SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૧ પાયારૂપ પ્રથમ મૂર્ત સ્વરૂપ છે. વળી નરવી ઉદ્યમપ્રિય પ્રજામાં વ્યાપક રીતે પડેલી અસત્ય સામેની દાઝ અને તેને ઉઘાડું પાડવાની નિઃસંશય કર્તવ્યબુદ્ધિ અને તમન્ના પણ એનું એવું જ પાયાનું મૂર્ત સ્વરૂપ છે. આ ભૂમિકાના અન્વયે કૌટિલ્ય કહે છે કે કોઈ પણ એક ભ્રષ્ટ વ્યવહાર અનેકોના છૂપા સહકારથી જ શક્ય બને છે. એ દષ્ટિએ આવા સહકારીઓમાંના એક-એકની આકરી ઊલટતપાસ થવી જોઈએ, જેથી આવા સહકાર આપવા સામેનો કાયમી ડારો મુલ્કમાં ફેલાય. વળી આવી ખોટી સાંઠ-ગાંઠને ન્યાયી અને સમર્થ એવી ભેદનીતિથી, એવી ભ્રષ્ટતામાં અજ્ઞાનથી સક્યોગ આપનારાઓને “જૂઠ સાથેની મૈત્રીનાં ફળ વિષયુક્ત હોય છે એનું ભાન કરાવી ભ્રષ્ટાચારીઓથી અલગ પાડી, તેમને તેમનાથી સાવચેત કરી, થયેલા ભ્રષ્ટ વહેવારને ઉઘાડો પાડવામાં તેમનો કીમતી સાથ મેળવી શકાય છે. ભ્રષ્ટાચારીઓ થાક પણ બેઠા શુદ્ધ સંકલ્પથી નિત્ય સ્કૂર્તિ દાખવતું તંત્ર ન થાકે એવું સાબદું, ધીર અને લોકસ્વભાવ સાથે રમત રમી જાણનારું હોય. આવું ખમતીધર તંત્ર માનવસ્વભાવની ઉત્ક્રાંતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે, સંસ્કૃતિનું જયોતિર્ધર બની શકે. સમર્થ તંત્રે તો વ્યાપક અભય સ્થાપી ભ્રષ્ટ વહેવારથી નુકસાન પામેલાઓને રાજ્ય સમક્ષ ન્યાયતંત્ર દ્વારા ફરિયાદ કરવા પણ પ્રેરવા જોઈએ, પોરસાવવા જોઈએ, અને તેમને થયેલી હાનિ ગુન્હેગાર પુરવાર થયેલ વ્યક્તિ પાસેથી ભરપાઈ પણ કરાવવી જોઈએ અને વધારામાં ગુન્હેગારને આકરો દંડ પણ થવો જોઈએ. વળી અનેક આરોપોને નકારતા આરોપીનો એકાદ આરોપ પણ સાચો ઠરે તો બાકીના આરોપો પણ સાચા હોવાની સંભાવના કરીને આગળની પાકી-પૂરી કાર્યવાહી કરવી જોઈએ. જાહેર હિત અર્થે તંત્રને ભ્રષ્ટાચારની સચ્ચાઈપૂર્વકની જાણ કરનાર (સૂક્ષ) રાષ્ટ્રપ્રેમીના ઉત્સાહને રાજયતંત્રે રક્ષવો અને પોષવો ઘટે. એને આરોપીની સંભવિત વેરવૃત્તિ સામે પાકું રક્ષણ (અવસ્થા) આપવું. વળી એની ફરિયાદ સાચી ઠરે તો સિદ્ધ (પુનઃપ્રાપ્ત) થયેલી વસ્તુના મૂલ્યનો છઠ્ઠો ભાગ તેને બક્ષિસ તરીકે આપવો. બતાવ્યા કરતાં ઓછી ખાયકી પુરવાર થાય તો પણ તેનો વાજબી અંશ ભેટ તરીકે આપવો. તો તેથી ઊલટું, માત્ર વેરબુદ્ધિથી ખોટી ફરિયાદ કરનારને, તે ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થયે આકરો દંડ કરવામાં પણ પ્રમાદ ન કરવો, જેથી ઝેરીલા માણસોમાં આવાં જૂઠાણાં ઉડાડવા સામે ડારો ઊભો થાય. બીજી બાજુ, આરોપો સિદ્ધ થયાના તબક્કે જો ગુન્હેગારની ચઢવણીથી મૂળ ફરિયાદી ભય કે લાલચનો માર્યો પોતાની ફરિયાદ પાછી ખેંચી લે અથવા ભાગતો ફરે, તો રાષ્ટ્રના અસામાજિક તત્ત્વ સાથેની તેની તત્કાલીન અને ભવિષ્યની પણ સંભવિત સાંઠગાંઠ ડામવા તેને આકરામાં આકરી (વધની !) સજા કરવી એમ પણ કહેવાયું છે. આમ તંત્રની અને પ્રજાની સંયુક્ત જાગૃતિથી સરવાળે ભ્રષ્ટ અર્થ-વ્યવહારો આદિ પ્રત્યેનું, રાહ ભૂલેલાં પ્રજાઘટકોનું આકર્ષણ ઘટાડીને “સરવાળે પ્રામાણિકતા જ સર્વની સાચી સમૃદ્ધિ વધારનારો જયવંતો સામાજિક ગુણ છે' તેવી સમજણ પ્રસારવી તેવો કૌટિલ્યનો સાંસ્કૃતિક આશય અહીં પરખાય છે. સર્વદા મનુષ્યની દર્શનશુદ્ધિ પણ સાધતાં જઈ સંસ્કૃતિ પોષક વહેવારો સ્થાપવા એ પાયાની વાત પણ ભારતીય રાજધર્મચિંતકોના મનમાં દઢ થયેલી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy