SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે; અલબત્ત, આમાં માનવ-સ્વભાવ સહી શકે તેવી ક્રાંતિનાં છીંડાં તો અવશ્ય ચીંધતા રહે છે! (૪) હવે જોઈએ ચોથો દૂષિત અર્થવહેવાર : “અવસ્તાર'. આની ગ્રંથગત વ્યાખ્યા કશા ઉદાહરણ કે સંદર્ભના અભાવમાં સમજાય તેવી નથી. (આ ગ્રંથનું લાઘવ અવાર-નવાર અર્થઘટનના પેચીદા પ્રશ્નો પેદા કરે છે.) શ્રી અધ્યા. કંગલે પણ આ પ્રસંગે માત્ર શાબ્દિક અનુવાદ કરી ટિપ્પણમાં નર્યું મૌન (બાંધી મૂઠી !) રાખે છે. મવસ્તારના પરસ્પર મળતા આવતા ભૌતિક અર્થો છે : ચાદર, કનાત; તંબૂ ચટાઈ. તેનો ધાતુજ અર્થ છે કશુંક ઢાંકવાની ક્રિયા કે ઢાંકવાનું સાધન. દેખીતી રીતે જ અહીં ધાતુજ ક્રિયાવાચક અર્થ – “કશુક ઢાંકવા કે છુપાવવાની ક્રિયા' – લેવાનો રહે છે. તેની કૌટિલ્યોક્ત વ્યાખ્યા આવી છે : “અધિકારી સિદ્ધ થયેલા (પાકેલા) કાળને “એ અસિદ્ધ છે' એમ બતાવે (ક્રોતિ ) અને અપ્રાપ્ત (અસિદ્ધ, નહિ પાકેલા) કાળને પ્રાપ્ત થયેલો (સિદ્ધ, પાકી ગયેલો) બતાવે તે'. ટીકાકારો બંધબેસતો અર્થ આપવાની દષ્ટિએ આ દૂષણને સરકારી કર-ઉઘરાણી-તંત્ર સાથે સાંકળે છે. કર-ઉઘરાણીનો સમય થઈ ગયો હોય ત્યારે “તે નથી થયો” એમ કહીને પછી ખરેખર મોડું થયું હોઈ “મોડું થયું છે” એમ કહી ચૂક બતાવી લાંચ માગે, અને બીજી બાજુ ઉઘરાણીનો સમય ન પાક્યો હોય ત્યારે “સમય થઈ ગયો છે” એમ કહી અજ્ઞાન ભોળી પ્રજા પાસેથી ધનની વહેલી ઉઘરાણી કરી લે, યા વિલંબની વાત કહી તે બહાને દંડ કરી પોતાનું ખિસ્સે ભરે ! એ રીતે પ્રાયઃ કોશના ધનમાં આડકતરી રીતે હાનિ કરીને યા અબૂધ પ્રજાને માત્ર રંજાડીને ભ્રષ્ટ અધિકારી પોતાનું ખિસ્સે ભરે છે. આ અર્થઘટન “અવસ્તાર' શબ્દ જોતાં બરોબર બંધબેસતું નથી. અનુભવી ઉચ્ચવહીવટકાર દ્વારા આનું સાચું અર્થઘટન જાણવું જોઈએ. (૫) “પરિણાપા' શબ્દ પૂરિ + ર (ત્યજવું) ધાતુ પરથી પ્રેરકક્રિયાવાચક શબ્દ તરીકે સિદ્ધ થાય છે; તેથી શબ્દાર્થ થાય “ચોપાસથી (પરિ) ઘટાડવું. કોઈ અર્થસ્થાનમાં ચોખ્ખી રીતે નીપજેલી આવકને હિસાબના ગોટાળાઓ દ્વારા સીધી જ ઓછી બતાવવી અથવા તો તે સામે થયેલો ખર્ચ વધારે બતાવી બાકી રહેતી આવક ઓછી બતાવવી તે. આ મુદ્દામાંની આવક કોઈ ચીજના ઉત્પાદનસંબંધી પણ હોઈ શકે કે ઉઘરાણી-સંબંધી પણ હોઈ શકે. માલના સંદર્ભે નીપજેલા ભાવ અંગે ઘાલમેલ કરી ઓછી રકમ જમા કરાવવી – એમ પણ સમજી શકાય; કારણ કે માલ ઓછો પેદા થયેલો બતાવવામાં તો તે ઉપરાંત ખરેખર ઉત્પન્ન થયેલા બાકીના માલના અપહરણની વાત આવી પડે – જે માટે તો આગળ માદાર એ જુદો મુદ્દો છે જ. વળી ઉઘરાણીની કામગીરીનો સંદર્ભ હોય તો હકીકત કરતાં ઓછા લોકો પાસેથી ઉઘરાણી થયાનું બતાવી શકાય. ટૂંકમાં થયેલા ખરા ઉત્પાદનને કે થયેલી ખરી ઉઘરાણીને ઓછાં બતાવીને ખાઈકી કરવી તે “પરીપળ'. (૬) “૩ામો' રૂપ દૂષણ આમાંનાં ધનલોભજન્ય દૂષણોથી થોડી ઓછી તીવ્રતાવાળું છે, કારણ કે એમાં નીપજેલા માલનો સીધો જ જાતે કે સગાં-સંબંધીમાં થતો મફત ઉપભોગ (વપરાશ) હોય છે. સારો માલ જોઈને તે અનધિકૃત રીતે પણ વાપરવાનું મન થાય એ ધનલોભ જેટલું ખાનાખરાબી કરનારું અને નિત્ય વધતું જનારું દૂષણ નથી. ઉપભોગની તો શારીરિક મર્યાદા આપોઆપ આવી જાય. અન્યોને પણ ઉપભોગ અર્થે આપવાની મર્યાદા, પોતાના ઉપભોગને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy