SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દેવાય ત્યારે પાયાનો ઉપાય તો એવી નિરંકુશ સ્થિતિ રાજયમંત્રીય પાકા-પાયાનાં સર્વાગી પગલાંઓથી અટકાવવી તે જ છે. આ માટે ગ્રંથમાં અધ્યાય ક. ૨.૧૬માં ૫ળ્યાધ્યક્ષ(રાષ્ટ્રીય પુરવઠાઅધ્યક્ષ)ની કામગીરીનું સંક્ષિપ્ત છતાં ખૂબ મહત્ત્વનું જે નિરૂપણ છે, તે તપાસવા જેવું છે. બીજી એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે રાનમ્ શબ્દની વ્યુત્પત્તિ આમ અપાય છે : “પ્રજાનું રંજન કરે અર્થાત પ્રજાને સુખશાંતિમાં સ્થાપી પ્રસન્ન રાખે તે રાજા' (Tના પ્રશ્નતિરક્સનાત). આ વાત ભવભૂતિએ ઉત્તરરામરતમ્ નાટકમાં રામને વસિષ્ઠમુનિ દ્વારા પાઠવાયેલા સુચિંતિત સંદેશમાં આવી રીતે મૂકી છે : “પ્રજાના અનુરંજનમાં સદા-તત્પર રહેજે; તેમાંથી જ યશ પ્રાપ્ત થાય છે – જે યશ તમારા સહુનું (રઘુવંશીઓનું) પરમ ધન છે૨૫” (૩.રા.વ., ૨.૨૨). પ્રજાને નિયંત્રણોથી નિત્ય કસતા રહેતા રાજાએ સરવાળે તો પ્રજાના માનવીય કામ-પુરુષાર્થના પણ ભેરુ થવાનું છે; એને સાદા જીવનના, સહિષ્ણુતાના કે “ચલવી લેવા'ના મિથ્યા ઉપદેશોથી મુરઝાવીને તેના જીવનને રસકસવિહોણું કરવાનું નથી. કૌટિલ્ય રાજાને અનુગ્રહકારી પિતાની ઉપમા આપી છે (અધ્યાય ક્ર.૨.૧). અનુગ્રહ કે અનરંજન એટલે પ્રજાના સત્ત્વને વિકૃત ન કરે તેવું તેનું આરાધન. વળી વિશિષ્ટ પ્રજાકીય ઉત્સવ વખતે પણ આ પ્રકારની “આનંદ-ભેટ આપવાની પરંપરા તરફ પણ અહીં કૌટિલ્યનો નિર્દેશ જોઈ શકાય. આગળ જોયું તેમ કોશમાં રત્નાદિ કીમતી વસ્તુઓ ઉપરાંત રોકડ નાણાનો પણ સંચય હોય છે જ. એમાંથી આવો રચનાત્મક, પ્રજાસત્ત્વસંવર્ધક વ્યય સરવાળે તો ઊલટી કોશની વૃદ્ધિ કરનારો જ સમજી આવી વાવણીરૂપ ધન-પ્રસાદી ઠરેલપણે વહેંચવાની છે. આ લક્ષણો પર સમગ્ર રૂપે નજર નાખતાં જરૂર કહી શકાય કે કોશ એ રાજ્યતંત્ર સંગ્રહેલી રાષ્ટ્રની ઊંચી ને ટકાઉ આબરૂ-રૂપ, રાષ્ટ્રની બહુમુખી સંસ્કૃતિના નિધિરૂપ, તેમ જ વિશેષે તો રાષ્ટ્રના, નિત્ય-નૂતનતા અને પુષ્ટિ પામતા રહેતા ક્ષમતના મૂર્ત પુરાવારૂપ રાષ્ટ્રમાણ છે. એમાં જડતા-પોષક નહિ, પણ ચૈતન્યપોષક ઉપર્યુક્ત સુલક્ષણો રાષ્ટ્રની સંયમી-ઉદ્યમી પ્રતિભામાંથી નીપજે છે. કોશનાં આ લક્ષણોની જાળવણી અર્થતંત્રને ઘાતક ફુગાવાથી અચૂક મુક્ત રાખી શકે. રાજ્યની અંગભૂત સાત પ્રકૃતિઓમાં કોશને દંડ અને મિત્ર એ બે પ્રકૃતિઓની અગાઉ અને જનપદ તથા દુર્ગ પ્રકૃતિઓની પછી મૂકવામાં પણ કૌટિલ્યની પારદર્શક સૂઝ જણાય છે. કોશ એ સ્વામી (રાજા) અને અમાત્યની પ્રભાવક અધ્યક્ષતામાં જનપદ અને દુર્ગના સંયુક્તપણે પ્રવર્તતા સચેતન પૌરુષનું નિત્ય નવીકરણ પામતું, રાષ્ટ્રના અંતઃસત્ત્વની રક્ષા કરતું અને દંડ (સૈન્ય) કરતાં વધુ રચનાત્મક અને દષ્ટિસંપન્ન એવું ઉપકારક જીવંત અંગ છે. કોઈ પુણ્ય જગવતી સતીના સતની જેમ, શિયળ(શીલ)ની જેમ, કોશના ચૈતન્યપ્રધાન સત્ત્વની રક્ષા કરવા માટે એની પ્રત્યે પૂરા વિનયથી, અદબથી વર્તીને એની કોઈ પણ જાતની અવિવેકી છેડછાડથી દૂર રહેવાનું છે. કોઈ પણ તઘલઘી (મનસ્વી) શાસન કોશની યથાર્થ રક્ષામાંથી ટ્યુત થઈને કોશને જેમ-તેમ બરબાદ કરવા દ્વારા પોતાની જ સંપૂર્ણ બરબાદીને નોતરે છે. કોશની આવી પવિત્ર સ્વરૂપની સમૃદ્ધિ દંડના (સૈન્યના) વ્યાપારને ખાસ્સો ઘટાડી શકે છે તે વાત કદાચ જગત્-ઇતિહાસનાં ઊલટા પ્રકારનાં દષ્ટાંતો(‘વ્યતિરેકો’)થી દઢ રીતે તારવી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy