસૂલી અચૂકપણે થાય અને એને ટાળવા કે એમાં ઘટાડો કરવા માટેનાં શક્ય વિવિધ કપટો, છેતરપિંડીઓ ઉઘાડાં પાડવા માટેનાં સ્થાયી નાકાં પણ માર્ગો પર રહેતાં. ‘શુલ્કાધ્યક્ષ’નાં આ બધાં કર્તવ્યોનો વિચાર અધ્યાય ક્ર.૨.૨૧, ૨૨માં મળે છે. આજના ઑક્ટ્રોય જેવો એ કર જણાય છે. આ કરની જવાબદારીમાંથી પ્રજા માટે પાયાની આવશ્યકતારૂપ ચીજોને કે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં મહત્ત્વ ધરાવતી ચીજોને મુક્તિ પણ અપાતી. બાકીની ચીજોના વેપારીઓ દ્વારા જે અનેક અટપટી યુક્તિઓ થતી, એનાં વર્ણનો પણ આવા રાજનીતિના કે ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં મળે છે. એવાં કપટોને શુલ્કતંત્રના વિવિધ કર્મચારીઓ દ્વારા, જરૂર પ્રમાણે ગુપ્તચરોના વ્યાપક સહયોગથી ઉઘાડાં પાડી આકરા દંડ સાથે શુલ્ક વસૂલ કરાતાં. એમાં શિથિલ હોય એવા રાજ્યતંત્રનો જયવારો અવશ્ય ટળે; કારણ કે એનો કોશ ઘસાતો જાય. ૨૩૪ કૃષિ-પશુપાલન-પ્રધાન અને ગ્રામપ્રધાન સમાજમાં કૃષિ અને પશુપાલનની આવકો પર પણ નિયત રાજભાગ કે કર લેવાતો એ પણ અહીં ફરી ભારપૂર્વક નોંધવું જોઈએ. જો આમ ન કરાય તો કોશને ભારે મોટો ફટકો પડે. આ ઉપરાંત રાજ્ય તરફથી જે કેટલીક વ્યાપક જાહેર સેવાવ્યવસ્થાઓ કરાય છે, તે પર પણ સેવા વાપરનારા પાસેથી કરરૂપ રકમ લેવાય છે; દા.ત. રાજ્યની નૌકાસેવા, વિણપથો પર લૂંટારાઓથી બચવા અપાતી વળાવિયા(અતિવાહિ)ની સેવા (escort), ચોરોના સતત-ઉપદ્રવવાળાં સ્થાનોમાં ચોરોને પકડી આપવાની જે તે મુલ્ક માટેની સેવા ઇત્યાદિ. પ્રાકૃતિક, રાજકીય, સામાજિક નિમિત્તોએ જ્યારે કોઈ પ્રદેશવિશેષમાં કે આખા રાષ્ટ્રમાં પ્રજા પ્રાસંગિક આપત્તિથી ગ્રસ્ત હોય ત્યારે વ્યાપક કરમુક્તિ (પરિહાર) પણ જાહેર કરાય છે. આમ ન્યાયી કર-વ્યવસ્થા રાજા-પ્રજાને સમ-ઉદ્યમી અને પરસ્પર સહયોગી બનાવી રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિનો સ્થિર પાયો રચે છે. (૪) ગુપ્તચરતંત્ર કહેવાયું છે : “સત્યમાં સર્વ પ્રતિષ્ઠિત છે” (સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ્). બાહ્ય વસ્તુ(સત્)નું ચેતનામાં પડતું યથાર્થ પ્રતિબિંબ અથવા આપ્ત ઋષિઓ દ્વારા પ્રગટ થયેલા પરમ સત્-તત્ત્વ સાથે મેળમાં હોય તેવાં વિચાર-વર્તન તે સત્ય. એવું સત્ય જ સર્વનો આધાર હોઈ જે-તે કાળે જે-તે બાબત અંગેનું સત્ય પ્રમાદ ત્યજી જાણવું જોઈએ અને એને આધારે જ કોઈ પણ વિચાર કે આચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy