SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૩ બીજી બાજુએ છતી શક્તિએ પ્રમાદ, અતિલોભજન્ય કપટીપણું ઇત્યાદિ કારણે કર આપવાનું ટાળનારને બરાબર ઠેકાણે લાવીને એની પાસેથી તંતોતંત કરવસૂલાત કરવી એ પણ પાયાનું રાજયકર્તવ્ય છે; નહિતર પ્રામાણિકો વધુ ને વધુ દંડાય અને અપ્રામાણિકો રાજયકોશનું છિદ્ર બની મહાલતા રહે. એવું દુષ્ટનિગ્રહ વગરનું વૈષમ્યપોષક શાસન કાળક્રમે સ્વયં ઉશ્કેરાયા વગર રહે નહિ. આ દષ્ટિએ જ અગાઉ જોયા પ્રમાણે રાજ્યતંત્રના ખૂબ મહત્ત્વના ઘટકરૂપ ઉચ્ચતમ વિકાસઅધિકારી તરીકે “સમાહર્તા'ના પદનું આયોજન કરાયું છે. પદનું નામ જ “સારી રીતે ઉઘરાણી કરનાર' એવો ધનપરક માર્મિક અર્થ ધરાવે છે. રાજ્યતંત્રે સુચિંતિત રીતે નક્કી કરેલા કરો, લાગાઓ વગેરેની પૂરી ચુસ્તતાથી ઉઘરાણી કરવી એ રાજયતંત્રની કસોટીરૂપ ખૂબ મહત્ત્વની અને પાયાની કામગીરી છે - બહુફળદાયી કામગીરી છે. ખરેખર બધી રીતે સાબદી, કસાયેલી ને કામઢી રાજયસત્તા જ પોતાની બેઠી પ્રતિભાથી પ્રજામાં વ્યાપકપણે સહજ ડારો પેદા કરીને પોતાનું છિદ્રરહિત ઉઘરાણીતંત્ર ગાજતું રાખે છે, જેથી બરોબર બજવણી પામતા આકરા દંડવિધાનથી બચવા પ્રામાણિકતાથી કરી ભરી દેવામાં જ ભલભલા ભૂંડાઓ પણ સલામતી જુએ છે. “મહાભારત'માં નવી બનેલી ઇન્દ્રપ્રસ્થનગરીમાંથી પ્રવર્તેલા યુધિષ્ઠિરના સુશાસનના વર્ણનના આરંભે જ કરોની સંગીન વસૂલાત(વત્નીનાં સંસ્થાન)નો મુદ્દો પણ ખાસ ચીંધવામાં આવ્યો છે. એટલે સમાહર્તપદમાં એવી સંભાવના ભરવામાં આવી છે કે પ્રદેષ્ટા, સ્થાનિક, ગોપ આદિ તેના તાબા હેઠળના કાર્યકરજાળ દ્વારા કરવસૂલીમાં પડતાં છીંડાંઓની ભાળ સતત થતી રહે અને એ સામે શક્તિશાળી ઉપાયોથી છીંડાં પુરાતાં પણ રહે. વળી કરવસૂલીમાં, પ્રત્યેક વસતીમાંના પ્રત્યેક પરિવારનું થતું ઝીણવટભર્યું આર્થિક, સામાજિક નિયમિત સર્વેક્ષણ પણ ચોક્કસ મદદરૂપ થાય. જનપદના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરસ્પર-સંબંદ્ધ આંતરપ્રવાહો પર વાજબી ચોકીદારીમાં, વફાદાર અને કાર્યદક્ષ એવું વૈવિધ્યપૂર્ણ ગુપ્તચરતંત્ર પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. ખેતી, પશુપાલન, હુન્નર, ઉદ્યોગ, વેપાર, વ્યાવસાયિક સેવાઓ એ બધી પ્રજાકીય આર્થિક પ્રવૃત્તિમાં કઈ વ્યક્તિ કે કયું જૂથ ઉપાર્જન અને સંપન્નતામાં ક્યાં ઊભાં છે તેની જાણકારી આવા ખુલ્લા અને વિકેન્દ્રિત અર્થોત્પાદનોવાળા પ્રત્યક્ષ સમાજમાં લાંબો સમય છૂપી રહી શકતી નથી. અગાઉ વહીવટીતંત્રની ચર્ચાના અન્વયે સમાહર્તાનાં કાર્યો વિચારતાં રાજયતંત્રની આવકના સાત સ્રોતો પૈકી વળHથ ને પણ એક સ્રોત ગણાવેલો જોયો હતો. રાષ્ટ્રમાં વેપાર પણ એક ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તરીકે એ પ્રાચીનકાળમાં પણ બરોબર સ્થપાયેલો હતો, જેનાથી પ્રજાજીવન પણ વિશેષ સુવિધાપૂર્ણ બનતું હતું. વેપારની પ્રવૃત્તિ કરનારાઓમાં, વિવિધ દેશ-પ્રદેશોમાં માલની હેરફેર કરનાર હિંમતબાજ, કાઠી છાતીવાળા, ચતુર શાહ-સોદાગરોનો પણ એક મોટો ગણનાપાત્ર વર્ગ હતો. આવા વેપારનું સ્થળ ધ્યેય તો રહેતું અંગત નફારૂપે મળતું અતિવિપુલ ધન. અનેક હિંમતબાજ, કે પોતે ધંધાચતુર હોવા છતાં હિંમતે કાચા કે કાચાપાકા એવા વિવિધ વેપારીઓને દૂરનાં સ્થાનોમાં વેપાર કરવામાં સરળતા રહે તે માટે મોટા વ્યવસ્થિત સમુદાયરૂપે પણ વેપારીઓ વેપાર કરવા નીકળતા, જેને “સાર્થ' (કાફલો) કહેતા. આવા સમુદાયમાં અનેક માનવગુણો કે સામુદાયિક સક્યોગિતાના અને સામાજિકતાના ગુણો પણ નમૂનાપાત્ર સ્વરૂપે જરૂર પ્રગટતા હતા અને અનેક પ્રદેશો સાથે તેમના દ્વારા સ્થાયી મૂલ્યવત્તાવાળી સાંસ્કૃતિક આપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy