SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરનીતિ : પ્રાયઃ કૌટિલ્યની અતિવ્યસ્તતાને કારણે ‘અર્થશાસ્ત્ર' ગ્રંથમાં રાજયતંત્ર અંગેના કેટલાંક નાનાં પાસાંઓનું અલાયદું નિરૂપણ છૂટી ગયું હોય એવું બને છે. ઉપર્યુક્ત પાસા બાબત પણ એમ બન્યું લાગે છે. આવા વિષયોને લગતાં પણ પાયાના સિદ્ધાંતો કે તારણો વેર-વિખેર રીતે ગ્રંથમાંના બીજા વિષયોની ચર્ચા સાથે લગભગ રજૂ થયેલાં જોવા મળે છે. કરનીતિ વિષેના પણ માર્ગદર્શક સિદ્ધાંતો એવી રીતે વેરાયેલા પડ્યા છે. કદાચ કર-ધોરણો દેશકાળ પ્રમાણે બદલાતાં રહેતાં હોવાથી જુદાંજુદાં કરનાં ધોરણો આંકડાકીય રીતે નથી આપ્યાં. “મહાભારત'ના ‘શાંતિ-પર્વ' અંતર્ગત રાજધર્મપર્વમાં કરનીતિ વિષે વિસ્તૃત અલગ ચર્ચા મળે છે. કરનિર્ધારણ અંગે બંને છેડાના અતિરેકો ટાળતી પ્રજાભિમુખ નીતિ ઇષ્ટ લેખાઈ છે. ખેતી, પશુપાલન, હુન્નર, વેપાર કે વિવિધ સેવા-વ્યવસાયો પર કુલ મળતરના અમુક પરંપરાગત ઉચિત ઠરાવાયેલા ‘ભાગ' (અંશ)રૂપ કર લેવાતો. કોશ ખાલી થઈ જવાની કટોકટી પ્રસંગે યોજવાના ઉપાયોની ચર્ચા અગાઉ કરવામાં આવી છે, તેમાં આ કારધોરણ પ્રાસંગિકરૂપે વધારવાની વાત પણ આપણે જોઈ છે. એવો કર ન બળજોરીથી વસૂલ કરવો, ન ફરી-ફરી – એ પણ જોયું. પ્રજાની આર્થિક શક્તિ સંતોષકારક રીતે નિર્માણ થાય તે જોવાની રાજયની ફરજ ગ્રંથમાં વારંવાર સ્વીકારાયેલી જોવા મળે છે. એથી “જનપદસ્થાપના' પ્રકરણ (અધ્યાય-ક. ૨.૧)માં પણ નવા જનપદસ્થાન(વસાહત)માં સ્થાયી થવાની પહેલ કરનારને શરૂઆતમાં બે પાંદડે થવા દેવા માટે તે-તે વ્યક્તિ કે પરિવારના પ્રવેશ-કાળથી માંડી અમુક સમયગાળા સુધી કરમુક્તિ (રિદાર) આપવાની નીતિ, આજની સરકારોની જેમ, અપનાવવા ભલામણ કરાઈ છે. વળી સાધનહીન સ્થિતિમાં આવેલા પરિવારોને યોગ્ય મર્યાદામાં રાજ્ય તરફથી શરૂઆતમાં અનુદાન (અનુપ્ર) કરવાની પણ ભલામણ છે. ત્યાં પણ, આપણે જોયેલું તેમ, સ્પષ્ટ કહેવાયું છે કે સરવાળે કોશને ચોખ્ખી હાનિ (૩૫ધતિ) કરે તેવા પરિહાર અને અનુગ્રહ ન કરવા; સરવાળે એ પામનાર પ્રજાજનોની ક્ષમતા બંધાતાં તેમના આર્થિક અભિક્રમો કોશની પણ સ્થિર વૃદ્ધિમાં પરિણમવા ઘટે. વાવણીરૂપ સુપાત્રદાન જ કર્તવ્ય ગણાય; દેશકાળ જોયા વિનાનું અપાત્રદાન નહિ. આજની સરકારોમાં બેઠેલા રાષ્ટ્રભક્ષક વડેરાઓ કોશના ભોગે પોતાનાં ઘર ભરાય તે રીતે માતબર અને માતેલા સાંઢ જેવા ઉદ્યોગ-સમ્રાટોને અનુગ્રહ-પરિહારની ભેટ ધરે છે, અને ખરેખરા જરૂરતમંદ સામાન્ય જનને ભિખારી બનાવતા જાય છે ! કરસંબંધી એક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરનીતિની માનવીયતા બતાવે છે. જે વ્યક્તિ પોતાને ભરવાપાત્ર થતો કર રોકડમાં ન ભરી શકે તેમ હોય, તે કરને સ્થાને તેનું સાટું વાળવા રાજયના કોઈ ને કોઈ કામ માટે શ્રમદાન કરે; તેવી વ્યક્તિ R-પ્રતિર (કરના સાટે શ્રમશક્તિ આપનાર) કહેવાય છે. ઉભય પક્ષે વધુ ગુણકારી બની રહેનારો કેવો સુંદર વિકલ્પ ! પ્રજાની વિવિધ વાસ્તવિક સ્વયંભૂ શક્તિઓ આખા મુલ્કના ખૂણે-ખૂણે જાગતી રહે, ખીલતી-વિકસતી રહે તેવી સંગીન શાસન-વ્યવસ્થા ઉપજાવીને પ્રજાની વૃદ્ધિ પામેલી તે શક્તિના જ અંશ તરીકે કર ઉઘરાવવો એ ખૂબ ન્યાયી વ્યવસ્થા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy